SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ બાકીના અંશો કૌંસમાં આપવામાં આવે એ પદ્ધતિ વધુ ઈચ્છવા જેવી ગણાય. તૃતીય પરિશિષ્ટમાં (આવૃત્તિ છઠ્ઠી, પૃ. ૬૩, પંક્તિ ૧૮-૧૯) “ઉપેદ્રવજાના છંદના ચારે ચરણોમાં અગિયારમો અક્ષર લઘુ હોય તેનું નામ વંશસ્થવૃત્ત' એમ કહેવામાં આવ્યું છે તેમાં શરતચૂક થઈ લાગે છે, “ઉપેન્દ્રવજા છંદના ચારે ચરણોમાં દસમા અને અગિયારમા અક્ષર વચ્ચે એક લઘુ અક્ષર ઉમેરાયો હોય ત્યારે તેનું નામ વંશસ્થવૃત્ત' - એ રીતે એ વસ્તુ મુકાવી જોઈએ. ટિપ્પણોમાં અન્ય ધમોંમાંથી સરખા અર્થવાળાં વચનો ઉતાર્યા છે એમાં સંગ્રાહકની ધાર્મિક ઉદારતાનું – સાચા ધર્મરસનું સુચારુ દર્શન થાય છે. ટિપ્પણી કદાચ ટૂંકાવી શકાય. કોઈને અરાત્રિભોજનસૂત્ર જેવા, વ્રત અંગે આવશ્યક છતાં, ઉકિતચસ્કૃતિ વિનાના સ્તબકની ખાસ ઉપકારકતા ન પણ જણાય. ઉપર આપેલી, ચાલતી કલમે આ લખનારે કરેલી, ગુજરાતી પદ્યાનુવાદ-પંકિતઓથી મૂળ આગમવાણીનાં માધુર્ય અને સૌદર્યનો કંઈક ઈશારો મળ્યો હશે. ગીતા, ધમ્મપદ આદિની જેમ “મહાવીર વાણી” પણ ઉક્તિભંગિને લીધે ઘણી વાર હૃદયંગમ નીવડતી હોય છે. સ્લોકાન્ત આવતી સમર્થ જોય! મા માલિg,” “જે 7 મિç.” પંક્તિઓ કે અર્થપંક્તિઓ તે તે સૂક્તિ-સ્તબકની મંત્રશકિતને સચોટ રીતે ફુટ કરવામાં મદદરૂપ બને છે. ૨૩મા મોક્ષમાર્ગ સૂત્રના ૨૮૯ થી ૩૦૦ સુધીના લોકોમાં એક શ્લોકમાંની વાત બીજામાં આગળ વધતી જતાં સમુદ્રની ભરતીના એક મહાતરંગની જેમ કથયિતવ્ય ભવ્ય સૌંદર્યપૂર્વક પ્રસ્તુત થાય છે. અમદાવાદ, તા. ૨૧-૪-૧૯૬૫ ઉમાશંકર જોશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy