SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ-સૂત્ર મરિહંતનો અર્થ-અરિહંત, અરહત કે અર્ધ શબ્દનો સીધો અર્થ ‘પૂજા કરનાર થાય છે. અર્થાત્ જે, પૂજા કરતો હોય તે અરિહંત, અરહત કે અર્ધ કહેવાય છે. અહીં શંકા થવાનો સંભવ છે કે ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ કે ભગવાન વિષ્ણુ વળી શું બીજા કોઈની પૂજા કરનારા છે? એનું સમાધાન આ છે: પૂજાના બે પ્રકાર છે : અંતરંગ પૂજા-માનસ પૂજા અને બીજી બાહ્ય પૂજા. તમામ આત્માઓ-જીવો, પ્રાણીઓ પછી ભલે તે નાનામાં નાના કીડા હોય અને મોટામાં મોટાં ઈંદ્ર કે ચક્રવર્તી હોય, તેમની તમામની તરફ સમભાવે વર્તવું – કોઈનો લેશ પણ અનાદર, તિરસ્કાર કે અપમાન ન થાય તેમ વર્તવું – કોઈ વંદન કરે કે કોઈ નિંદા કરે તો પણ તે બન્ને જાતનાં પ્રાણી તરફ સર્વથી સ્વાભાવિક સમતાભાવે વર્તવું - સમદર્શી રહેવું - મન, વચન અને શરૃર એમ ત્રણે પ્રકારે સહજ સમતા ધારણ કરી રાખવી - એક રોમમાં ય દ્વેષ, ક્રોધ, ઈર્ષ્યા કે રાગ કે મોહ ન આવે તેવી વૃત્તિ રાખી પ્રવૃત્તિ કરવી તેનું નામ અંતરંગ પૂજા ના માનસપૂજા વા આત્મપૂજા કહેવાય અને ચંદન ચડાવવું, ટીલા ટપકાં કરવાં, સ્નાન કરાવવું, ફૂલ ચડાવવાં, નિવેદ ધરવું, ચામર કે વીંજણાં કરવા તથા ધૂપ વગેરે કરવો તે બધી બાહ્યપૂજા કહેવાય. જે પુરુષ આવી બાહ્ય પૂજામાં નથી પડતો પરંતુ ઉપર કહી તેવી જગતની અંતરંગપૂજા મનસા વચસા અને શરીરણ એમ ત્રણે પ્રકારે નિરંતર કરતો રહે છે તે પુરુષ અરિહંત, અરહત કે અહિં કહેવાય. અર્થાત્ અરિહંત, અરહત કે અહિનો આ વ્યુત્પત્યર્થ છે અને તે જ અહીં બરાબર સીધી રીતે ઘટમાન છે. ગીતામાં કહ્યું છે કે, यस्मात् नोद्विजते लोक: लोकान्नोद्विजते च यः। ઈ - અમf - મ - કુંવર (અધ્યાય ૧૨, શ્લો૧૫) તથા विद्या-विनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि । શુનિ વૈવ થપાવે રષ્કિતા સમર્શિનઃ II (અધ્યાય ૫, શ્લો. ૧૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy