SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ મહાવીર શણી પ્રિયનું લક્ષ્ય જવાનું નથી અને શ્રેયનું લક્ષ્ય આવવાનું નથી એટલે તે ગૃહસ્થોમાં સ–વૃત્તિના સંસ્કારો પડવાનો સંભવ ઘણો જ ઓછો છે અને તેથી જ તેમનો વિસ્તાર થવો સંભવિત નથી. જો તેઓ પૂર્વોક્ત શુભ પ્રવૃત્તિઓ કરે અને તેમ કરતાં કરતાં પોતાનું પ્રેમનું લક્ષ્ય તછ શ્રેયના લક્ષ્ય ભણી વળે તેમ કરતાં કરતાં અભ્યાસથી જ્યારે તેમનું શ્રેયનું લક્ષ્ય દઢ થાય ત્યારે જ તેમનો વિકાસ થાય અને સંભવ છે કે ત્યારે તેમને નિશ્ચય સમકિતની નિકટની ભૂમિકાની પ્રાપ્તિ થાય; પણ તેમને તો મૂળથી જ શુભ પ્રવૃત્તિઓ કરવા માટે અધિકારી ગણવામાં આવતા ન હોવાથી તેમની શ્રેયલક્ષી પ્રવૃત્તિ રૂંધાઈ જાય છે. આમ છતાં એમ માનવામાં આવતું હોય કે જે તે ગૃહસ્થો શ્રમણ ધર્મને – સંન્યાસધર્મને સ્વીકારે તો તેમનો નિતાર થવાનો માર્ગ ઊઘડે; પરંતુ આ જાતની દુષ્ટ પ્રવૃત્તિઓના દઢ સંસ્કારવાળા લોકોના મનમાં પવિત્રતમ અને સંયમપ્રધાન શ્રમણધર્મ તરફનું વલણ જ અસંભવિત છે, તેમ છતાં તેઓ જેવી છે તેવી જ પરિસ્થિતિમાં ય સાધુ થઈ જાય તો પણ તેમનું કશું શ્રેય થવું સંભવિત નથી. મૂળ દુષ્ટ સંસ્કાર ન બદલાય અને માત્ર કપડાં બદલાય એટલા માત્રથી કોઈનું શ્રેય થયું નથી, થવાનું ય નથી. વળી, જૈનપરિભાષા પ્રમાણે આ કાળે આ ક્ષેત્રમાં સમોહ સંયમ જ શકય હોવાથી સમોહ અનુકંપાની પેઠે એ (સંયમ) પણ બંધનકર્તા જ નીવડવાનો એટલે અહિંસાને નામે દયાદાનનો નિષેધ કરનારા દીક્ષારૂપ સંયમને પણ ધારણ કેમ કરી શકે? આ હકીક્તને બીજાં અનેક દષ્ટાંતોથી આ રીતે વધુ સ્પષ્ટ કરી શકાય: એક બાળક કે જેને ચાલતાં આવડતું નથી તેને ચાલવાનું શીખવવા સારુ ચાલણગાડીનો ઉપયોગ જરૂરી છે, પરંતુ જ્યારે તે બાળક ચાલગાડી મારફત ચાલવા લાગે છે ત્યારે વારંવાર પડી જાય છે અને વળી ઊભું થઈને ચાલવા લાગે છે છતાં તે ચાલવા કરતાં વારંવાર પડ્યા જ કરે છે. આ જોઈને તેનાં માબાપ એમ ધારે કે આ ચાલણ ગાડી જ બાળકને પાડી નાખે છે માટે જ્યારે બાળક એક વાર પણ પડ્યા વિના ચાલવા શકિતમાન થાય ત્યારે જ તેને ચાલતાં શીખવવું; તો શું એ બાળક કદી પણ ચાલતાં શીખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy