SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ માણસ પોતે જેટલું પોતાનું બૂરું કરી શકે છે તેટલું ગળાકાપુ દુશ્મન પણ કરી શકતો નથી : - ન કંઠછેત્તા અરિ બૂરું આચરે, કરે દુરાત્મા નિજ જેટલું ખરે. (૨૧૮) ધર્માચરણને નિશ્ચયપૂર્વક જે વળગ્યો છે તે ઈન્દ્રિયોનાં પ્રલોભન સામે અકંપ ઊભો રહી શકે છે : આત્મા થયો નિશ્ચિત જેહનો કે ‘તજીશ હું દેહ, ન ધર્મશાસન', તેને ચળાવી નવ ઈન્દ્રિયો શકે, ઝંઝાનિલો મેરુ મહાદ્રિને યથા. (૨૧૯) એ જ વાત ફેરવી ફેરવીને કહેવામાં આવી છે : સમાધિવાળી સહુ ઈન્દ્રિયો વડે; આત્મા સદા રક્ષિત રાખવો ઘટે. (૨૨) ઉપનિષદના ઋષિએ “આત્મા રથારૂઢ જાણો, શરીર એ જ છે રથ' એવા રૂપકથી વાત કરી છે. “મહાવીર વાણી'માં નૌકાનું રૂપક છે : શરીરને કહ્યું નાવ, જીવ નાવિક છે કહ્યો, કહ્યો અર્ણવ સંસાર, તરે જેને મહર્ષિઓ. (૨૧) આવા આત્મજિત, સંસારને તરી જનારાઓની ક્ષમાશકિત અખૂટ હોય છે, અને તેથી તે સૌના પૂજ્ય ઠરે છે : ઉત્સાહથી કંટક લોહના જનો આશાભર્યા કે ગરજે સહી લે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy