SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ મોક્ષમાર્ગ-સૂત્ર અર્થાતુ જે લોકોને આ પ્રકારની સમજણ નથી એવા અજાણ્યા બીજા લોકો, એવી સમજણ ધરાવનારા પાસેથી સાંભળીને આત્મા વિશે વિચાર કરે છે અને એ રીતે સાંભળવામાં તત્પર બનેલા તેઓ પણ મૃત્યુને તરી જ જાય છે. જેમ મહાવીરવાણીના આ પદ્યમાં શ્રવણને કલ્યાણના જ્ઞાનનું અને અકલ્યાણના જ્ઞાનનું કારણ બતાવ્યું છે તેમ ગીતામાં પણ ઉપરના પદ્યમાં શ્રવણની અગત્ય ઉપર ભાર મૂક્યો છે અને તેને મૃત્યુને તરી જવાનું નિમિત્ત બતાવ્યું છે. ૬. શરીરનાં સુખોનો જ - સરખાવો ધમ્મપદ ત્રેવીસમો નાગવર્ગ સ્લો : मिद्धी यदा होति महाघसो च निदायिता संपरिवत्तसायी। महावराहो व निवापपुट्ठो पुनप्पुनं गब्भमुपेति मंदो ॥ જે સાધક મંદ હોઈન એદી હોય, ખાઉધરો હોય, પાસાં ફેરવી ફેરવીને ઊંઘનારો હોય, ખાણ ખાઈ ખાઈને મોટા ડુકકર જેવો મહાપુટ થયેલો હોય તે વારંવાર જનમમરણના ફેરાને પામે છે. ૭. સરખાવો ઈ. ખ્રિ, ૫, ઉ ર “આ સંસારમાં જે દીન, દુઃખી, નમ્ર, સ્વધર્મના ભૂખ્યા, દયાવંત, પવિત્ર મનના અને શાંતિ અને સંપને વધારવાવાળા છે તે જ ખરેખરા ધન્ય છે; એ જ મોક્ષના અધિકારી છે; એ જ શાંતિ પ્રાપ્ત કરી શકવાના છે." સરખાવો હક મઈ“હું કહું છું કે કોઈ માણસ જે શાંત, સદાચારી અને બીજાના સુખે સુખી રહે છે તે નરકમાં નથી જતો.” (પૃ-૧૩૯). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy