Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
દીવાનજી પ્રહ્લાદ ચન્દ્રશેખર — દુહા વલીમોહમદ નાનજી
એમણે ગાંધીજીના જીવનના પ્રેરણાત્મક પ્રસંગને આલેખતી પુસ્તિકાઓ ‘બાપુ-દર્શન': ૧, ૨,૩(૧૯૬૯) આપી છે.
fl.y.
દીવાનજી પ્રહ્લાદ ચન્દ્રશેખર (૨૬-૬-૧૮૮૫, ૮-૭-૧૯૬૧): નાટયલેખક, નિબંધકાર, સંપાદક. જન્મ સુરતમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભરૂચ, નડિયાદ, સુરતમાં. ૧૯૦૫માં વિલ્સન કોલેજમાંથી બી.એ. ૧૯૦૭માં એમ.એ. ૧૯૦૮ માં એલએલ.બી. ૧૯૧૨માં એલએલ.એમ. ૧૯૬૦થી ૧૯૪૦ સુધી ન્યાય વિભાગમાં વિવિધ પદો પર. સંસ્કૃત, વેદાંતશાસ્ત્રના વિજ્ઞાન.
એમણે નાટક ‘વૈશાલિની વનિતા’(૧૯૩૮), નિબંધસંગ્રહ ‘મિલાપ'- ભા. ૧૯૪૯) તથા સંપાદન પ્રચાનભે' (૧૯૨૫) આપ્યાં છે.
૨.ર.દ.
દીવાનજી મંજરી : બીકાઓનો સંગ્રહ ગાન અમદાવાદમાં તાં.
...
દીવાવા વગરનાં કદખાનાં આપણને ફાવી ગયેલી ધમનાં, જ્ઞાતિઓનાં, પક્ષાનાં, વિચારોનાં સુવાળાં કંદખાનાંઓ તરફ આંગળી ચીંધતો. ગુણવંત શાહનો નિબંધ.
ઘંટો. દીવેચાનારાયણ હેમચંદ્ર (૧૮૫૫, ૧૯૦૯) : આત્મચરિત્રકાર, અનુવાદક, વિવેચક. જન્મ દીવમાં. પ્રવૃત્તિસ્થાન મુંબઈ. અભ્યાસ ઓછા પણ પરિભ્રમણ ઘણું. ઇંગ્લૅન્ડના ચાર વાર પ્રવાસ. 'વિચિત્રસૂતિ' તરીકે ઉલ્લેખાયેલ તેઓ ૧૮૭૫માં નવીનચંદ્ર રોય સાથે અાબાદ ગયેલા અનુવાદક તરીકેની તેમની કારકિર્દીનો પ્રારંભ ત્યાંથી થયો. તેઓ બંગાળી સાહિત્યનો ગુજરાતને પ્રથમ પરિચય કરાવનાર ગણાયા છે.
નાનાં-મોટાં એમ બધું મળીને આશરે બસે જેટલાં પુસ્તકો એમણે આપ્યાંછે, એમનું ‘હું પોતે’(૧૯૦૦) ગુજરાતી ભાષામાં પૂરું થયેલું પહેલું આમંત્રે છે. નર્મદ, અને મણિલાલનાં આત્મચરિત્રા એ અગાઉ લખાયેલાં, પણ પ્રસિદ્ધ તે તે પછી જ થયેલાં. પ્રસ્તુત આત્મકથા લગભગ પ્રવાસકથારૂપે છે. જીવનનાં પહેલાં ચા ત્રીસ વર્ષનું અહીં બયાન છે, એમાં પોતે જોયેલાં અનેકવિધ સ્થળોના, ત્યાંનાં લોકો અને તેમના સ્વભાવ-સંસ્કારનો પરિચય કરાવ્યો છે. સ્વામી દયાનંદ, દેવેન્દ્રનાથ ટાગોર વગેરે મહાનુભાવો સાથેના એમના સંપર્કોનું ચિત્રણ પણ અહીં પ્રસંગોપાત્ત થયું છે. પ્રવાસની પડછે સાદગી, ઈશ્વરભકિત, નિખાલસતા, ઉદ્યમશીલતા જેવા એમના વ્યકિતત્વના ગુણાની છબી પણ અહીં ઊપસી છે. કલામયતાની દૃષ્ટિએ ‘હું પોતે’ પાંખી લાગતી હોવા છતાં તે વિવિધ વિચિત્ર જીવનાનુભવોના નિરૂપણથી વાચનમ અવશ્ય બની છે. ‘પાંચ વાર્તા’(૧૯૦૩), ‘ફૂલદાની અને બીજી વાર્તાઓ’(૧૯૦૩)માં એમણે કથાઓ આપી છે. ‘વૈદ્યકન્યા’ (૧૮૯૫), ‘નૅટિ’(૧૮૯૬), ‘રૂપનગરની ચકુંવરી (૧૯૬૪)વગેરે એમની નવલકથાનો છે. “જીવનચરિત્રવિશે ચર્ચા
૨૪૨: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
(૧૮૯૫), ‘સાહિત્યચર્ચા’(૧૮૯૬), ‘કાલિદાસ અને શૅક્સપિયર' (૧૯૦૦) વગેરે એમનાં પ્રારંભિક વિવેચનચર્ચાનાં પુસ્તકો છે. એમણે ‘ડોકટર સામ્બવ બૅનનનું વનરિત્ર'(૧૯૩૯), ‘માલતીમાધવ’(૧૮૯૩),‘પ્રિયદર્શિકા’ જેવા અનુવાદો આપ્યા છે. એમણે બંગાળીમાંથી પણ અનેક અનુવાદો આપ્યા છે, જે પૈકી ‘સંન્યાસી’ જેવી કથાના તેમણે કરેલા અનુવાદે તે કાળે અનેક સાહિત્યરસિકોનું ધ્યાન ખેંચેલું. મૌલિકતા કે ભાષાશુદ્ધિની કશી ખેવના કર્યા વિના એમણે સાહિત્ય, શિક્ષણ, સંગીત વગેરે વિષયા પર ખૂબ લખ્યું છે.
પ્ર..
દુબળ ભૂધરદાસ ગણેશજી : નવલકા ‘સૌંદર્ય વાળા' તથા અનૂદિન કૃતિ ‘મખય્યામની રૂબાઈવાનના તાં.
...
ડુબાસ પીલુ જાંગીર : ‘મુનિ'(૧૯૩૩), ‘ભાગ્યવંતી ભર’, *ો'(૧૯૫૦), 'એક', 'નીત', 'રમત', 'ક' વગેરે નવલકથાઓના કર્તા.
...
દુર્ગા કાનજી: પદ્યકૃતિ ‘દુર્ગાગીતસંગ્રહ’નાં કર્તા,
દુર્લભજી જગજીવનદાસે : નવલકથા વિશે મા’૧૯૬૦ના ર્ડા.
૨...
...
ફુલો ભાષા ‘કાગ’ (૨૫-૧૧-૧૯૦૨, ૨૨-૨-૧૯૭૭) : કવિ. જન્મસ્થળ મજાદર (જિ. ભાવનગર). પ્રાથમિક પાંચ ધોરણ સુધીના અભ્યાસ. રામાયણ-મહાભારત ઉપરાંત ચારણી સાહિત્યનો સ્વાધ્યાય અને એનું સંપાદન. ખેતી અને ગોપાલનના વ્યવસાય. કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધનારા ‘કાગ’ લોકગીતા, ભજનો અને આખ્યાનોના જાહેર કાર્યક્રમો પણ આપતા. મજાદરમાં અવસાન.
જ્ઞાન, ભકિત અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ ‘કાગવાણી’: ભા. ૧ (૧૯૩૫), ભા. ૨ (૧૯૩૮), ભા. ૩ (૧૯૫૦), ભા. ૪ (૧૯૫૬), ભા. ૫ (૧૯૫૮), ભા. ૬ (૧૯૫૮) અને ભા. ૭ (૧૯૬૪)માં લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં વધીને સંવેદનોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. ‘વિનોબાબાવની’(૧૯૫૮), 'તો ઘર જારો, જારો ધરમ'(૧૯૫૯), ‘શકિતવાલીસા'(૧૯૬૦) ઉપરાંત ‘ગુરુમહિમા’, ‘ચન્દ્રબાવની’, ‘સારઠબાવની’ વગેરે કૃતિઓ પણ એમણે રચી છે.
૨..દ.
દુવા ગોફીદવી : મોરબી ઠાકોરના સ્વદેશાગમન નિમિત્તે રચાયેલી ‘કવિતાઓ’(૧૮૮૪)નો કર્તા.
For Personal & Private Use Only
૨૬.
કુળ છીમામદ નાનજી : ‘ૉદરચરિત્ર તથા હૈદરવાણી'ના કર્યાં.
૨.ર.દ.
www.jainelibbrary.org