Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
મૅટ્રિક. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૩૨માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી વિષયોમાં એમ.એ. દરમિયાન ૧૯૩૨ થી બે વર્ષ શામળદાસ કોલેંજમાં ફે ર પછી મુંબઈમાં મદદસ્તાન પુત્તમિત્ર' દૈનિકમાં ઉપતંત્રી તરીકે ત્રણેક માસ કામ કર્યું. ઑગસ્ટ ૧૯૩૪થી અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. એ પછી જામનગરની ડી. કે. વી. કૉલેજમાં દોઢેક વર્ષ આચાર્ય. ત્યારબાદ એક દશકો ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણની કામગીરી. ૧૯૭૦માં ભાષાનિયામક પદેથી નિવૃત્ત. નિવૃત્તિ પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે નિમાયા અને સાડા છ વર્ષ એ સ્થાને કામગીરી બજાવી, ૧૯૭૭માં ભાષાસાહિત્ય ભવનના અધ્યક્ષપદેથી નિવૃત્ત. ત્યારબાદ એમણે ગુજરાત સરકારના લો કમિશનમાં સભ્ય તરીકે સેવાઓ આપી. ગુજરાતી સાહિત્ય પરિષદના, વડોદરામાં ૧૯૯૭માં મળેલા ત્રીસમા અધિવેશનના બિનહરીફ પ્રમુખ. ૧૯૫૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૪ન સાહિત્ય અકાદમીના વાડી
મને થમ વિવેચનસંગ્રહ 'સાહિત્યવિહાર’ ૧૯૪૬માં પ્રગટ થયેલા, તે પછી અનુક્રમે ‘ગંધાક્ષત’(૧૯૪૯), ‘સાહિત્યવિવેક’ (૧૯૫૮), ‘સાહિત્યનિક્ષ’(૧૯૫૮), ‘સમીક્ષા’(૧૯૯૨), સમા લોચના '૧૯૬૬), 'રાધમ વામ'(૧૯૬૭), 'તારતમ્ય' (૧૯૭૧), ‘ઉન્મૂલન’(૧૯૭૪) પ્રગટ થયા. એમણે કોઈ એકાદ સાહિત્યસ્વરૂપનું જ વિવેચન કર્યું નથી; એમની વિવેચક તરીકેની નિલિત ને લિધોતર બંને પ્રકારનાં સાહિત્યસ્વરૂપોમાં લગભગ એકસરખી છે. એમના વિભિન્ન વિવેચનસંગ્રહોમાં કવિતા, નાટક, ટૂંકીવાર્તા, નવલકથા, ચરિત્ર વગેરે વિવિધ સાહિત્યપ્રકારનાં પુસ્તકોનો પ્રવેશકો છે; અધ્યયનરાધા માટે લખાયેલા લેખ તથા યુનિવર્સિટી પાપાનો છે; આકાશવાણી માટે અપાયેલા વાર્તાગાપો છે તથા સામિયકોમાં કરેલાં લાંબાં-ટૂંકાં અવાકો છે. ગુજરાત સાહિત્ય સભા માટે એમણે ૧૯૩૭, ૧૯૪૫, ૧૯૪૬, ૧૯૪૭ની વાર્ષિક વાગિયરામીક્ષાનું કાર્ય કરવું. આ ચારેય વાર્ષિક સમીક્ષાનો 'ગર્થ વાઙમય' (૧૯૬૭)માં પ્રગટ થઈ છે. 'કવિવર્તી ન્હાનાલાલ' (૧૯૮૫)માં એમના કવિ નારાવ પરનો સર્વગ્રાહી અભ્યાસ છે.
ઊંડી નિષ્ઠા, સાંગોપાંગ નિરૂપણ, ઝીણુ અને ઊંડું નિહાળતી વૈધક દૃષ્ટિ, વિશાળ સમભાવ એ એમના વિવેચનની લાક્ષણિકતા છે. ‘ઉપચય’(૧૯૭૧) એમનો વિવિધ પ્રયોજનને લખાયેલી શિક્ષણ, સંસ્કૃતિ, સાહિત્યવિશેનાં તથા સાતત્યકારોને અર્થરૂપ લખાયેલ છત્રીસ ત્રેખા વનોના સંગ્રહ છે. સંગ્રામનાં સાહિત્યેતર લખાણોના કેન્દ્રમાં પણ તેઓ સાહિત્યમીમાંસક જ રહેલા છે.
‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાલીન’(૧૯૫૪)માં સાહિત્યના ઇતિહાસની દૃષ્ટિ-પાયો કેન્દ્રમાં રાખીને એમણે મધ્યકાળની રાજકીય, સામાયિક પ્રમાદભૂ, એ સાહિત્યની લાક્ષણિકતાઓમાઁદાઓ, વિવિધ સાહિત્યસ્વરૂપા વગેરેની ચાર પ્રકરણોમાં ચર્ચ કરી છે ને પછીનાં આઠ પ્રકરણોમાં શતકવાર વ્યક્તિલક્ષી હિત્યસર્જનને પચ કરાયો છે. અનેક વિજયોની વિશદ-૫ન માત
Jain Education International
રાવળ ઉપેન્દ્ર ઉમિયાશંકર રાવળ કનુભાઈ
તેમાં છે ને છતાં શૈલીની સમતાની જાળવણી સાથે, સર્વ વર્ણવિષય અંગેનાં બાહિતી મૂલ્યાંકન તારણ-સૂચન તેમાં સહજસુલભ છે.
સંપાદક તરીકેની એમની કામગીરી પણ ખાસ ઉલ્લેખનીય છે, “બોટાદકરની કાવ્યસરિતા' (૧૯૫૬), 'ન્હાનાલાલ મધુકોશ' (૧૯૫૯), ‘નળાખ્યાન’(૧૯૬૦), 'ગુજરાતીનો એકાંકીસંગ્રહ' (૧૯૬૦), ‘સ્નેહમુદ્રા’(૧૯૬૦), ‘મદનમોહના’(૧૯૬૬), “કલાપીનો કાવ્યકલાપ' (૧૯૭૪), ‘ચૂનીલાલ વ. શાહની શ્રેષ્ઠ વાર્તા' વગે. એમાં માત્ત્વનાં સંપાદન છે. એમની સહ સંપાદનોમાં ‘બુદ્ધિપ્રકાશ - શેખસંગ્રહ'- ભા. ૧-૨, પ્રેમાનંદકૃત ‘ચંદ્રહાસાખ્યાન', ‘રમણલાલ દેસાઈની કોક વાર્તાઓ’, ‘વિશી ન્હાનાલાલ સ્મારકણુથ', નખલાલ ઝવેરીની કાવ્યસુષમા', 'કરસનદાસ માણેકની અક્ષર આરાધના', ‘કાલેલકર અધ્યક્શન', ‘સરકારી વાચનમાળા’ : ૧-૪, ‘દી. બ. નર્મદાશંકર મહેતા સ્મારકગ્રંથ’ વગેરે મુખ્ય છે. ૨. વ. દેસાઈકૃત નવલકથા ‘ગ્રામલક્ષ્મી’નો સંક્ષેપ પણ એમણે કર્યો છે; સાહિત્ય અકાદમી માટે “સાહિત્યચર્ચા’(૧૯૮૧)નું સંપાદન કર્યું છે; ૧૯૯૪માં ‘અરસિંહ મહેતાનાં પદો”નું પણ સંપાદન કર્યું છે. આ સંપાદનો નિમિત્તે એમણે વિસ્તૃત પ્રવેશકો લખ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદે બહાર પાડેલ ‘ગુજરાતી સાહિત્યના ઇતિહાસ'ના ચોથા ભાગનું સંપાદન એમણે ઉમાશંકર જોશી વગેરે સાથે કર્યું છે. આ ઉપરાંત એમણે વિશ્વનાથ મ. ભટ્ટની સાથે ‘ટોલ્સટોયની નવલિકાઓ’મા અનુવાદ કર્યા છે તથા જે. ડી. પાઠક સાથે “આહારવિજ્ઞાન’નામનું પુસ્તક લખ્યું છે. એમણે ‘ચા ઘર’(૧૯૪૪)માં વાર્તાઓ આપી છે.
પ્ર.બ.
રાવળ ઉપેન્દ્ર ઉમિયાશંકર, 'માલ'(૨૫-૨-૧૯૩૯) : કવિ. જન્મ મુંબઈમાં. ૧૯૫૬માં એસ.એસ.સી. ૧૯૮૨માં હોમિયોપથીમાં આર.એમ.પી. પ્રારંભમાં ફૉર્બસ ગુર્જાની સભામાં ગ્રંથપાલ કલાર્ક અને પછી પ્રાથમિક શાળામાં શિક્ષક.
કાવ્યસંગ્રહ ‘શુકિત’(૧૯૬૬), બાળકાવ્યસંગ્રહ ‘છબછબિયાં’ (૧૯૭૦), સંપાદનગ્ ́વ ‘વડલીવાધ'(૧૯૭૯) વગેરે પ્રકાશને એમના નામે છે.
રો.
રાવળ ઊમિયાશંકર જીવતરામ : પદ્યકૃતિ ‘ઘડનાથ મહાદેવના ગરબા’ તથા ‘કિશોર-કાન્તા નાટકનાં ગાયનો’(૧૯૦૬)ના કર્તા, ૨૨.૬. રાવળ કન્તુ, ‘આવેશ’ : ગીત, ગઝલ અને ભજનાનો સંગ્રહ ‘સારંગા’ (૧૯૭૬)ના કર્તા.
...
રાવળ કનુભાઈ : ‘હિતોપદેશ'ના કવાપ્રસંગો પર આધારિત ગાધક બાળવાર્તાઓ ‘દેખાદેખીનું પરિણામ'(૧૯૮૧), 'બમાં ત્રીજા હાથે' (૧૯૯૧), ‘રૂપાની ઘાટી (૧૯૮૧) અને ઉદર વાઘ બન્યા (૧૯૮૧)ના કર્તા.
વા
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૧૭
For Personal & Private Use Only
www.jainellbrary.org