Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
નંદાણી પ્રભુદાસ સુંદરજી નાજુક સવારી
નાગર દુર્ગાશંકર : ‘કદાભરાણ' (૧૯૪૫)ની આ વાતું નથી તેમાં પાછળ મૂકેલી ત્રણ ગદ્યપ્રાર્થનાઓના કર્તા.
પ્રકારનું દસ્તાવેજી મૂલ્ય છે. ‘કરણઘેલો'ના કતાંના વ્યકિતચિત્રને બદલે એક વ્યાપક સામાજિક યુગચિત્રને અહીં અનુભવ થાય છે. ઉદય’નો એક ખંડ, ‘મધ્યાહ્ન’ના ત્રણ ખંડ અને નિવૃત્તિના છેલ્લો ખંડ એમ પાંચ ખંડમાં જીવનચરિત્ર વહેંચાયું છે. ગુજરાતવાસીઓનું અને ખાસ તો તત્કાલીન સુરતવાસીઓનું ચિત્રણ અત્યંત રસપ્રદ છે.
ચં.ટો. નંદાણી પ્રભુદાસ સુંદરજી : કન્હલર શૈલીમાં લખાયેલી રહ"મય નવલકથા “ભયંકર કૂતરો' (૧૯૨૬)ના કર્તા.
નિ.વા. નંદિષણવિજય : પદ્યકૃતિ “અમાસનાં અજવાળાં'(૧૯૭૮)ના કર્તા.
નાગર રમણલાલ: એમના કાવ્યસંગ્રહ ‘ઊવિ' (૧૯૬૫)માં રચનવૈચિત્ર્ય અને પ્રતીકોને ઉપયોગ નોંધપાત્ર છે. કવિએ મુખ્યત્વે માનવમનના વિષાદનું નિરૂપણ કર્યું છે. આ સાથે ચેકોસ્લોવાકિયાના કવિ જરી વોલ્કરનાં પાંચ કાવ્યોનો અનુવાદ પણ આપ્યા છે. ‘નૌકા' (યશવંત વઝે સાથે, ૧૯૬૩) નૌકા વિશે વૈજ્ઞાનિક દૃષ્ટિએ માહિતી આપતું પુસ્તક છે.
નિ.વા. નાગરદાસ મંછારામ, ‘ગડગડાટ': નવલકથા ‘મુંબઇની શેઠાણી (૧૯૦૦)ના કર્તા.
નાગેશ્વર હરિદાસ રેવાશંકર : ગદ્યપદ્યમિશિન ભાકૃતિ કસુરી'
ભા. ૧ (૧૯૫૨)ના કર્તા.
નંદુ રાણી : પતિના મૃત્યુ પછી આંગણે આવેલાને માટે અતિથિ ધર્મ ચૂકતી અને એ દ્વારા જાણે પતિયોગની ક્ષણને મૂકતી વૃદ્ધ- નારીની કરુણતાને ઉપસાવતું, ઉમાશંકર જોષીના એકાંકી નાટક ‘બારણ ટકોરા'નું મુખ્ય પાત્ર.
એ.ટી. નાઈટમર (૧૯૬૯) : સરોજ પાઠકકત મને વૈજ્ઞાનિક નવલકથા. પ્રિયતમ સાર્થને બદલે તેના મોટાભાઈ અનન્ય સાથે નિયતિનું લગ્ન થયેલું છે; એટલું જ નહિ એ ત્રણેને એક જ ઘરમાં રહેવાનું બને છે. આ પરિસ્થિતિના અનેક ઘટકો રચીને આ ત્રણે પાત્રોનાં મનાવવનું સૂકમતાથી અહીં આલેખન થયું છે. નિયતિને કેન્દ્રમાં રાખીને સાર્થ તથા અનન્ય તરફ એની ત્રિજ્યા ખેંચાઈ છે, પરિણામે સાર્થ અને અનન્યની મનોવ્યથાઓથી ને તાણથી પણ અવગત થવાય છે. વસ્તુનો નિર્વાહ સાયંતપણે ચૈતસિક સ્તરેથી થયેલ હોઈ એમાં ધૂળ ઘટનાઓનું નિરૂપણ થયું નથી, છતાં આ પાત્રાના બાહ્ય જગતમાં જે કંઈ બને છે તેને કુશળતાથી પાત્રોનાં સંવેદની સાથે સાંકળવાનું બન્યું છે. સ્મૃતિસાહચર્ય, સ્વગતોકિન, મનોમંથન જેવી પ્રયુકિતઓને અહીં સૂઝપૂર્વક વિનિયોગ થયેલા છે અને ભાષાના વિવિધ સ્તરોના પણ.
ધી.મ. નાકરાણી ભીમજી : વાર્તાસંગ્રહ ‘ફૂલ એક ગુલાબનું' (૧૯૮૧)ના ફતાં.
નાગરી ઈસ્માઈલભાઈ આલમભાઇ (૫ '1'' -'૧૯૦૪, ૧૪ ૧-૧૯૮૩): નિબંધકાર. ૧૪ન્મ વાંકાનેરમાં. પ્રાથમિક તેવા માધ્યમિક શિક્ષણ વાંકાનેર, માંગરોલ ને અમદાવાદમાં. ૧૯૨૦ માં જનાગઢની કોલેજમાંથી બી.એ. ૧૯૩૦માં પૂના યુનિવર્સિટી. માંથી ખેતીવાડી વિષયના સ્નાતક. સણોસરામાં નૂતન વનનિ પ્રવેશ અને વિસ્તરાણ વિભાગના વડા.
એમણે ‘મુસ્લીમેને ધર્મ' (૧૯૬૪) અને “ઈસ્લામદન' (૧૯૭૬) પુસ્તકોમાં ઐતિહાસિક સંદર્ભ સાથે મુસ્લિમ ધર્મના વિવિધ આચાર વિચાર, દૃષ્ટાંતકથાઓ, પ્રાર્થનાઓ વગેરેને વિશદ પરિચય કરાવ્યો છે. આપણાં ફૂલ' (૧૯૬૩), ‘વનરપતિજીવન દર્શન' (૧૯૬૮), શાકભાજી અને ફળ' (૧૯૬૮), ‘આંગણાને બગીચા અને ફૂલ' (૧૯૭૦), વાડી પરનાં વહાલાં' વગર પુસ્તકોમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના પ્રાણવાન પરિચય કરાવ્યો છે. એમણ વૈદક, ગોપાલન, બાગાયત, ધર્મ વગેરે વિશે અનેક પુસ્તકો અને લેખો લખ્યાં છે.
નિ.વા, નાજુક : જુઓ, વિકાજી જહાંગીર પુરશદ0. નાજુક સવારી (૧૯૪૦) : વિક્લાય કલ્યાણરાય વૈદ્યની ‘વિ•ાદ કાત'ના ઉપનામે લખાયેલી નિબંધિકાઓને સંગ્રહ. “સાહિત્યના વિષયો', 'વ્યકિતત્વને વિશેષ રંગ', 'પૌરાણિક ઝકોર’ અને ‘મેઘ ધનુષ્ય” એમ અહીં ચાર વિભાગો છે. પહેલા વિભાગમાં પત્રકારના વ્યવસાય વિશ, પ્રકાશક વિશે યંગ છે; બીજા વિભાગમાં વ્યકિતગત ઘટનાઓ અંગેની કલ્પનાસિકતા છે; ત્રીજા વિભાગમાં પૌરાણિક સંદર્ભમાં સાંપ્રતતાનો વિનિયોગ કરીને ભંગ કરવાને ઉપક્રમ છે; ચોથા વિભાગમાં પ્રકીર્ણ વિષયોની સાત રચનાઓ છે, જેમાં વિશેષ નોંધપાત્ર છે - “મંડળી મળવાથી થતા લાભ'. નિબંધિકાઓને રસ્વચ્છ અને પ્રશિષ્ટ વિનોદમાં બુદ્ધિને પ્રસન્ન કરતી બહુશ્રુતતા ધ્યાનાકર્ષક છે.
૨.મ.શુ.
નાગચંદ: ‘ચંપકમાળાના રાસ' (૧૯૩૪), 'સતી કનકસેના રા', ‘રાતી ધનવતી રા’, ‘સતી સુલભા રા' ઉપરાંત 'દેવજી સ્વામીના જીવનનું ટૂંકું દિદંશન’ના કર્તા.
નિ.વા. નાગડા મુહમ્મદ યુસુફ : વાર્તા ‘કર ને જા અથવા ખાડા ખાદ ત પંડ' (૧૯૧૫)ના કર્તા.
નાગર દયાશંકર મયાશંકર : પદ્યકૃતિ ‘શિવશકિતલીલામૃતગ્રંથ'ના કર્તા.
૨૮૦: ગુજરાતી સાહિત્યકેશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org