SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર વાણી તેમાંય ખાસ પરિગ્રહની મર્યાદા કરી લેવાની યોજના બતાવીને અહિંસાના આદર્શને પામવા સરળ માર્ગ ચીંધી બતાવેલ છે. વ્યક્તિ, કુટુંબ, સમાજ, ગ્રામ વગેરે પ્રત્યેકનો અભ્યદય લક્ષ્યમાં રાખીને પરિગ્રહની મર્યાદા ઉપરાંત પ્રવાસની પણ મર્યાદાનું વ્રત બતાવેલ છે. આ બન્ને નિયમો બરાબર પળાય તો સર્વોદય અવસ્થંભાવી છે. પરિગ્રહની મર્યાદાનું સ્વરૂપ આ છે : માણસે પોતાના જીવનવ્યવહાર માટે જે જે ચીજ જોઈએ-ખાવાની, પીવાની, રહેવાની, ખેતી કરવાની, પહેરવાની, સેવા ચાકરીની એમ તમામ પ્રકારની હાજતો માટે જેની જેની એટલે જે જે સજીવ પ્રાણીની કે નિર્જીવ પદાર્થની અપેક્ષા પડે તે તમામનો ઉપયોગ મર્યાદામાં કરવો-અમુક સંખ્યા બાંધી તેમનો ઉપયોગ કરવો તેનું નામ પરિગ્રહમર્યાદા. પ્રવાસની મર્યાદાનું સ્વરૂપ આ છે : માણસ પોતાના વતનમાં રહેતો હોય, ત્યાં જ તેને પોતાની મર્યાદામાં સ્વીકારેલ જીવનનું ઘારણ પોષણ અને સંવર્ધન કરવા પૂરતી સગવડ મળી રહેતી હોય અર્થાત્ જાતમહેનત દ્વારા વા મર્યાદામાં સ્વીકારેલી બીજાઓની મહેનત દ્વારા પોતાનો અને કુટુંબનો નિર્વાહઆરોગ્ય સાથે ચાલી શકતો હોય એટલે રહેવાનું, કપડાં અને ખાવાપીવાની ચીજો ઉપરાંત બીજી બીજી જરૂરિયાતની સામગ્રી ગામમાં જ વસતાં કુંભાર, સઈ-દરજી, ઘાંચી, મોચી, સુતાર, લુહાર, ચામર વગેરે દ્વારા મેળવી શકતો હોય અને આ રીતે પોતાની અને ગ્રામજનતાની આજીવિકા બરાબર ચાલી શકતી હોય અને એ પ્રકારે ગામનો શેઠ કે ગૃહસ્થ સમાજસાપેક્ષ રહીને પોતાનું અને આખા ગામની વસ્તીનું યોગક્ષેમ અનુભવતો હોય તો પછી આવા માણસે કેવળ ધનના લોભને કારણે વા વધારે મોજશોખ મેળવવાના કારણે વા શરીરનાં કે આંખ કાન વગેરે ઇંદ્રિયોના વિશેષ ભોગો મેળવવાની લાલચને લીધે વા પોતાના વતનમાં જે સામગ્રી સાંપડે છે અને જેને લીધે પોતે અને આખું ગામ સ્વસ્થ રહી શકે છે તે સામગ્રી કરતાં વધારે વિલાસમય દેખાવડી, રૂપકડી વા મોહક સામગ્રી મેળવવાની તૃષ્ણાને લીધે વા પોતાના કેવળ સ્વછંદને લીધે વતન બહાર ન જવું એ ગૃહસ્થો માટે સામાન્ય મર્યાદા છે, છતાં તૃષ્ણા, લોભ કે સ્વછંદનો આવેગ પ્રબળ થઈ જાય અને જ્યારે તે વતન બહાર નીકળવાનું રોકી જ ન શકે ત્યારે તેને એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy