SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્મણ-સૂત્ર नाभिनन्देत मरणं नाभिनन्देत जीवितम् । कालमेव प्रतीक्षेत निदेशं भृतको यथा ।। १५ विमुक्तं सर्वसंगेभ्यः मुनिमाकाशवत् स्थितम् । अस्वमेकचरं शान्तं तं देवा ब्राह्मणं विदुः ॥ २२ निराशिषमनारम्भं निर्नमस्कारमस्तुतिम् । निर्मुक्तं बन्धनैः सर्वैः तं देवा ब्राह्मणं विदुः ॥ २४ અપમાનિત થયો હોય છતાં જે ક્રોધ કરતો નથી અને માન પામેલો હોય છતાં જે રાગ કરતો નથી તથા તમામ ભૂતોને અભય આપનારો છે તેને દેવો બ્રાહ્મણ જાણે છે. (૧૪) જે મરણનું અભિનંદન કરતો નથી તેમ જીવિતનું પણ અભિનંદન કરતો નથી અને જેમ નોકર પોતાના શેઠના હુકમની રાહ જોતો રહે તેમ કાળના હુકમની રાહ જોતો રહે. (૧૫) તથા જે તમામ સંગોથી-રાગદ્વેષવાળા સંબંધોથી-વિમુકત છે, મુનિ છે, આકાશની પેઠે વ્યાપકવૃત્તિવાળો છે, અસ્વ-નિર્ધન છે, એકાકી છે એટલે કેવળ આત્માવલંબી છે અને શાંત છે તેને દેવો બ્રાહ્મણ જાણે છે. (૨૨) લાલચને વશ થઈને કોઈને જે આશીર્વાદ આપતો નથી, યજ્ઞમાં પશુવધ રૂપ એવું કશું જ આલંબન કરતો નથી, દીનભાવે નમસ્કાર કરતો નથી તેમ સ્તુતિ કરતો નથી અર્થાત્ કોઈની ખુશામત કરતો નથી તથા તમામ બંધનોથી જે મુક્ત છે તેને દેવો બ્રાહ્મણ જાણે છે. (૨૪) ૧૩. પ્રત્યક્ષ કર્મોને - સરખાવો ગીતા અ ૪, શ્લો૰ ૧૩ : चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः । ૧૮૧ ગુણ અને કર્મના વિભાગ પાડીને મેં ચાર વર્ણની રચના કરી છે અર્થાત્ અમુક ગુણવાળો અમુક કર્મ-પ્રવૃત્તિ-કરે અને અમુક ગુણવાળો અમુક કર્મ કરે. એટલે વર્ણવ્યવસ્થા કેવળ જન્મ ઉપર નિર્ભર નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy