Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
કુજા-કુરેશી ઉમરભાઈ ચાંદભાઈ
ચન્દ્રકલા અને બહુરૂપીબોનું બાર’: ભા. ૨ (૧૯૧૨), ‘જાગતી જાત અથવા ભૂતાનું ઘર' (૧૯૫૪) તથા “અંધારી રાતની છૂપી વાતા થા મામીભાણજ પ્રથમોધ્યાય' (૧૯૧૪)ના કર્તા.
મૃ.મા. દુજા : કુણાનુરાગી સરલા અને કૃષણવિ પિણી તરલા વચ્ચે મુકાયેલી કુબજાના કૃષ્ણપ્રેમને નાટ્યાત્મક ક્ષણામાં વહનું ઉમાશંકર જોશીનું પદ્યરૂપક.
ચં.ટી. કુમાર : જુઓ, દેસાઈ મહેન્દ્રકુમાર મોતીલાલ. કુમારની અગાશી (૧૯૭૫): મધુ રાયની મૌલિક ત્રિઅંકી નાટયકૃતિ.
એનું વરનું અવૈધ જાતીય સંબંધને આલેખનું અરૂઢ છે. હર્ષદ નિશાના સાતેક વર્ષના ઔપચારિક દાંપત્યમાં પતિની બેવફાઈનું વર લેવા નિશા દિયર કુમાર સાથે સંકળાય છે, પરંતુ ભાભીની રાંચલવૃત્તિ જાઈ ચલિત થયેલ કુમાર અગાશીની પાળ પરથી પડતું મૂકે છે. આ કથાને, પાર્ટીના વાતાવરણ વચ્ચે અને કુમારની ફરી સદેહે થતી ઉપસ્થિતિ વચ્ચે રહસ્ય-કથાનકની કક્ષાએ પહોંચાડી છે. કુમારનું મૃત્યુ એ અન્ય લોકો માટે જીવવાનું બહાનું બને છે, એવા મર્મ ઉપસાવી શમનું આ નાટક, એનાં ધારદાર સંવાદા ને જીવંતતાને કારણે તેમ જ મંચનપ્રયોગની આકર્ષકતાને કારણ નોંધપાત્ર છે.
શૈલીમાં લખાયેલું, મહાભારતના યુદ્ધને વિષય બનાવનું મહાકાવ્ય. કૃષણના હાથમાંથી બંસી છોડાવી બહેન સુભદ્રા પાંચજન્ય શંખ મૂકી તેમને સુંદર મટી ભવ્ય બનવા પ્રેરતી હોય એવી, પ્રથમ કાંડ ‘યુગપલટો'ની કવિકલ્પના મોહક છે. બીજા-ત્રીજા કાંડમાં કૃષણવિષ્ટિ અને યુનિર્ધારના પ્રસંગ પતાવી, ચારથી દશ કાંડોમાં કુક્ષેત્રનું યુદ્ધ નિરૂપી, કવિએ અગિયારમે કાંડ ભીમે શરશય્યા પરથી યુધિષ્ઠિરને આપેલા રાજધર્મના ઉપદેશમાં રોક્યો છે. બારમે કાંડ ‘મહાસુદર્શન' પ્રથમ કાંડ જેવી કવિની મૌલિકતાનું હદય-. સંતર્પક દર્શન કરાવે છે. યુદ્ધાન્ત હૃદયમાં ઉભરાયેલા વિવાદ અને પશ્ચાત્તાપમાંથી પાંડવોને બહાર કાઢવા, સંહાર પણ સર્જન જેવી પરમાત્માની કલ્યાણકારી વિશ્વલીલા જ છે- એમ કહી, વ્યાસ એમને પોતાના તપોબળથી વિરાટના મહાસુદર્શનચક્રનું જે દર્શન કરાવી એમને સમાધાનની શાતા આપે છે તેમાં કવિની કલ્પનાને એમનું ચિત્રસર્જક કવિત્વ તથા પ્રભુત્વ પૂરો તાલ આપે છે. ‘મહાપ્રસ્થાન' કૃતિનું સમુચિત સમાપન કરી કાવ્યમાંના વિવિધ રની શાન્તરસમાં વિલુપ્તિ સાધી આપે છે. વસ્તુ મહાભારતનું, પણ નિરૂપણ ને કવિતા પોતાનાં-એ સ્વતંત્ર એવો કવિસંકલ્પ બધા કાંડને સમગ્રપણે અવલોકત સફળતાપૂર્વક પળાયો છે, એ અંદરનાં કેટલાય પ્રસંગેનાં વર્ણન તથા મહાકાવ્યોચિત હામરી ઉપમાચિત્રોથી તેમ જ કવિએ પોતાનાં નાટકો તથા કથાકાવ્યાની પેઠે આ કૃતિમાં પણ મૂકેલાં પ્રસંગલક્ષી અને ભાવદ્યોતક ગીતાથી પ્રતીત થાય છે. પાર્થને કહો ચઢાવે બાણ’, ‘હરિ હારે યુગ ઉછળ નયનનમાં, પેલા સુદર્શનચકના દાંતે દાંતે બેઠેલી જોગણીઓનું ગીત “હરિની રમગાએ અમે નીસર્યા રે લોલ” અને એ જ રહસ્ય બીજી ભાષામાં ઉદ્ગારનું કૃતિનું સમાપ્તિગીત “નભકુળ ફૂદડી ફરે ૨ લેલ આ મહાકાવ્યનાં, તેના રચયિતાનાં, તેટલાં અર્વાચીન ગુજરાતી કવિતાનાં પણ પ્રથમ પંકિતનાં ઊર્મિકાવ્યો છે. સમર્થ કવિની પ્રતિભાને સંસ્પર્શ અનેક સ્થળે હોવા છતાં અહી વામિનાનો અતિરેક, શૈલીદાસ્ય, નિવાર્ય પુનરુકિતઓ, વર્તુવિધાનમાં કયારેક વરતાતી અસંગતિ તેમ જ મહાભારતીય પાત્રોના નિરૂપણમાં ક્યારેક પ્રવેશી ગયેલી પ્રાકૃતતા જોવાય છે.
- અ.રા. કરશી અબ્દુલકરીમ ચાંદભાઈ, 'મુકબિલ કુરેશી' (૨૪-૬-૧૯૨૫): કવિ. બોટાદ જિલ્લાના રાણપુર ગામમાં જન્મ. અભ્યાસ નોનમૅટ્રિક. ૧૯૪૮થી ૧૯૮૩ સુધી ભાવનગરમાં પશ્ચિમ રેલવેમાં કર્મચારી. હાલ નિવૃત્ત.
ઉર્દૂ ગઝલ-પરંપરાના ઢાંચાને જાળવતી ગઝલરચનાઓના બે સંગ્રહ ‘પમરાટ' (૧૯૫૮) તથા 'ગુલઝાર' (૧૯૭૨) માં અનુભૂતિની તીવ્રતા અને ભાષાગત સાદગી નોંધપાત્ર છે,
કુમુદ: ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પ્રશિષ્ટ નવલકથા ‘સરસ્વતીચન્દ્રની નાયિકા. નાયક સરસ્વતીચન્દ્રના ગૃહત્યાગને કારણે પ્રમાદધન સાથે પરણી વૈધવ્ય પામતી અને છેવટ સુધી પ્રેમ અને લગ્નની મર્યાદાને અકબંધ રાખતી સુમાર નારી તરીકે એનું ચિત્રાણ થયું છે.
રાં.ટા. કુમુદકાન્ત : નાટયકાર. અમનાં ઉપદેશપ્રધાન સાત નાટકાના સંગ્રહ ‘નવયુગની નાટિકા' (૧૯૩૫) માં એમણે સડી ગયેલા સમાજનું વાસ્તવદર્શન કરાવ્યું છે; “સ્ત્રીઓની કાઉન્સિલ” એ સ્ત્રીઓની પ્રાકૃતિક નિર્બળતાને ચર્ચનું શિથિલ નાટક છે. “નવયુગ'માં રૂઢિગત જતા અંગે ચર્ચા કરવામાં આવી છે; ‘આંખ આડા કાનમાં સ્ત્રી- પુરષ-મૈત્રી અને વિધવાના પ્રશ્નોનું નિરૂપણ છે; સૂર્યોદય’ નાટક ખેડૂતની દુર્દશાનો ચિતાર આપતું બેધલક્ષી અને પ્રચારલક્ષી, નાટક છે; બંધ બારણ’ નાટક અસ્પષ્ટ વસ્તુવાળું છે અને વિચારભારથી દબાઈ જાય છે; તો લાંબા સંવાદો અને નાટયાત્મકતાના અભાવથી અલગ પડી જતું નાટક ‘કડવો ઘૂંટડો’ કૌટુંબિક પ્રશ્નને રજૂ કરે છે.
શ્ર.ત્રિ. કુમુદચંદ્રાચાર્ય: પદ્યકૃતિ 'કલ્યાણમંદિરતાના કર્તા..
કૌ.. કુરુક્ષેત્ર (૧૯૨૬-૪): બાર કાંડ અને ઉપઘાતરૂપે ‘સમાપંચકી તથા મહાપ્રરથાનના ઉપસંહાર-કાવ્ય સાથે મળીને ચૌદ પુસ્તિકાઓમાં ચૌદ વર્ષના ગાળામાં પ્રગટ થયેલું કવિ ન્હાનાલાલનું ડોલન-
કુરેશી ઉમરભાઈ ચાંદભાઈ, ‘કિસ્મત', ચાંદસુત' (૨૦-૫-૧૯૨૧): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૪૧માં મૅટ્રિક. ૧૯૪૧ માં સેન્સસ
ઑફિસમાં અને ૧૯૪૨-૪૩ માં તારટપાલ ખાતામાં કલાર્ક. ૧૯૪૪-૪૬ દરમિયાન 'કહાની' માસિકના સહતંત્રી. ૧૯૪૯ થી ૧૯૮૧ સુધી ભાવનગર નગરપાલિકામાં ટાઇપિસ્ટ. ૧૯૮૧-૮૨માં
ગુજરાતી સાહિત્યકોશ-૨ : ૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org