SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ-સૂત્ર બાઈબલમાં અને ઈસ્લામી ધર્મપુસ્તક કુરાનમાં પણ આ જાતની વિચારધારને મળતી વિચારધારા મળે છે. આ ટિપ્પણોમાં તે તે ઉપર્યુકત ગ્રંથોમાંથી વચનોને ટાંકી બતાવી યથાસ્થાને અહીંનાં વચનો સાથે તેમની સરખામણી કરી બતાવી છે. તે તરફ વિદ્યાર્થીઓ અને વાચકો જરૂર લક્ષ્ય રાખે. કેટલાંક ટિપ્પણો વિવેચનાત્મક પણ છે. તુલનાત્મક ટિપ્પણો ઉપરથી તમામ ધર્મોનો પાયો કેટલો બધો પરસ્પર મળતો આવે છે તેનો ખ્યાલ આવશે. સરખાવેલાં વચનોમાં કેટલાંક તો શબ્દશ: પણ સરખાં છે. સરખામણી કરવા માટે બ્રાહ્મણ ધર્મનાં અને બૌદ્ધ ધર્મનાં મૂળ વચનોનો વિશેષ ઉપયોગ કરેલ છે. ૨. અરિહંત- આ શબ્દનું સંસ્કૃત ઉચ્ચારણ મત છે. . ગ અને . દિ ધાતુ ઉપરથી આ શબ્દ આવેલ છે. દિ ધાતુને વર્તમાન કૃદંતનો મત પ્રત્યય લાગવાથી રિહંત, મહંત અને અહિત એવાં ત્રણ પદો બને છે. પાલિ ભાષામાં કહત રૂપ પ્રચલિત છે. રિહંતા એ છઠ્ઠી વિભકિતનું બહુવચન છે, એકવચનમાં મરિહંતસ અથવા મરદત એવાં રૂપ થાય છે. નમ (નમ:) શબ્દ સાથે જોડાયેલ નામને ચોથી વિભકિતમાં વાપરવાની પ્રથા વ્યાકરણે બતાવેલી છે પરંતુ પ્રાકૃતભાષાઓમાં ચોથી વિભકિતને બદલે મોટે ભાગે છઠ્ઠી વિભક્તિ વપરાય છે. અહીં આપેલાં ગદ્ય કે પદ્ય તમામ વચનોનું સંસ્કૃત રૂપાંતર આ પુસ્તક પૂરું થયા પછી પરિશિષ્ટમાં આપેલું છે. મત કે રિહંત શબ્દનો પ્રયોગ ઘણા પ્રાચીન સમયથી પ્રચલિત છે. મથુરામાંથી મળેલા ઈ.સ. પૂર્વેના શિલાલેખમાં “નમો કરતો વન' એ વાકયમાં પરત શબ્દ વધમાનસના વિશેષણરૂપે વપરાયેલ છે. વધમાન (વર્ધમાન) એ ભગવાન મહાવીરનું જન્મનામ છે. તથા કલિંગાધિપતિ મહામેઘવાહન મહારાજા ખારવેલનો એક મોટો શિલાલેખ ઓરિસા પ્રાંતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy