SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલસૂત્ર હોય, બીજે કર્મકાંડનો કે ભાષાનો આડંબર હોય, કુલ, વંશ કે જાતિની મહત્તા હોય, રંગરૂપ કે વર્ણનું પ્રાધાન્ય હોય તેવા ખાસ દેશની ખ્યાતિ હોય વા શારીરિક લાવણ્ય કે સૌંદર્યનું આકર્ષણ હોય તે બધું પછી અને ગુણોને પહેલાં જેવા એવું ત્રણે સંસ્કૃતિનું મૂળ બંધારણ છે તથા અહિંસાપ્રધાન સંસ્કૃતિમાં એમ હોય તે જ ઉચિત છે. એટલે આ નમસ્કારપાઠમાં એમ કહેવાનો આશય છે કે સમગ્ર લોકમાં જે જે અરહતો છે, સમગ્ર લોકમાં જે જે સિદ્ધો છે, સમગ્ર લોકમાં જે જે આચાર્યો છે, સમગ્ર લોકમાં જે જે ઉપાધ્યાયો છે અને સમગ્ર લોકમાં જે જે સાધુ સંતો છે તે તમામને નમસ્કાર. આવો આ નમસ્કાર પાઠનો ઉદાર ગંભીર આશય છે. કોઈ ખાસ સંપ્રદાય કે વેશ વગેરેની અપેક્ષા હોત તો તેવા શબ્દો નમસ્કારપાઠના પ્રણેતાએ આ પાઠમાં જરૂર મૂકયા હોત; પરંતુ તેમ નથી દેખાતું માટે જ આ પાઠનો ઉદાર આશય સમજવો જોઈએ. ૪. મંગલ- સરખાવો બૌદ્ધ પરંપરામાં બોલવામાં આવતો મંગલપાઠ: असेवना च बालानं पंडितानं च सेवना । पूजा च पूजनीयानं एतं मंगलमुत्तमं ।। मातापितुउपट्ठानं पुत्तदारस्स संगहो। अनाकूला च कम्मंता एतं मंगलमुत्तमं ।। दानं च धम्मचरिया च बातकानं च संग्रहो। अनवज्जानि कम्मानि एतं मंगलमुत्तमं । आरति विरति पापा मज्जपाना च संयमो । अप्पमादो च धम्मेसु एतं मंगलमुत्तमं ।। खंति च सोवचस्सता समणानं च दस्सनं । कालेन धम्मसाकच्छा एतं मंगलमुत्तमं । – (લઘુપાઠ મંગલસૂત્ર) અજ્ઞાનીઓની સોબતનો ત્યાગ, જ્ઞાનીઓની સોબતનો પ્રસંગ, પૂજ્ય Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy