SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ મહાવીર વાણી મુખને ક્યાંયથી વિષફળ મળી ગયું. તેથી તેણે પેલા અમૃતફળ ખાનારા મુખને કહ્યું કે હે નિર્દય, અધમ અને નિરપેક્ષ – મારી ગરજ નહીં રાખનારા! મેં આ વિષફળ મેળવ્યું છે. હવે હું તેં કરેલા અપમાનનો બદલો વાળવા તેને ખાઉ છું. પેલું મુખ બોલ્ય: અરે મૂર્ખ! એમ ન કર, એમ કરવાથી તો આપણે બને મરી જઈશું. છતાં બીજ મુખે તે મ જ ગણકાર્યું અને અપમાનનું સાટું વાળવા તે વિષફળ ખાઈ લીધું જેથી તે બન્ને પક્ષી મરી ગયાં. આ પક્ષી માટે ભાર્ડ અને ભાર્ડ એમ બન્ને શબ્દો વપરાય છે. આચાર્ય હેમચંદ્ર પોતાની દેશીનામમાળામાં (વર્ગ છઠ્ઠો શ્લોક ૧૮) કહેલું છે કે : “માડમ મો ” અર્થાત્ ભોરુડ કે ભોડ શબ્દ પણ ભારુડપક્ષીના અર્થમાં વપરાય છે. ઉપર આપેલી કથા અને વર્ણન ઉપરથી એમ માલૂમ પડે છે કે ભાખંડ નામનાં બે પક્ષીઓ છે; પણ તે બન્ને એકબીજો પરસ્પર સાથે જોડાયેલાં છે અર્થાત્ તેમના શરીરની રચના જ એવા પ્રકારની છે. તેમને ત્રણ પગ છે, બે માથાં છે. એક પેટ છે, બે મુખ છે, એ બેમાંથી ગમે તે એક મુખ વડે વારાફરતી ખાવાનું ખાય છે અને પેટ એક હોવાથી એક જણ ખાય તો પણ તેઓ બને ખાવાની તૃપ્તિ અનુભવે છે. જે તેઓ એકબીજો વિરુદ્ધ પ્રવૃત્તિ કરે તો તરત જ મરી જાય છે એટલે એ બન્નેએ બરાબર સાવધાન રહેવું પડે છે જેથી તેમની જુદી જુદી વિરુદ્ધ પ્રવૃત્તિ ન થાય. માટે જ કહેવામાં આવેલ છે કે ભાખંડ પક્ષીની પેઠે અપ્રમત્ત-બરાબર સાવધાન રહેવું. આચાર્ય હેમચંદ્ર પોતાના અનેકાર્થસંગ્રહમાં ભાખંડ પક્ષીના અર્થમાં મેટું શબ્દ આપે છે:- મેઇgો બીપજ-” “મેug: T Uક્ષા યથા વિદિતા વિનશ્યતિ મેvG ફર્વ ઉસળ :” - (કાંડ ૩ શ્લોક ૧૭૩) માત્ર આ શબ્દનિર્દેશ સિવાય હેમચંદ્ર આ પક્ષી વિશે બીજું કશું લખતા નથી. આપણા દેશમાં વર્તમાનમાં કયાંય આ પક્ષી જોવામાં આવતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy