SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ અહિંસા-સૂત્ર ત્યારે એવો જ બીજો કોઈ દુકાનદાર કે જેનો ધર્મમય સંકલ્પ જાગ્રત નથી, તે કોઈને જીવથી મારી ન નાખવાના સ્થૂલ નિયમને પાળતો હોય છે. છતાં લોભવશ થઈ, સ્વાર્થવશ થઈ તે પોતાના શ્રેયાર્થને ગૌણ સમજે છે, એને લીધે ધનને માટે વા બીજી કોઈ સુખસગવડને માટે નીતિના નિયમોને નેવે મૂકી દે છે, તેનું વલણ સર્વ જીવો તરફ જોઈએ તેવું અને જોઈએ તેટલું આત્મવત્ રહેતું નથી. તેથી ગ્રાહકોને હાનિ થાય તેમ કરતાં તે અચકાતો નથી, વેચવાના માલમાં ભળતી ચીજો ભેળવી ગ્રાહકોની જિંદગી જોખમમાં આવી પડે તેમ કરતાં ય અટકતો નથી અને પોતે કોઈને જીવથી નથી મારી નાંખતો એનો સંતોષ માની પોતે કલ્પેલી અહિંસા પાળે છે. તેની આ અહિંસા અતેજસ્વી કહેવાય – અનિપુણ કહેવાય. મનુષ્ય વગેરે તમામ નાનાં મોટાં પ્રાણીઓની સાથેના વ્યવહારમાં સંયમથી વર્તવાનું નામ તેજસ્વી અહિંસા છે. માટે જ ભગવાન મહાવીરે સર્વભૂતસંયમને નિપુણ અહિંસા કહેલી છે. જીવન અને શ્વાસને જેવો અને જેટલો સંબંધ છે તેવો અને તેટલો સંબંધ અહિંસા અને સંયમ વચ્ચે છે. અહિંસા વિના સંયમ ટકી શક્તો નથી અને સંયમ વિના અહિંસા ટકી શકતી નથી. એ જ રીતે જાતમહેનત અને સંયમ વચ્ચે પણ એવો જ સંબંધ છે. જાતમહેનત જેટલા પ્રમાણમાં હોય તેટલા પ્રમાણમાં સંયમ સાધી શકાય છે, વધારે પ્રમાણમાં બીજાના શ્રમ ઉપર રહેનાર અને બીજાના શ્રમનો લાભ લેનાર સંયમને બરાબર સાધી શકતો નથી. અને સંયમ ન સધાય તો અહિંસા તો કેમ કરીને સધાય? આ વાત બરાબર સમજાય એ માટે જ અહીં તેનો અર્થ ‘સર્વભૂતસંયમ' એવો બતાવેલ છે. સાધારણ રીતે હિંસા એટલે કોઈને મારવું કે મારી નાખવું અને અહિંસા એટલે કોઈને ન મારવું કે મારી ન નાખવું એવો "અહિંસા"નો શબ્દાર્થ છે છતાં તે અર્થને પ્રધાનસ્થાન ન આપતાં અહીં સર્વભૂતસંયમને અહિંસા કહેલી છે; તેનો આશય અહિંસા અને સંયમ તથા સંયમ અને શ્રમ એ બન્ને જોડકાં એક બીજા વગર રહી શક્તા નથી એમ બતાવવાનો છે અને એવું વિધાન કરવાનો છે કે અહિંસા આચરનારે સંયમ કેળવવો જ પડશે, જાતશ્રમ કરવો જ પડશે, એ વિના અહિંસા-તેજસ્વી અહિંસા-નિપુણ અહિંસા-સંકલ્પપૂર્વકની અહિંસા-શકય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy