SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જેને પરિણામે વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વમાં શાંતિ સ્થાપવામાં આપણે પણ નિમિત્તરૂપ બનીએ છીએ. સર્વધર્મસમભાવની વૃત્તિનો આવો અદ્ભુત પ્રભાવ છે, એમ સમજીને જ આ આવૃત્તિમાં આપેલાં ટિપ્પણો બધાં એ દૃષ્ટિએ પ્રધાનપણે લખેલાં છે એટલે વિદ્યાર્થીઓ તથા બીન્ન અભ્યાસીઓ પણ એ તરફ વિશેષ લક્ષ્ય આપે એવી નમ્ર ભલામણ છે. આભાર : ૧. તુલનાત્મક ટિપ્પણો આપતી વખતે બ્રાહ્મણધર્મનાં પવિત્ર વચનોનો અને બૌદ્ધધર્મનાં પવિત્ર વચનોનો ઉપયોગ કરવાનો ખ્યાલ મનમાં આવેલો પરંતુ કરુણાથી ભરપૂર વંદનીય શ્રી ઈસુ ખ્રિસ્તનાં અને પયગંબર મહમદ સાહેબનાં વચનોનો ઉપયોગ કરવાનો ખ્યાલ તત્કાળ નહીં આવેલો. માનનીય પંડિત શ્રી સુખલાલજી સાથે આ તુલનાત્મક ટિપ્પણોની વાત કરતો હતો અને તેમને એ ટિપ્પણોનો નમૂનો સંભળાવતો હતો ત્યારે તેમણે તરત જ કહ્યું કે આની સાથે બાઇબલ અને કુરાનનાં વચનોને મૂકીને સરખામણી કરો તો ઘણું વધારે સારું થશે. આ સૂચના મનમાં એકદમ સોંસરવી ઊતરી ગઈ અને તરત જ અહીંના માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયમાં પહોંચ્યો, ત્યાંથી ‘ઈસુ ખ્રિસ્ત અને તેમનો ઉપદેશ' એ નામનું તથા ‘હજરત મહમ્મદ અને ઇસ્લામ' એ નામનું એમ બન્ને પુસ્તક લઈ આવ્યો. તે બન્નેને તત્કાળ વાંચી તેમાંથી ‘મહાવીર-વાણી'માં આવેલાં વચનો સાથે અને ભાવ સાથે સરખાવવાં જેવાં વચનો વીણી કાઢ્યાં અને તે તમામ વચનોનો અહીં યથાસ્થાન ઉપયોગ કરેલ છે. આવી મહામૂલી સૂઝ આપવા બદલ અહીં માનનીય પંડિત શ્રી સુખાલાલજીના નામનું ઉપકાર સાથે સંકીર્તન કરવું એ મારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy