SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર વાણી કોઈ મનુષ્ય પુણ્યની આશા રાખીને એક વરસ સુધી જે કાંઈ યજન કરે, હોમહવન કરે તો ય સરળ સંતપુરુષોની અભિવાદનાથી જે ફળ થાય છે તેના ચોથા ભાગનું પણ ફળ તે યજન કે હોમહવનથી મળતું નથી. ૯. ૪. નિપુણ સરખાવો ધમ્મપદ ૨૩મો નાગવર્ગ શ્લો ૯,૧૦,૧૧ : सचे लथ निपकं सहायं सद्धिचरं साधुविहारिधीरं । अभिभूय्य सव्वानि परिस्सयानि चरेय्य तेनत्तमनो सतीमा ||९|| नो चे लभेध निपकं सहायं सद्धिचरं साधुविहारिधीरं । ૧૩૪ राजा व रट्ठ विजितं पहाय एको चरे मातंगर व नागो ॥ १०॥ एकस्स चरितं सेय्यो नत्थि बाले सहायता । एको चरे न च पापानि कयिरा अप्पोस्सुको मातंगर व नागो ॥ ११ ॥ સાથી, નિપુણ સાધુવિહારી અને ધીર મળી શકે તો બીજાં તમામ જોખમોને નહીં ગણકારીને ય તેની સાથે જાગૃતિપૂર્વક રહેવું - ફરવું. એવો નિપુણ સાથી ન મળ્યો હોય તો જેમ હારેલું રાજ્ય છોડીને રાજા એક્લો ચાલી નીકળે છે વા માતંગવનમાં જેમ એકલો નાગ માતંગ હાથી રહે છે - ફરે છે તેમ એકલા ફરવું અર્થાત્ સારા સાથી વિના એકલા જ રહેવું. માતંગવનમાં હાથી જેમ એકલો રહે છે તેમ એકલા રહેવું ઉત્તમ છે પણ અજ્ઞાનીની - બાલની – સોબત સારી નથી. એક્લા રહેતાં બીજા વેગો ઓછા આવે તેમ રહેવું અને પાપોને ન આચરવાં. Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy