SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ १६ હોય, તો ધર્મ વગર અધ્યાત્મ વગર એને ચાલવાનું નથી. ધર્મનાં-અધ્યાત્મનાં સત્યો આત્મસાધકોની પ્રયોગશાળાઓમાં હારો વરસોથી તારવવામાં આવ્યાં છે અને વારંવાર સ્વાનુભૂતિથી નાણી જોવામાં આવ્યાં છે, એથી તો જુદા જુદા ધર્મોની, પાયાની વાતોમાં એકમતી છે. ભગવાન મહાવીરની પ્રયોગશાળાનાં તારણો શાં જોવા મળે છે ? સંસાર એમનાં કરુણાર્દ્ર નેત્રોને દુ:ખસંભૂત લાગે છે. સૌ જીવોને એમાં કલેશ સહન કરતા જોઈ એમનું હૃદય કકળી ઊંઠે છે : અહો દુ:ખિલ સંસાર, જીવો સૌ કલેશ જ્યાં સહે ! (૧૬૭) પહેલી વાત એમને જે સૂઝે છે તે સૌ જીવો પ્રત્યેની અનુકંપા, અહિંસા. સૌ જીવો જીવવું ઇચ્છે, મરવું કો ન ઇચ્છતું. (૧૫) એથી તમામ પ્રાણધારીઓ પ્રત્યે સંયમપૂર્વક વ્યવહાર કરવો, સમતાભાવથી વર્તવું એ યોગ્ય છે. અસત્ય વચન કે આચરણમાં હિંસા રહેલી જ હોય છે, એનું સૂચન માર્મિક રીતે થયું છે : આત્માર્થે, અન્ય અર્થે વા, ક્રોધથી, ભયથી 'થવા, નહીં હિંસાભર્યું જૂઠ વદવું કે વદાવવું. (૨૨) આત્માના મુખ્ય દુશ્મનો ચાર ગણવામાં આવ્યા છે : માન, માયા (શઠતા, કપટ), ક્રોધ અને લોભ. એમને શી રીતે વશ કરવા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy