Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 595
________________ શાહ મગનલાલ નાગરદાસ - શાહ મંગળદાસ મનસુખરામ શાહ મગનલાલ નાગરદાસ: “મેત્રાણાતીર્થનાં ઢાળિયાં અને સ્તવન' (૧૯૦૨)ના કર્તા. ૨.ર.દ. શાહ મગનલાલ મોતીરામ : “બાળગરબાવળીની નોટ’ (૧૯૧૦)ના કર્તા. મૃ.મા. શાહ મગનલાલ લક્ષમીચંદ : ‘અહિ-મહિ રાવણ આખ્યાનનાં ગાયન’ (૧૮૯૦)ના કર્તા. મૃ.માં. શાહ મગનલાલ હઠીસંગ: પદ્યચરિત્ર “રત્નસાર ચરિત્ર સલકા સંગ્રહ' (૧૮૯૯) તેમ જ અનુવાદ “શ્રી મુનિપતિ ચરિત્ર સંગ્રહ (૧૮૯૯)ના કર્તા. મૃ.માં. શાહ મગનલાલ હરિલાલ:જગારસિંહ અને જયકુમારી દુ:ખદર્શક ત્રિઅંકી નાટક' (૧૮૯૪)ના કર્તા. મૃ.માં. શાહ મગનલાલ હીરાચંદ : ‘કાન્હડ કઠિયારા ચરિત્ર' (૧૯૧૬)ના ' કર્યા. મૃ.માં. શાહ મણિલાલ ચુનીલાલ: સુશીલા નાટકનાં ગાયનો' (૧૯૦૩)ના કર્તા. મૃ.માં. શાહ/લેખડિયા મણિલાલ છોટાલાલ, મુસાફર’ : પદ્યકૃતિ ‘વિલસુના કર્તા. મૃ.મા. શાહ મણિલાલ ન્યાલચંદ : નવલકથાઓ ચતુર સ્ત્રીને ચીડિયો ભરથાર' (૧૯૧૩), “સાચી ટેકની ગેબી ફત્તેહ અથવા કાન્હડ કઠિયારો (૧૯૧૫), બપ્પભટ્ટસૂરિ'- ભા. ૧, ૨ (૧૯૨૬,૧૯૨૭), ચંપક-શેકી' (૧૯૨૮), ‘વ્રજસ્વામી અને જાવડાશાહ(૧૯૩૩), શ્રીમહાવીર અને શ્રેણીક' (૧૯૩૩), ભીષ્મપ્રતિજ્ઞા'(૧૯૪૪), ‘નરનારાયણ યાને કંસવધ' (૧૯૪૮), ‘પેથડકુમાર-માંડવગઢને મંત્રી’ વગેરેના કર્તા. મૃ.માં. શાહ મનસુખદાસ મૂળચંદદાસ : ‘નવીન સુંદર ગરબાવળી’ન કર્તા. મુ.મા. શાહ મનસુખભાઈ ભગુભાઈ: નવલકથા 'કાન્તારસુંદરી'-ભા. ૧ (૧૯૦૬)ના કર્તા. મુ.મા. શાહ મનુભાઈ બબલદાસ (૧-૫-૧૯૩૮): કવિ. જન્મ ખેરાલુ તાલુકાના કરબટિયામાં. એમ.એ., બી.કોમ. બી. ડી. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક. ‘ઝંખના'(૧૯૮૫) એમના કાવ્યસંગ્રહ છે. ઉપરાંત ભારતને ઇતિહાસ (૧૯૭૬) પુસ્તક પણ એમણે આપ્યું છે. ચંટો. શાહ મનુભાઈ સુખલાલ : બાળવાર્તાઓ “બચુબેનની ઢીંગલી' (૧૯૫૧), 'ઊડનું બુલબુલ' (૧૯૫૧), “ચકલીનાં ઈંડાં' (૧૯૫૧), ‘ફૂલપાંખડી' (૧૯૫૧) વગેરેના કર્તા. મૃ.માં. શાહ મનોજકુમાર કનૈયાલાલ (૧૮-૧૦-૧૯૩૮): નવલકથાકાર. જન્મ નડિયાદ (જિ. ખેડા)માં. અભ્યાસ પ્રથમ વર્ષ વિજ્ઞાન સુધી. નડિયાદમાં છીંકણી-તમાકુના વેપારી. એમની પાસેથી નવલકથાઓ ‘દિલના દીપક' - ભા.૧(૧૯૬૭), ‘પાલવ પાછળ (૧૯૬૯), “બદનામી' (૧૯૭૧), કંકણને અવાજ (૧૯૭૨), 'સ્નેહના અભિનય'- ભા. ૧-૨ (૧૯૭૩) અને ‘પાલવ બાંધી પ્રિત' (૧૯૭૩) મળી છે. મૃ.માં. શાહ મહાસુખ ચુનીલાલ: ‘પોકેટ ડિકશનરી - ગુજરાતી ઍન્ડ ઈગ્લીશ” (અન્ય સાથે ૧૮૯૨)ના કર્તા. મુ.મા. શાહ મહીપતરાય જાદવજી : નવલકથા ‘મુકિતના મંદિરમાં (૧૯૪૨)ના કર્તા. મૃ.માં. શાહ મહેન્દ્રકુમાર : ચરિત્રકૃતિ રવીન્દ્રનાથ ઠાકુર (૧૯૬૬)ના કર્તા. મૃ.મા. શાહ મહેન્દ્રકુમાર બાબુલાલ (૨-૧૦-૧૯૩૬): જન્મ મુંબઈમાં. ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૬૭માં પીએચ.ડી. એમની પાસેથી શોધપ્રબંધ ‘પ્રદ્ય મ્નકુમાર પાઈ' (૧૯૭૮) મળ્યો છે. મૃ.માં. શાહ મહેશ નાનાલાલ, શીતલ શાહ (૨-૪-૧૯૪૭) : કવિ. જન્મ મુંબઈમાં. ૧૯૬૫માં એસ.એસ.સી. ૧૯૭૮માં બી.એ. ૧૯૮૦માં એમ.એ. “સમર્પણ” માસિકના સહાયક સંપાદક, જનશકિત દનિકમાં સમાચાર-ચાંપાદક તથા બાલભારતી જનિયર કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામગીરી કર્યા બાદ હાલમાં આકાશવાણીના મુંબઈ કેન્દ્રમાં ઉદ્ઘોષક. ‘શરૂઆત’ (૧૯૮૨) એમનો કાવ્યસંગ્રહ છે. ચંટો. શાહ મંગળદાસ જોઈતારામ: કથાકૃતિઓ “ચતુરસુંદર સ્ત્રીવિલાસ' (૧૯૨૩), ‘અસલ મોટી ગજરા મારુની વાર્તા' (૧૯૨૫), ઢોલામારુની વાર્તા' (૧૯૨૮), હલામણ જેઠવો અને સનરાણી' (૧૯૨૮), શૂરવીર છેલ જરાર અને સતી મુમનાની વાર્તા (૧૯૨૮), દેવતાઈ પલંગ' (૧૯૩૧) તેમ જ ચરિત્રકૃતિ ‘મહાત્મા કબીરદાસ' (૧૯૨૮)ના કર્તા. મૃ.મા. શાહ મંગળદાસ દામોદરદાસ : 'બ્રહ્માણી માતાજીનાં ગાયને (૧૯૧૪)ના કર્તા. મૃ.માં. શાહ મંગળદાસ મનસુખરામ: પદ્યકૃતિ (૧૯૩૭)ના કર્તા. જૈન કુસુમાવળી’ મુ.માં. ૫૮૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654