SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ લોકતત્ત્વ-સૂત્ર (૨૪૪) સા પવયળમાયા, ને સમાં મારે મુળી । તે વિધ્વં સવ્વસંસારા, વિષ્પમુડ઼ પંકિ ારશા ૧૪૯ (૩ત્તા૦ ૦ ૨૪, ૪૦ ૨૬,૨૭) ૨૪૪. જે સાધક, મુનિ હોય કે ગૃહસ્થી હોય તે જો આ સમિતિઓને અને ગુપ્તિઓને એટલે પ્રવચનની માતાઓને વિવેકપૂર્વક સારી રીતે આચરવા લાગે તો તે પંડિત સાધક જગતનાં તમામ પ્રપંચોથી શીઘ્ર છુટકારો પામી શકે છે - અર્થાત્ આઠ પ્રવચન માતાના ખોળામાં જે રહેતો હોય તે વ્યક્તિગત વા સમૂહગત દુ:ખ ઊભું કરવામાં નિમિત્ત બનતો નથી અને સમગ્ર વ્યવહારનું યોગક્ષેમ બરાબર સાચવી શકે છે. Jain Education International ૧. આ જગતમાં કુલ કેટલાં તત્ત્વો - મૂળભૂત પદાર્થો - છે તે બાબત જૈન પરંપરા જે કંઈ માને છે તે વિશે અને સાથે એ તત્ત્વોનું જ્ઞાન કરીને શ્રેયાર્થીએ કયાં કયાં સાધનોનું અવલંબન લઈને શ્રેયની સાધના કરવી જોઈએ એ વિશે પણ પ્રસ્તુત સૂત્રમાં સંક્ષેપમાં જણાવેલ છે. - - ૨. ધર્માસ્તિકાય - જૈનપરંપરાએ આ આખા જગતના ‘લોકજગત' અને ‘અલોકજગત’ એવા બે વિભાગ માનેલા છે. તેમાં અલોકજગતમાં કેવળ એક આકાશતત્ત્વ છે. એ સિવાય ત્યાં બીજું જડ કે ચેતન કોઈ તત્ત્વ નથી. જે લોકજગત છે તે આ આપણું બ્રહ્માંડ છે. તેમાં સમગ્ર લોકજગતમાં એક અખંડ પદાર્થ - કોઈ રીતે જેના ખંડ કરી શકાતા નથી - સર્વત્ર સર્વકાળે વિદ્યમાન છે અને જેના આલંબનથી ગતિ કરવાની શક્તિવાળા ચેતન કે જડ પુદ્દગલ - મૂર્ત - પદાર્થોને તેમની ગતિમાં સહાય મળતી રહે છે. તેનું નામ ધર્માસ્તિકાય અથવા ધર્મ. આ પદાર્થ પોતે જડ છે તો પણ અમૂર્ત છે એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ કે શબ્દ વિનાનો છે. માછલીમાં પોતામાં જ ગતિ કરવાની શકિત છે છતાં તે પાણીની સહાય વિના ગતિ કરી શકતી નથી તે રીતે ચેતનમાત્રમાં અને પુદ્ગલમાત્રમાં ગતિ કરવાનું સામર્થ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy