Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 454
________________ મલબારીનાં કાવ્યરત્ન - મશરૂવાળા કિશોરલાલ ઘનશ્યામલાલ મલબારીનાં કાવ્યરત્ન (૧૯૧૭) : મલબારી બહેરામજી મહેરવાનજીના કાવ્યગ્રંથોમાંથી અરદેશર ફરામજી ખબરદારે ચૂંટી કાઢેલી કવિતાઓનો સંગ્રહ. એમાં ‘ઈશ્વરસ્તુતિ અને કુદરતી, ‘રનેહ સંબંધી', “સંસારસુધારો', “સ્વદેશસેવા સંબંધી’, ‘નીતિ સંબંધી', “નામાંકિત મનુષ્યો સંબંધી’, ‘સંસારની વિચિત્રતા', ‘ઈશ્વરજ્ઞાન અને ભકિત', ‘હિંદી કાવ્યો', ‘પારસી શૈલીનાં કાવ્યો વગેરે શીર્ષક હેઠળ કુલ ૧૬૮ જેટલી રચનાઓ સમાવી છે. આ કવિની રચનાઓમાં સુધારક, વિચારક અને નીતિવાદી છાયાઓ જોવાય છે. પ્રારંભમાં શામળ અને દલપતરામની ભાષાને ભાસ, છતાં પછીથી શિષ્ટ ગુજરાતીની પ્રૌઢિ એમની રચનાઓમાં પ્રગટેલી. સંસારસુધારો અને દેશભકિત એમનાં ઘણાંખરાં કાવ્યનાં મૂળ છે. ચંટો. મલયાનિલ: જુઓ, મહેતા કંચનલાલ વાસુદેવ. મલિક મુહમ્મદ : કાવ્યસંગ્રહ “લતા ' (૧૯)ના કર્તા. નિ.વા. મણૂદાસ : પદ્યસંગ્રહ ભકિતપ્રકાશ' (૧૯૨૮)ના કર્તા. નિ.વા. મલિક ગુરુદયાળ (૧૮૯૭, ૧૯૭૦): કવિવર રવીન્દ્રનાથ, દીનબંધુ ઍન્ડ છે અને ગાંધીજીના અંતેવાસી. માતૃભાષાનું પૂરતું જ્ઞાન, ઉપરાંત અંગ્રેજી, હિંદી, બંગાળી, ગુજરાતી અને મરાઠીના જાણકાર, અપરિગ્રહી અને શાંતિના ચાહક, શિક્ષક. કેન્સરથી અવસાન. બાપયોગી પ્રસંગકથઓના સંગ્રહ ‘ગાંધીજી સાથે જીવનયાત્રા’ એમના નામે છે. થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના પહેલા મહામાત્ર, આ અરસામાં એમને કાકાસાહેબ કાલેલકર મારફતે, આશ્રમમાં કેદારનાથજીને પરિચય થયો. એમની સાથેની ચર્ચાવિચારણાનોના પરિપાકરૂપે, સાંપ્રદાયિક શ્રદ્ધાઓ કે પરંપરાપ્રાપ્ત માન્યતાઓને વિવેકદૃષ્ટિથી, શાંત અને સ્થિર ચિત્ત ચકાસી, તેમાંથી જીવનેન્ક સાધક સત્યનું જ ગ્રહણ કરવાની આત્મશકિતને ઉદય થયે. જીવનના અને અધ્યાત્મના પ્રશ્નોને જોવાની, સમજવાની અને ઉકેલવાની એમની દૃષ્ટિમાં આથી આમૂલ પરિવર્તન આવ્યું. ૧૯૩૪ થી ૧૯૩૮ સુધી ગાંધી સેવા સંઘના પ્રમુખ. દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેતાં ૧૯૩૦, ૧૯૩૨ તથા ૧૯૪૨ માં વધતાઓછા પ્રમાણમાં કારાવાસ. ૧૯૪૬ થી જીવનપર્યત “હરિજન” પત્રના તંત્રી. એમની લેખનપ્રવૃત્તિનો ગંભીરતાપૂર્વકનો પ્રારંભ, પોતાના મંથનકાળમાંથી બહાર આવ્યા ત્યારપછી એટલે કે ૧૯૨૨ પછીથી થયો છે. કેળવણીવિષયક ચિંતન, ગાંધીજીના વિચારોની સમજતી, વૈયકિતક અને સામાજિક અભ્યદય માટેનું દિશાસૂચન તથા યોગ, સાધના, અવતાર, ઈશ્વર વગેરે અંગે વિવેકપૂત, તર્કશુદ્ધ, વિશદ અને નિખાલસ રજૂઆત–આ બાબતને એમના લેખનમાં વધુ ઝોક રહ્યો છે. તેઓ સત્ય અને અસત્યની, શ્રેયસ્ અને અશ્રેય ની સૂક્ષ્મ વિવેકદૃષ્ટિએ જીવનને અવલોકતા રહ્યા છે, તેને નિબંધરૂપે પ્રગટ કરતા રહ્યા છે, પરિણામે એક શાંત, સ્વચ્છ, નિર્દભ, લોકહિતૈષી નિબંધકાર તરીકે બહાર આવ્યા છે. એમની ગદ્યશૈલી શીલસમૃદ્ધ છતાં સરલ, પારદર્શક અને જોમવતી છે. રામ અને કૃષ્ણ' (૧૯૨૩), ‘ઈશુખ્રિસ્ત’(૧૯૨૫), ‘બુદ્ધ અને મહાવીર' (૧૯૨૬), ‘સહજાનંદ સ્વામી' (૧૯૨૬) વગેરે ચરિત્રાત્મક નિબંધોમાં એમણે અવતાર લેખાતા જે તે મહાપુરુષના માનવીય ગુણોનું પ્રતીતિક્ર આલેખન કર્યું છે. સાધક ને ચિંતક તરીકેની એમની સીમાસ્તંભરૂપ, યાદગાર અભિવ્યકિત ‘જીવનશોધન' (૧૯૨૯) તથા સમૂળી ક્રાંતિ' (૧૯૪૮) -માં જોવા મળે છે. ગાંધીવિચારદોહન' (૧૯૩૨), ‘અહિંસાવિવેચન’ (૧૯૪૨), ‘ગાંધીજી અને સામ્યવાદ' (૧૯૫૧) વગેરેમાં ગાંધીવિચારના ભાષ્યકાર તરીકેના એમના સામર્થ્યનાં દર્શન થાય છે. કેળવણીકાર તરીકેની એમની સૂક્ષ્મ તેમ જ મૌલિક દૃષ્ટિને પરિચય કેળવણીના પાયા(૧૯૨૫), ‘કેળવણીવિવેક' (૧૯૪૯) અને ‘કેળવણીવિકાસ' (૧૯૫૦) એ ગ્રંથત્રિપુટીમાં થાય છે. ઔદ્યોગિક સમાજમાં વિસંવાદી લાગે તેવા વિચારો દર્શાવતું ‘સ્ત્રીપુરુષમર્યાદા' (૧૯૩૭) ઉપરાંત ગાંધીવાદીઓ પરના કટાક્ષલેખને સંઘરનું ‘કાગડાની આંખે' (૧૯૪૭), ક્રાંતિકારી વિચારણા પ્રગટ કરતું અને પ્રચલિત વિચારોમાં રહેલા દોષોને ખુલ્લા પાડનું “સંસાર અને ધર્મ' (૧૯૪૮) એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે. ખલિલ જિબ્રાનકૃત ‘ધ પ્રેફેટ’, તેલયકૃત 'ધ લાઇટ શાઇન્સ ઇન ડાર્કનેસ', મેરિસ મૅટરલિંકકૃત “ધ લાઇફ ઓવ ધ વ્હાઇટ એ” અને પેરી બર્જેસકૃત હું વૅક ઍલેન ગ્રંથોનાં અનુક્રમે ‘વિદાયવેળાએ' (૧૯૩૫), ‘તિમિરમાં પ્રભા' (૧૯૩૬), 'ઊધઈનું જીવન' (૧૯૪૦) અને માનવી ખંડિયેરો' (૧૯૪૬) નામે એમણે મહારજી માણેકલાલ જમનાદાસ : સવિચાર અને મનુષ્યના મનને અનુક્રમે ગુરુ-શિષ્ય રૂપે સ્વીકારીને રચેલો સંવાદ ‘શાંતિસુધારસ' (૧૮૮૦)ના કર્તા. ૨.ર.દ. મશરૂવાળા ઈશ્વરદાસ ઇચ્છારામ : પાણીપતના યુદ્ધને વિષય બનાવતી ઐતિહાસિક નવલકથા “પેશવાઈની પડતીને પ્રસ્તાવ (૧૯૦૮) તેમ જ અન્ય નવલકથા “કલેઆમ' (૧૯૧૧)ના કર્તા. કૌ.બ્ર. મશરૂવાળા કિશોરલાલ ઘનશ્યામલાલ (૫-૧૦-૧૮૯૦, ૯-૯-૧૯૫૨): ચરિત્રકાર, નિબંધકાર, અનુવાદક. જન્મ મુંબઈમાં. મૂળ વતન સુરત. પ્રાથમિક શિક્ષણને પ્રારંભ આકોલામાં મરાઠી ભાષામાં. આઠ વર્ષની વયે માતાનું અવસાન થતાં, મુંબઈમાં માશી પાસે જઈ રહ્યા અને એમનું શિક્ષણ ગુજરાતીમાં આરંભાયું. શાળાકાળ દરમિયાન મુંબઈમાં પ્લેગ ફાટી નીકળતાં થોડા સમય માટે આગ્રામાં અભ્યાસ. ત્યાં હિંદી તથા ઉદૂ પણ શીખ્યા. પદાર્થવિજ્ઞાન તથા રસાયણશાસ્ત્રને ઐચ્છિક વિષયો તરીકે રાખી ૧૯૦૯માં મુંબઈની વિલ્સન કોલેજમાંથી બી.એ. ૧૯૧૩માં એલએલ.બી. આશ્રમની રાષ્ટ્રીય શાળામાં ૧૯૧૭થી ૧૯૧૯ સુધી શિક્ષક. ગાંધીજીએ ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૪૪૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654