SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ લોકતત્ત્વ-સૂત્ર ૮. દર્શન વસ્તુમાત્ર વિશે તદ્દન સામાન્ય જ્ઞાન એટલે ‘આ કાંઈક છે' એવું ભાન અર્થાત્ આવા સામાન્ય જ્ઞાનમાં જાતિ, નામ, ગુણ વગેરેની ખબર ન પડે. આવું સામાન્ય જ્ઞાન કોઈ પ્રવૃત્તિમાં કારણ બનવાનો સંભવ ઘણો ઓછો છે. માત્ર આવું સામાન્ય જ્ઞાન જિજ્ઞાસા હોય તો વિશેષજ્ઞાનનું પહેલું પગથિયું બને છે એટલે આ સામાન્ય જ્ઞાન વિશેષજ્ઞાનનું કારણ બની શકે છે એ જ એનું મૂલ્ય છે. જ્ઞાન અને દર્શન બન્ને બોધરૂપ છે છતાં તેમાં ઉપર જણાવ્યા પ્રમાણેનો તફાવત સમજવાનો છે. ૯. જીવનાં - જ્ઞાન દર્શન, સુખ, દુ:ખ, ક્રોધ વગેરે વૃત્તિઓ જીવ સિવાય બીજે કયાંય સંભવતી નથી, ફક્ત જીવમાં જ એ સંભવે છે માટે તેમને જીવનાં લક્ષણ સમજવાનાં છે. અર્થાત્ એ ગુણો જીવ ઓળખવાનાં નિશાન - એંધાણ – રૂપ છે. . ૧૦. શબ્દ - જુઓ લોકતત્ત્વસૂત્ર ટિપ્પણ - ૪ - આકાશાસ્તિકાય. ૧૧. અંધકાર - જેમ શબ્દ, જડ મૂર્ત દ્રવ્ય છે તેમ અંધકાર પણ જડ મૂર્ત દ્રવ્ય છે. જગતમાં એક જડ મૂર્ત પદાર્થ ન હોય તો અંધકાર, છાંયો કે પડછાયો સંભવી શકતો નથી. જીવાસ્તિકાય - આત્મા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ બધાં સ્વભાવે અમૂર્ત છે. તેમનો પડછાયો સંભવી શકતો નથી તેમ તેઓ અંધકારનાં નિમિત્ત થઈ શકતાં નથી. આમ છે માટે તે અમૂર્ત તત્ત્વો સાથે પડછાયા કે અંધકારનો સંબંધ કોઈ પણ રીતે સંભવી શકતો નથી તેથી અંધકાર કે પડછાયો તેમનો ગુણ હોઈ શકતો નથી. અંધકાર કે પડછાયો આંખ વડે જોઈ શકાય છે, આંખ ન હોય તો જોઈ શકાતો નથી માટે ઇંદ્રિયગ્રાહ્ય છે અને ઇંદ્રિયગ્રાહ્ય હોવાથી જ તે, અમૂર્ત નથી અને અમૂર્ત નથી એટલે મૂર્ત છે માટે જ તે, આત્મા આકાશ વગેરે અમૂર્તપદાર્થનો ગુણધર્મ કે સ્વભાવ હોઈ શકે નહીં. જ્યારે જોવાની વસ્તુ સાથે ઇંદ્રિયનો સંયોગસંબંધ થાય ત્યારે જ તેને જોઈ શકાય છે. સંયોગસંબંધ બે મૂર્તવસ્તુનો જ સંભવે; એ રીતે પણ અંધકાર કે પડછાયો મૂર્તરૂપ છે. અંધકાર કે પડછાયો મૂર્ત ન હોય તો તેને ઈંદ્રિય સાથે સંબંધ કેમ કરીને થાય ? સંબંધ ન થાય તો તે દેખાય પણ શી રીતે ? જન્મથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy