________________
( ૩ ) છે? વાતતિલકા તુ ભેળી છે, તેને કાંઈ પણ ખબર નથી. વિદ્યુતપ્રભ રા જા યથાપિ થોડા આયુષ્યવાળી છે તથાપિ તે આપણી રવામિણીને યોગ્ય છે. તેને મુકીને બીજા રાજાની તારીફ કરે છે માટે તુ મુખ છે. કહ્યું છે કે, “અમૃત ઘોડું પીધુ તે મુખકારક છે ને જોર ઘણું પીવાથી ઘણું દુખ થાય છે એવી રીતે તે બેઉ સખીનુ બોલવું સાંભળીને પવનજરે જાણ્યું કે, આ મિશ્રકેશન બલવાને અજનાએ કાંઈ પણ તિરસ્કાર કર્યો નહીં, તેથી તે એને પ્રિય હશે જે પ્રિય ન હોત તો એ દાસીનો નિધિ કર્યા વિના - હે નહી. પછી ધાયમાન થઈને તથા હાથમાં ખડગ લઈને જેમ કોઈ રાક્ષસ અધારામાંથી નિકળે તેમ તે ત્યાંથી ઉડે અને કહેવા લાગ્યો કે જેના મનમાં આ વિધુ—ભ વર વરવાનું સારું લાગ્યું છે, તેઓનાં ધડથી માથાં આ ળગાં કરીશ. એમ કહીને તે તરફ જવાની તૈયારી કરી, તે વખતે તેને મિત્ર મહસિત તેને કહેવા લાગે કે, હે મિત્ર વિચાર કર્યા વિના કાંઈ પણ કામ કરવું નહી. એમ કહી ઝાલીને તેને રોકો, ને તેને બોધ કરવા લાગો કે હે મિત્ર સી અપરાધી છતાં ગાયની પેઠે મારવા યોગીય નથી તે શું તુ જાણતો નથી ! આ તે બિચારી નિરપરાધી છે, તેને વિના કારણ મારવી એ તને યોગીય નથી. ઈત્યાદિક વાકયો વડે તેને સમજાવીને ત્યાંથી તે બેઉ પાછા ફર્યા, ને પોતાના સ્થાનકે આવ્યા એ વાતનું પવનજયના મનમાં શુળ રહ્યું તેથી તેને રાતમાં ઊઘ આવી નહી. સવાર થતાજ પોતાના મિત્ર પ્રહસિતને બોલાવીને તેને કહેવા લાગી કે આની સાથે વિવાહ કરીને શું કરવાનું છે? કહ્યુ છે કે પિતાને ભાઈ છતા જો જુદાઈ રાખતો હોય તો તે દુખદાઈ થાય છે તો પછી જુદા મનવાળી સ્ત્રીની સાથે વિવાહ કથી શુ તે દુખનું કારણ ન થાય કે અપીતુ થાય માટે હે મિત્ર એની ઈચ્છા મુકી ને હવે જલદી આપણ નગરમાં જ ઈએ તો સારું. કોઈ ભજન ઘણુ સારૂ છતાં જે તે પોતાને ગમતુ ન હોય તો તે શા કામનુ! એવી રીતે ઘણા પ્રકારે ભાષણ કરીને તે ચાલવા લાગી, તે જોઈ તેના પ્રહસિન મિત્ર તેને કહેવા લાગી કે મોટા પુરૂષે જે વસ્તુનું ગ્રહણ કર્યું તે ફરી મુકી દેવી યોગી નથી, ત્યારે પોતાના વડાઓએ ગ્રહણ કરેલી વસ્તુને શુ મુકી દેરી એતો મોટું લાંછન છે.
આ તારા મનમાં જે દુઃખ થાય છે તે કેવળ તારા પ્રારબ્ધવડે થાય છે,