SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમે હણો ક્રોધ, મન માર્દવતા વડે, માયા આર્જવભાવેથી, લોભ સંતોષથી છતો. (૧૪૬) આત્માથીને પ્રમાદ ન પોષાય. તેથી પુરાણ અને લોકકથાના ભાર્ડપંખી (જેને બે મુખ હોઈ અસાવધપણે એક મુખથી કોઈ ઝેરી પદાર્થ ખાઈ બેસે તો મરી જ જાય)ની જેમ અપ્રમત્ત રહીને વર્તવાનું કહ્યું છે : ભાડ પંખી સમ સંચર અપ્રમત્ત. (૧૬) આત્માનું રક્ષણ કરવા ઈચ્છનારે સદા અપ્રમત્ત જ રહેવું રહ્યું : આત્માનુરક્ષી ચર અપ્રમત્ત. (૧૦૯) અપરિગ્રહ અંગે મહાવીર ભગવાનનું નિરીક્ષણ એવું છે કે ટકી રહેવા માટે અનિવાર્ય એવી સામગ્રી સાધક પાસે હોય તે પરિગ્રહ ગણાય નહિ, પણ સામગ્રી અંગેની મૂછ (આસક્તિ, મમતા) એ પરિગ્રહ છે. મૂછ પરિગ્રહ કથી.' (૫૮) સાધકે જીવનધારણા માટે કેવી રીતે વર્તવું ? જે રીતે ભમરો ચૂસે દ્રુમનાં પુષ્પનો રસ, પુષ્પને ન વિલાવે, ને પોતે પામે પ્રસન્નતા...(૬૫) એ રીતે સાધકે પોતાનો નિર્વાહ અકલેશકર રીતે કરવો જોઈએ. જે સાધક બાહ્ય પદાર્થોની ઉત્તેજના અનુભવવા લાગ્યો, તો તેની ઉપર કામનાઓ ચારે તરફથી આક્રમણ કરવાની : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy