Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
–ગોહિલ સુરસિંહજી નક્કિ
ગાદીત્યાગનો દૃઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું.
ઘણું ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપીએ અગન શિક્ષકો શૈકી ખ્રિસ્તૃિત સાહિત્યનું શિક્ષણ મેળજી, ફારી ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યયનની રૂચિ કેળવી, ગુજરાતી તથા ઈતર ભાષાઓના સાહિત્યગ્રંથોના વચને તેમ જ વાસુરવાળા, મણિલાલ, કાન્ત, ગોવર્ધનરામ, નહાનાલાલ, સચિન વગેરેના સંપર્કે એમની સાહિત્યિક દૃષ્ટિ અને સજ્જત! કેળવવામાં યોગદાન કર્યું હતું.
૧૮૯૬થી ૧૯૦૦ સુધીની એમની સર્વ કાવ્યચનાઓને સમાવતા સંગ્રહ ‘કલાપીનો કેકારવ’નું કાન્તને હાથે ૧૯૦૩માં મરણોત્તર પ્રકાશન થયું. જગન્નાથ ત્રિપાઠી 'સાગર'ની સવિધત સટિપ્પણ આવૃત્તિ (૧૯૩૧) પછી પણ આ બૃહત્ સંગ્રહની આવૃત્તિઓ થવા પામી છે તેમ જ એમાંથી પસંદ કરેલાં કાવ્યોનાં અનેક સંપાદન પણ થયાં છે. વર્ડ્ઝવર્થ, શૈલી, કીટ્સ વગેરેની રૉમાન્ટિક કવિતા-પરંપરાથી પ્રભાવિત કલાપીએ એ કવિઓની કેટલાંક કાવ્યોનાં ભાવવાહી રૂપાંતરો ને અનુવાદો પણ કર્યાં છે. નરસિંહરાવ, બાલાશંકર, મણિલાલ અનેં કાન્તની કવિતાની છાયા છે છતાં કલાપીનું સર્જન એમના અનુભવનો રણકો લઈને આવે છે અને એમનાં ઘણી બધાં કાવ્યો ને એમના જીવનસંવેદન અને સંઘર્ષમાંથી નીપજેલાં છે. કલાપીનો જીવનસંઘર્ષ પરાકાષ્ઠાએ હતા ત્યારે – ૧૮૯૭-૯૮ માં – સૌથી વધારે પ્રમાણમાં અને વધુ નોંધપાત્ર કાવ્યો મળ્યો છે એ સૂચક છે.
વિશેષપણે પ્રેમના અને એ ઉપરાંત પ્રકૃતિ, પ્રભુપ્રેમ ને ચિંતનના ભાવાન વ્યક્ત કરી કરાપીની કવિતા મુખ્યત્વે છંદોબદ્ધ લઘુ કાવ્યો અને ગો જેવા આત્મલક્ષી ઊર્મિકાવ્યના પ્રકારમાં તથા કેટલેક અંશે ખંડકાવ્ય જેવા પરવતો કાવ્યપ્રકારમાં વહી છે. સંસ્કૃતમૃતબદ્ધ કવિતામાં, બોલાતી ગુજરાતી ભાષાનો વિનિયોગથી નીપજેવી પ્રાપ્ય દિક કાવ્યબાની, મસ્તરેથી વિદનની તીવ્રતાએ એમનો ગડવામાં પ્રગટાવેલી લાધક અભિવ્યક્તિટા, ખાંડવ્યોમાં ચરિત્રકની સ્પઢતા અને પ્રેમવિચારનું મનોરમ આલેખન આગવી મુદ્રા આંકે છે. કાયમના પ્રકૃતિગત અભાવને કારણે તથા કેળવણીનો પુરતો લાભ ન પામવાને લીધે એમની કવિતામાં રચનાની શિથિલતા અને બાનીની અતિસરતા તથા ગદ્યાળુતા જણાય છે; ખંડકાવ્ય પ્રકારની કવિતામાં પણ વસ્તુવતિના ઝાઝી સિને કરી શકાઈ નથી; પણ યંગમ ચિંતનશીલતા અને બાજ સંવેદનનું માધ્યભર્યું નિરૂપણ એમની કવિતાને હા બનાવે છે, કેવાં વર્ષોમાં એમની કવિતામાં પ્રીતિ જણાય છે.
‘કલાપીનો કેકારવ'ની ૧૯૩૧ની આવૃત્તિમાં સમાવાયેલા, ચાર ના હમીરજી રેલના ત્રણ સાને ૧૯૧૨માં કાન્ત સ્વતંત્ર ગ્રંથરૂપે પ્રગટ કરેલા. સ્કોટના ‘લેડી ઑવ ધ લેઇક’ના સ્વરૂપને આધાર તરીકે રાખી ૧૮૯૭માં આરંભેલું આ કાવ્ય ચાર સગે પણ અધૂરી જ રહ્યું છે. મહાકાવ્યરૂપે રચવા ધારેલ બે હજાર ઉપરાંત પતિઓની આ ઇનિહાસ-આધારિત કૃતિ ખંડકાવ્યની વધુ નજીક છે. સંકલનની ક્યાશાને નિરૂપણની દીર્ઘા
૧૦૮: ગુજરાતી સાહિત્યકોશ-૨
Jain Education International
સૂત્રતાને લીધે શિથિલ છતાં કલાપીની રુચિર વર્ણનરીતિની દૃષ્ટિએ તેમ જ દીર્ઘ ક્યાવરનુંને આલેખતી કૃતિ લેખે એ નોંધપાત્ર છે.
કલાપીએ પ્રવાસવર્ણન, સંવાદ, અનુવાદો, થરી, આત્મકથન અને પત્રો રૂપે ગાલેખન પણ કર્યું છે. ૧૯૯૧-૯૨માં કરેલા ભારતપ્રવાસ દરમિયાન પેાતાના શિક્ષક નરહરિ જોશીને પત્ર! રૂપે લખાયેલા ‘કાશ્મીરનો પ્રવાસ'નું જાહેર પ્રકાશન છેક ૧૯૧૨માં ‘કાશ્મીરનો પ્રવસ, વાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મવિચાર' એ ગ્રંથમાં થયું છે. આ પ્રવાસયનમાં પ્રકૃતિના સૌન્દર્શ દર્શનના વિસ્મયને આત્રેખનાં ઊર્મિસિત ને સુરેખ વર્ગનો તમા લોકજીવનનાં ઝીણાં નિરીક્ષક નોંધપાત્ર છે. પ્રવાસના અનુભવનું નિરૂપણ સાહજિક રહ્યું છે ત્યાં તાજગીષુકન જણાનું ગદ્ય પાં રોજ-સંસ્કૃત ગ્રંથોના વાચનનો પ્રભાવ પડો છે ત્યાં કંઈક આગામી બન્યું છે.
પ્લેટો અને સ્વીડનબોર્ગના તત્ત્વચિંતામાંથી વિચારસામગ્રી લઈને તથા લોકકથાઓમાંથી પાત્રા લઈને કલાપીએ લખેલા ચાર સંવાદોમાં ઉમિનું બળ નૅવિચારના તણખા નોંધપાત્ર છે. ચિંતનાત્મક વસ્તુને સંવાદોની ક્યામાં મૂકી આપતા ગદ્યનું એમાં એક સાધક રૂપ ઊપસે છે. 'સ્વીડનબોર્ગન, ધર્મવચાર' મૂળ કાન્તને ઉ શીને લખાયેલો લાંબો ગંભીર પત્ર છે. કલાપીની ચિંતન ક્ષમતાનો એમાં સારા પરિચય મળી રહે છે.
સાહિત્યકાર મિત્રા, સ્નેહીઓ તથા કુટુંબીજના પર કલાપીએ લખેલા ૬૭ પળે. 'કલાપીના ૧૪૪ પત્રા’(સં. મુનિકુમાર ભટ્ટ, ૧૯૨૫) અને ‘કલાપીની પત્રધારા’(સં. જોરાવરસિંહજી સુરસિંહજી ગોહિલ, ૧૯૩૧)માં ગૃધસ્થ થયા છે; તે સિવાય ‘કૌમુદી’ વગેરેમાં પ્રકાશિત, કેટલાક ગ્રંથોમાં આંશિક રૂપે ઉદ્યુત ને આજ સુધી અપ્રગટ અનેક પત્રો ગ્રંથસ્થ થવા બાકી છે. પત્રામાં કલાપીનું નિર્દભ, નિખાલસ અને ઊર્મિલ વ્યકિતત્વ ઊપસે છે તે ઉપરાંત એમનાં જીવનકાર્ય, સાહિત્યસાધના ને ચિંતનશીલતાનો પરિચય પણ મળે છે. આ પત્રા રોચક અને અવારનવાર વેધક બનતી ગદ્યરોગીની દૃષ્ટિએ પણ ધ્યાન ખેંચે છે,
સ્વીડનબોર્ગીય ચિંતનના આકર્ષગને લીધે, એમની ધાર્મિક માન્યતાઓના જૈક પ્રચાર જેવી, જય ગિની બે આરો નવલકથાઓનાં રૂપાંતર કલાપીએ કરવાં. રોય ઍન્ડ ધ કિંગ'નું ‘કાનનો દિનરાલેખ’ના, મેં ૧૯૭૦માં કે રૂપાંતર કાન્ત ૧૯૧૨માં ‘માળા અને મુદ્રિકા' નામે પ્રકાશન કરેલું. એ ગાળામાં આરંભેલું બીજી નવલકથા 'ચાર્લ્સ રોબિન્સનનું એક આત્માનો નિસનું એક સ્વરૂપ” નામે રૂપાંતર કલાપી પૂરું કરી શકેલા નહીં. અને રમણીકલાલ દલાલ પાસે પૂરું કરાવી ૧૯૩૩માં રમણીક મહેતાએ ‘નારીહૃદય' નામથી પ્રગટ કરશું. કોઈ સાહિત્યરસથી નહીં પણ ધર્મકારાથી પ્રેરાઈને કલાપીએ કરેલાં આ રૂપિતરોનું ગદ્ય પ્રાસાદિક છે.
કલાપી નિયમિતપણે અંગત ડાયરી લખતા હાવાના તથા ૧૮૯૭ આસપાસ એમણે આત્મકથા લખવાનું આરંભ્યાના નિર્દે શા મળે છે, પણ એમનાં આ બંને પ્રકારનાં વખાણ ક્યાંયથી પ્રામ થતાં નથી. ૨.સા.
For Personal & Private Use Only
www.jainelibrary.org