Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 479
________________ મહેતા અત્યે સાંકળેનાર મહેતા સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા સત્યેન્દ્ર સાંકળેચર(૧૮૯૨, -: નવાકાર. અંગ્રેજી છ પૅરણ સુધીનો અભ્યાસ, એમણે ‘કુમુદકુમારી’, ‘પાત્રતા', 'તરુણ તપસ્વિની' ૫, ૧, ૨ (૧૯૧૫, ૧૯૧૭), ‘કાળરાત્રિ'-ભા. ૧-૨ (૧૯૧૫), ‘વસંત વિ’- ભા. ૧-૪ (૧૧૮-૧૯૨૧), 'ઝેરી માનો'- ભા. ૧-૫ (૧૯૨૧), 'કેંગારમારી’- ભા. ૧-૨ (૧૯૨૨), 'વાહિની’ ભા. ૧-૮ (૧૯૨૩), 'શ્મકાંત'-ભા. ૧,૨,૩(૧૯૧૮, ૧૯૨૦, (૧૯૨૨), રત્નપુરની બા', 'જોરી', ‘મળાવી મેશિની', 'સિક્કિમની વીરાંગના’(૧૯) ભુત યોગિની’(૧૯૨૩), 'શહીદોની સૃષ્ટિ’(૧૯૩૧), 'આદર્શ રમણી', 'રાબૂત પ્રતિજ્ઞા (૧૯૩૩) તથા ‘જુલમી રાજા’, ‘બહાદુર બાળા’, ‘કાળરાત્રિનું ખૂની ખંજર’અને રાજસ્તાનના ગયાને ભેદી ખંડેર' જેવી દીધું નવગ કથાઓ આપી છે. આ પૈકી કેટલીક કૃતિઓ પરથી ચિત્રનું નિર્માણ પણ થયું છે. મહેતા સરોજિની નાનક(૧૨-૧૧-૧૮૯૪, ૧૯૭૭) : જન્મ અમદાવાદમાં. રમણભાઈ નીલકંઠનાં દીકરી. ૧૯૧૪માં અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજમાંથી મૅટ્રિક. ૧૯૧૯માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૨૩માં લંડન સ્કૂલ ઑવ ઇકોનોમિક્સમાં સમાજ શાસ્ત્રનો અભ્યાસ. ૧૯૨૪માં વનિતાવિશ્રામ, અમદાવાદનાં પરિન્ટેન્ડન્ટ, ૧૯૩૦માં એમ.એ. 2.2.2. ‘અમરવેલી’(૧૯૫૪) એમની કબરયાની નવકથા છે. ‘એકાદશી’(૧૯૩૫), ‘ચાર પથરાની મા’(૧૯૫૩) અને ‘વળતાં પાણી’(૧૯૬૨) એમના વાર્તાસંગ્રહો છે. ‘સ્ત્રીસ્વાતંત્ર્યવાદ’(૧૯૨૭), ‘ગુજરાતની લગ્નવ્યવસ્થા અને કુટુંબસંસ્થા’(૧૯૩૪), ‘બાળલગ્નનો બુરો રીવાજ’(૧૯૩૪), ‘સંસારના રંગ’(૧૯૫૩), ‘ગૃહજીવનમાં સ્ત્રીનું સ્થાન’(૧૯૫૮) વગેરે એમના સમાજવિષયક ગ્રંથો છે. ‘પ્રેમરસૌરા’(૧૯૫૧)માં એમણે પ્રેમગીયા મહેતાના લેખો અને તેમનાં સ્વજને તરફથી તેમને અપાયેલી લિઓને સંપાદન કર્યા છે. ચંટો. મહેતા સિતાંશુ યશશ્ચન્દ્ર (૧૮-૮-૧૯૪૧): કવિ, નાટકકાર, વિવેચક, જન્મ ભુજમાં, માધ્યમિક શિક્ષણ વર્ડ દરા-મુંબઈમાં, મુંબઈની સેન્ટ સેવિયર્સ કોલેજમાંથી ગુન્ચેની સંસ્કૃત વિષયો સાથે બી.એ. એ જ વિષયોમાં ૧૯૬૫માં એમ.એ. ૧૯૬૫થી ૧૯૬૮ સુધી ગુજ રાનીના અધ્યાપક. ૧૯૬૮માં કુલબ્રાઇટ સ્કોલરશીપ આર્થ અમેરિકા જઈ ૧૯૩૦માં સૌદર્શઘાસ અને તુલનાત્મક સાહિત્યમાં એમ.એ. -ની ઉપાધિ મેળવી. ડૉ. ન્યૂટન પી. સ્ટોલનેસ્ટના માર્ગદર્શન હેઠળ “નાટયાચાર્ય ભરતની અને ફિરાકાની પરંપરામાં કલાસ્વરૂપનો વભાવ' એ વિષય પર ૧૯૭૫માં પીએચ.ડી. ભારત પાછા ફર્યા પૂણે એક વર્ષ ફાંસમાં નિવાસ. ફોર્ડ ફવ શિપ હેઠળ ન્યા આયોનેસ્કોના 'મેકબેથ' નાટકને ગુજરાતીમાં ઉતાર્યું; અને શૅક્સપિયરના 'મોચ' સાથે એનો તુલનાત્મક અભ્યાસ કર્યો, ભારત પાછા ફર્યા બાદ ૧૯૭૨-૭૭ દરમિયાન મીઠીબાઈ આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૭માં સાહિત્ય અકાદમી, ટ: ગુાતી આહિત્યકોશ - ૨ Jain Education International દિલ્હી તરફથી તૈયાર થનાર ‘ભારતીય સાહિત્યની જ્ઞાનકોશ'ના મુખ્ય સંપાદક તરીકે નિમણૂક, ૧૯૭૭માં જ રામપ્રસાદ બક્ષીના માર્ગદર્શન હેઠળ ‘રમણીયતાનો વાગ્વિકલ્પ' વિષય પર મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૮૩થી એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ. ૧૯૮૭ના સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. પ્રતીકો અને પ્રતિરૂપી કાર્યકારણની શૃંખવા પાં, એ સાથે ભાષાની પૂર્વ શકયતાનો જે પ્રદેશ ખૂલ્યો એમાં આ કવિનો એમના પણ પોતીકા કાળાપર સાથે રિયાલિઝમનો માર્ગ સ્વીકાર્યો. ઈસ્યુનું લેસું'(૧૯૭૪) આ કવિને અને આધુનિક ગુરૂની વિનાના મહત્ત્વનો કાવ્યસંગ્રહ છે. નહીં કવિ શુદ્ધ મનોગત સ્વયંસંચલનોને, સ્વયંસ્ફુરણને, સ્ફુરણઆલેખાને, સ્વપ્નસૃષ્ટિને, માહનને, તો, અનૈતિહાસિક સમયને, ઉર્દૂ શપૂર્વકની અસંગતિને, તરંગલીલાને, ઇન્દ્રિયભ્રમાન અનુસરે છે. ઇલિઝમના સ્પ્રિંગાની આ વ ઘણી રચનાઓની ઊંચાઈને પામ્યા છે. ‘સંસ્કૃતિ” (ગસ્ટ, ૧૯૩)માં પ્રકાશિત 'માંએ જોડી આ કવિની સરિયલ રચનાકૌશલની ઉત્તમ સિદ્ધિ દાખવે છે. આ પછી આધુનિક ચેતનાથી મધ્યકાલીન સામગ્રીનો વિનિયોગ કરવા તરફ ફંટાયેલી એમની પ્રતિભાએ સરિયલથી દૂર જઈ અનેક રચનાઓના પ્રયોગ પછી ‘જટાપુ’ (‘સંજ્ઞા’ : જુલાઈ, ૧૯૭૬)માં આખ્યાનના પરંપરિત સ્વરૂપને તદ્દન અપૂર્વનાથી પ્રતિમા શમી છે. ો પછી 'પ્રય' (‘સંસ્કૃતિ' : કટો.સે., ૧૯૮૪) જેવી દીર્ઘ રચના યૌન પરિપ્રેક્ષ્યમાં વૈશ્વિક પરિમાણ પર પરિણામ સિદ્ધ કરવા સમર્થ પ્રયત્ન કર્યો છે. ટૂંકમાં, આધુનિક કવિઓમાં આ કવિના અવાજ અગ્રેસર છે. આ સર્વ રચનાઓ એમના મહત્ત્વનો કાવ્યસંગ્રહ ‘જટાયુ’(૧૯૮૬)માં સંકલિત થયેલી છે. ‘સીમાંકન અને માળધન (૧૯૭૭)ના વિવેચનલેખોમાં સૌંદર્યમીમાંસાની શોધ છે. 'ભાકર, પ્રતીક અને અનુભવ'થી માંડી ઉમાશંકર જોશી અને એલન ગિન્સબર્ગની કવિતાનો અહીં મળતા તુલનાત્મક અભ્યાસ એક કવિચિંતકની ઉપલબ્ધિ છે. રમણીયતાના વવિક્લ્પ'(૧૯૭૯) એમનો મહિનબંધ છે; પરંતુ નાના ફલક પર તુલનાત્મક સૌંદર્યમીમાંસના વિષયમાં મૂળભૂત વિભાવા અહીં તલસ્પર્શી રીતે ચર્ચવામાં આવ્યા છે. પાશ્ચાત્ય દૃષ્ટિએ રહેલા 'નાર'ના સપ્રયને અને ભારતીય અલંકારશાસ્ત્રની પરંપરામાં રહેલા રમણીયતાના સંપ્રત્યયને અહીં તાત્ત્વિક, ઐતિહાસિક અને તુલનાત્મક ભૂમિકા પર મૂલવવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રકાશિત છનાં ભજવાયેલાં નાટકોમાં રેડિયાનાટક ‘કેમ મકનજી કર્યાં ચાલ્યા ? – અમે અમથાલાલને ત્યાં ચાલ્યા', ટોમાં હાડીની વાર્તા પરથી યેલી નાટ્યકૃતિનું રૂપાંતર ‘વૈશાખી કોયલ',પિટર શેકો. એકવા' પર આધારિત 'તોખાર' મહત્ત્વનાં છે. ‘આ માણસ મદ્રાસી લાગે છે’ અને ‘ગ્રહણ’ એમનાં અદ્યાપિ અપ્રકાશિત મૌલિક નાટકો છે. ‘નાટયકેસુડાં’ એમનું સંપાદન છે. ચં.ટા. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654