Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
ભટ્ટ મૂળશંકર મેહનલાલ – ભટ્ટ મોહનલાલ મગનલાલ
ભટ્ટ મૂળશંકર મોહનલાલ (૨૫-૬-૧૯૦૭, ૩૧-૧૦-૧૯૮૪) : ચરિત્રલેખક, નિબંધલેખક, અનુવાદક. જન્મસ્થળ અને વતન ભાવનગર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં. ૧૯૨૧ માં વિનીત. ૧૯૨૭માં મુખ્ય વિષય સંગીત અને ગૌણ વિષયો હિન્દી-ગુજરાતી સાથે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના સ્નાતક. ૧૯૩૦થી ૧૯૩૯ સુધી દક્ષિણામૂર્તિ-ભવનમાં તથા ૧૯૩૯ થી ૧૯૪૫ સુધી તેની ભગિનીસંસ્થા ઘરશાળામાં શિક્ષક તથા ગૃહપતિ. ૧૯૪૫ થી ૧૯૫૩ સુધી ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલાના અધ્યાપનમંદિરમાં શિક્ષક અને આચાર્ય. ૧૯૫૩થી ૧૯૬૪માં નિવૃત્ત થયા ત્યાં સુધી લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરામાં ગૃહપતિ, અધ્યાપક અને આચાર્ય. નિવૃત્તિ પછી ભાવનગરમાં રહી દક્ષિણામૂર્તિ, લોકશકિત સંગઠન, ગુજરાત નઈ તાલીમ સંઘ, ગુજરાત આચાર્ય કુળ જેવી વિવિધ સંસ્થાઓમાં પ્રમુખ તરીકે પ્રવૃત્ત. ભાવનગરમાં અવસાન.
એમણ “મહાન મુસાફરો' (૧૯૩૮), ‘તાનસેન (૧૯૪૭), ‘ગાંધીજી : એક કેળવણીકાર' (૧૯૬૯) 'દલપતરામ : સુધારાને ' માળી' (૧૯૭૧) અને 'નાનાભાઈ' (અન્ય સાથે, ૧૯૮૩) જેવાં ચરિત્રે તથા ‘દલપતરામની વાતો' (૧૯૫૭), 'દેશદેશની લોક કથાઓ' (૧૯૮૨) તેમ જ હિંદીમાં ‘ગામાતા કા વરદાન(૧૯૮૨), ‘પ્રભુ કા પ્રકાશ' (૧૯૮૩) અને “દત્ય સે દેવ (૧૯૮૩) નામે વાર્તાપુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત રોમણે ‘વાંચતાં આવડી ગયું' (૧૯૫૭), જીવંત શિક્ષકની વ્યાખ્યાને સવિસ્તર ચર્ચનું ‘શિક્ષકની નિષ્ઠા અને દૃષ્ટિ' (૧૯૭૧) તથા બાળઉછેર તેમ જ શિક્ષણની ગુરુચાવીઓનું નિરૂપણ કરતાં ‘બાળકોને વાર્તા કેમ કહીશું?' (૧૯૫૬), 'વાચનપટ' (૧૯૫૬), ‘ઘરમાં બાળમંદિર” (૧૯૬૨), ‘બાળકો તોફાન કેમ કરે છે?” “કેળવણી વિચાર” (૧૯૬૬) જેવાં પુસ્તકો પણ આપ્યાં છે.
લેખનકાર્યની સાથે જ એમણે કરેલા અનુવાદો પૈકી, કિશોરોમાં અત્યંત લોકપ્રિય બનેલી લેવર્ન, સ્ટીવન્સન વગેરેની સાહસકથાઓ ‘સાગરસમ્રાટ’ (૧૯૩૩), “સાહસિકોની સૃષ્ટિ' (૧૯૩૪), ‘પાતાળપ્રવેશ' (૧૯૩૫), ‘ખજાનાની શોધમાં' (૧૯૩૫), ‘૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા'(૧૯૩૯), ‘ચંદ્રલોકમાં' (૧૯૪૦),
ધરતીના મથાળે' (૧૯૪૨), ‘ગગનરાજ (૧૯૫૬)ના તથા તેસ્તોયકૃત નાટક ‘પાવર ઑવ ડાર્કનેસ’ અને વિકટર હ્યુગોકૃત નવલકથા “લા મિઝરેબ્લ'ના અનુક્રમે “અંધારના સીમાડા’ (૧૯૬૪) અને દુ:ખિયારા' : ૧-૨ (૧૯૪૫) નામે અનુવાદો ઉપરાંત ‘તારાઓની સૃષ્ટિ' (૧૯૪૬), ‘સભ્યતાની કથા' (૧૯૬૧), ‘આનંદ અને અજવાળાંની વાતો' (૧૯૭૬) વગેરે અનુવાદો નોંધપાત્ર છે.
લોકમિલાપ દ્વારા પ્રકાશિત ‘આપણે સંસ્કારવારસો' નામના ગ્રંથસંપુટ નિમિત્તે સ્વામી આનંદની કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતું “ધરતીની આરતી' (૧૯૭૭) તથા ‘ગિજુભાઈના લેખ” (૧૯૭૫) જેવાં સંપાદન ઉપરાંત હિંદી ભાષાની સે વાર્તાઓનું “બચ્ચે કી કહાનિયાં' (૧૯૮૦) નામનું સંપાદન પણ એમણે કર્યું
ભટ્ટ મૂળશંકર રામજી : નાટયકૃતિ પ્રબોધચંદ્રોદય નાટકના કર્તા.
નિ.. ભટ્ટ મૂળશંકર લક્ષ્મીરામ : મહારાણી મીનળદેવીના જીવનવૃત્તાંતને ગદ્ય-પદ્યમાં નિરૂપતી કૃત ‘મીનળદેવી' (૧૯૧૭) ના કર્તા.
નિ.વી. ભટ્ટ મેઘનાદ હરિશ્ચંદ્ર, રાવણદેવી (૨૪-૧૦ ૧૯૩૬) : કવિ, નવલકથાકાર. જન્મ સુરત જિલ્લાના ઓલપાડ ગામે. ૧૯૫૪માં એસ.એસ.સી. ૧૯૬૦માં સીડનહામ કોલેજ, મુંબઈથી બી.કોમ. મફતલાલ ગૃપના ઍકાઉન્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંલગ્ન.
“છીપલાં' (૧૯૮૦) કાવ્યસંગ્રહમાં આધુનિક ચેતના ને સામગ્રી સાથે કામ પાડતી એમની રચનાઓ રસપ્રદ છતાં ઓછી પરિણામગામી બની છે. “અમથાનુભવ' (૧૯૮૦) એમની લઘુનવલ છે.
ચ.ટા. ભટ્ટ મોતીરામ હરિશંકર : નવલકથા ‘હાલના સુધારાને સપાટો' (૧૯૧૮)ના કર્તા.
નિ.વા. ભટ્ટ મેહનલાલ ઈશ્વર : કાવ્યસંગ્રહ 'સુભાષિતસહસ્ત્રી' (૧૯૬૩)ના કર્તા.
નિ.વે. ભટ્ટ મોહનલાલ છગનલાલ: રહસ્યકથા “સ્ત્ર શકિત યાને ડિટેકટીવ નાવેલ' (૧૯૩૬) ના કર્તા.
નિ.વા. ભટ્ટ મેહનલાલ દલસુખરામ, ‘માહિતીચંદ્ર (૬-૭-૧૯૦૧, ૬-૮-૧૯૬૨) : કવિ, વાર્તાકાર. જન્મ વડાલીમાં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ કપડવંજ અને અમદાવાદમાં. મૅટિક પછી ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત. મુખ્ય વ્યવસાય પત્રકારત્વે અને પ્રફરીડિંગ. 'પ્રજાબંધુ', 'ગુજરાત સમાચાર', જયોતિર્ધર” અને ‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયમાં કામગીરી.
એમની દશ વાર્તાઓ આપતા સંગ્રહ ‘દિગંત' (૧૯૩૮)માં સામાજિક નીતિરીતિને કારણે મુશ્કેલીમાં મુકાતાં મનુષ્યોની કથા આલેખાઈ છે. “મંજૂષા' (૧૯૪૨) અને ‘અયુતપુર પંથ” (૧૯૫૬) એમના કાવ્યસંગ્રહ છે. સૂરજ બોલાવે' (૧૯૫૪) અને મતીને દાણા' (૧૯૬૧)માં એમનાં બાળગીત સંકલિત થયાં છે. પારસનાં ફૂલ' (૧૯૫૪)માં ચિંતનકણિકાઓ અને કેટલીક ઉન્નત ભાવનાઓ ગદ્યકંડિકાઓરૂપે સંગૃહીત છે.
નિ.. ભટ્ટ મેહનલાલ મગનલાલ (૨-૮-૧૮૯૮) : નવલકથાલેખક. જન્મ રાજપીપળા (જિ. ભરૂચ)માં. ૧૯૨૦માં અસહકારની લડત અંગે ઈન્દોરની મેડિકલ સ્કલ છોડી. ૧૯૨૧ થી ‘નવજીવન’ અને
સ્વરાજ’ સાથે સંલગ્ન. લેખ લખવા બદલ અવારનવાર જેલની સજા. ‘નવજીવન’ના મેનેજિંગ ટ્રસ્ટી. પછીથી રાષ્ટ્રભાષાપ્રચાર
કર્ય.
એમણે જેલજીવનની કથા લાલ ટોપી' (૧૯૩૧) આપી છે.
નિ..
મ.સ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૪૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654