SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર વાણી જેને લીધે લોકોને ઉગ થતો નથી તથા લોકોને લીધે પણ જેને ઉગ થતો નથી એવો તથા જે રાગ દ્વેષ ભય અને ઉદ્વેગથી મુક્ત છે તે સમદર્શી કહેવાય. (૧૫) વળી, વિદ્યા તથા વિનયથી યુકત એવા ઉત્તમ મનુષ્યના પ્રતીક સમા બ્રાહ્મણ તરફ, અધમ મનુષ્યના પ્રતીક સમા ચાંડાળ તરફ અને સમગ્ર પશુના પ્રતીક સમા ગાય, હાથી અને કૂતરા તરફ પંડિત લોકો સમદર્શી હોય છે. (૧૮) અરિહંત, અરહત કે અહિં પુરુષમાં આવી જ સમદર્શિતા હોય છે માટે પ્રસ્તુતમાં આદિ કેમ ધાતુનો સીધો જ વ્યુત્પન્યર્થ ઘટાવવો એ જ વિશેષ અગત્યનું છે. અરિહંતને બીજો અર્થ: દેવોએ અને મનુષ્યોએ કરેલી પૂજાને જે યોગ્ય છે તે અરિહંત, અરહત કે અહં. આ ઉપરાંત રિહંત એવો પદચ્છેદ કરીને ‘રાગદ્વેષરૂપ શત્રુઓને હણી નાખનાર' એવો પણ અર્થ બતાવેલ છે. તાત્પર્ય એ છે કે, ભારતવર્ષની ધર્મત્રિવેણીમાં એટલે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ પરંપરામાં આ શબ્દ એકસરખા અર્થમાં ઘણા પ્રાચીન સમયથી વપરાતો આવેલ છે. આ દષ્ટિએ વિચારીએ તો राम कहो रहेमान कहो कोई कान कहो महादेव री। पारसनाथ कहो कोई ब्रह्मा सकल एक सरूप री॥ (આશ્રમ ભજનાવલી) જૈન સંત શ્રી આનંદઘનજીનું આ ભજન એકદમ સમુચિત છે. ૩. લોકમાં સર્વ- આ પાંચે પદના નમસ્કારપાઠનો ઘણો વિશાળ આશય છે. જૈન સંસ્કૃતિ અને બૌદ્ધ સંસ્કૃતિ ગુણોની પ્રધાનતાનો જ સવિશેષ આદર કરે છે અને બ્રાહ્મણ સંસ્કૃતિ પણ “ તિર્જ થામ (મનુસ્મૃતિ અધ્યાય ૬, બ્લો. ૬૬) કહીને ગુણોની જ મુખ્યતાને સ્વીકારે છે એટલે કોઈ વ્યકિત પરત્વે તેના આદરસત્કાર સારુ કેવળ સંપ્રદાયની પ્રતિષ્ઠા હોય, માત્ર વેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy