SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ મહાવીર વાણી જડ ક્રિયા કે જેમાં સંયમ કે સદાચરણનો અંશ સરખો ન હોય તે બાબત આપણું ધ્યાન ખેંચે છે અર્થાત્ વેદો તો શું પણ જૈન શાસ્ત્રો વા બીજાં કોઈ શાસ્ત્રો કેવળ મુખ પાઠ કરવાથી કશું વળતું નથી તેમ જ બ્રાહ્મણોને તો શું જૈનોને પણ વા બીજા કોઈ લોકોને પણ કેવળ જમાડવાથી કશું વળતું નથી. તાત્પર્ય એ કે ક્રિયા સાથે સંયમ અને સદાચારનો મેળ હોય તો જ તે ક્રિયા લાભકર છે. જુઓ ધર્મસૂત્ર-ટિપ્પણ ૧૦મું હે રાજા!” તેમાં ભૃગુપુરોહિતના બે પુત્રો વિશે વાત કહેલી છે. તે બન્ને પુત્રો પુરોહિત પિતાને સમજાવવા આ ૧૭૦મું પદ્ય બોલે છે. ૫. સિંહ હરણને - સરખાવો મહાભારત-શાંતિધર્મપર્વ, મોક્ષધર્મપર્વ, અધ્યાય ૧૭૫, પૃ. ૨૯૯માંનો શ્લોક ૧૮,૧૯: तं पुत्रपशुसंपन्नं व्यासक्तमनसं नरम् । सुप्तं व्याघ्रो मृगमिव मृत्युरादाय गच्छति ।। संचिन्वानकमेवैनं कामानामवितृप्तकम् । व्याघ्रः पशुमिवादाय मृत्युरादाय गच्छति ।। સરખાવો ધમ્મપદ ચોથો પુષ્પવર્ગ સ્લો ૪,૫: पुप्फानि हेवं पचिनन्तं व्यासत्तमनसं नरं । सुत्तं गाम महोघो व मच्चु आदाय गच्छति ।। पुप्फानि हेव पचिनन्तं व्यासत्तमनसं नरं । अतित्तं येव कामेसु अंतको कुरुते वसं ।। જેમ વાઘ, મૃગ-પશુ-ને ઢસડીને ચાલ્યો જાય છે તેમ પુત્ર અને પશુઓની સંપત્તિવાળાને તથા વાસનાઓમાં જેનું મન ચોંટી ગયેલ છે તથા જે હજુ ઊંઘમાં છે તથા હજુ તો જે કામોનો સંચય કરતો હોય છે અને કામોથી તૃપ્ત થયેલ નથી તેને મૃત્યુ ઢસડીને ચાલ્યું જાય છે. મહાભારત) સૂતેલા ગામને જેમ પાણીનું મહાપૂર તાણી જાય છે તેમ વાસનાઓમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy