Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
દર્દી મેઇનલાલ ધનેશ્વર દવે રણછેડભાઈ ઉદયરામ
દવે માહનલાલ ધનેશ્વર : ‘ગુજરાતી સંસ્કૃતિના સંરક્ષકો’--ગ્રંથ ૧: આપણા કેળવણીકારો, ધ્યાપકો (૧૯૪૩)ના કર્યાં.
૨૨.
દવે માહનલાલ પાર્વતીશંકર (૨૦-૪-૧૮૮૩, ૩-૨-૧૯૭૪) : વિવેચક, નિબંધકાર. જન્મ સુરતમાં. ૧૯૭૫ માં સંસ્કૃત વિષયમાં એમ.એ. ૧૯૦૭માં એલએલ.બી. ૧૯૨૦-૧૯૩૬ દરમિયાન સુરત કોલેજમાં અને ૧૯૩૭-૧૯૪૦ દરમિયાન ખાલસા કૉલેજ, મુંબઈમાં સંસ્કૃતના પ્રાધ્યાપક, સુરતમાં અવસાન.
એમણે આપેલા પુસ્તકોમાં રસપ્રદ ને હળવી શૈલીમાં લખાયેલા નિબંધસંગ્રહો ‘તરંગ’(૧૯૪૨) અને ‘સંસ્કાર’ (૧૯૪૪); વિવેચનસંગ્રહો નિશા'(૧૯૩૮), 'કાવ્યકળા’(૧૯૩૮), ‘વિવેચન’(૧૯૪૧) અને ‘રસપાન’(૧૯૪૨), મહમદ પયગંબર, માર્ટિન લ્યુથર, આશા અને મહર્ષિ દયાનંદના જીવનચરિત્ર આપ ‘વીરપુ’(૧૪) તેમ જે બેહોની વનકા (૧૯૫૭) મુખ્ય છે. આ ઉપરાંત એમણે 'ગદ્યકા' (વ્યોમેશચંદ્ર પાઠકજી સાથે, ૧૯૩૫)નું સંપાદન કર્યું છે. લેન્ડ કાલ્પનિક સંવાદ' - ભા. ૧, ૨ (૧:૧૬, ૧૯૫૨), પ્રા. મેકડોનને સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ'(૧૯૬૪), ‘મહાભારતની ગમાલોચના (૧૧) વગેરે એમના અનુવાદો છે
માં. દવે ધાવંતરાય હરિકૃષ્ણ: ‘ઓમકાર ગીતાવર્ષ' (૧૯૬૩)ના કર્તા.
૨.ર.દ.
દવે રક્ષાબોન પ્રહલાદરાય (૨૧-૩-૧૯૪૬) : કવિ. જન્મ મુંબઈમાં. ૧૯૭૩ માં એમ.એ. તિતત્વ અને ગુજરાતી વિનામાં તેનું અવતરણ' વિષય પર પીએચ.ડી. ભાવનગરની કોલેજોમાં અધ્યાપન.
એમણે પ્રકૃતિ, પ્રણય અને ભકિતને નિરૂપતાં કાવ્યોના સંગ્રહો ‘સૂરજમુખી’(૧૯૭૯), ‘નિશિગંધા’(૧૯૮૧), ‘ગુલમોર’(૧૯૮૪) અને ‘અજવાસ’(૧૯૮૬) તેમ જ બાળકાવ્યસંગ્રહો ‘માણુ’મીઠું’ (૧૯૨૩) અને પીન ધીન્ '(૧૯૮૨) તથા નૃત્યારિક, 'જાનીવાસીપીનારા’(૧૯૮૩) અને ‘નીતી’(૧૯૮૫) આપ્યાં છે. આ ઉપરાંત વિમતમાં, મધુરમ્ '(૧૯૮૭)માં એમનાં ગીતા બાયો સંગૃહીત છે.
૨.ર.દ.
દવે રણછાડભાઈ ઉદયરામ (૯-૮-૧૮૩૭, ૯-૪-૧૯૨૩) : નાટયલેખક, નિબંધકાર, પિંગળશાસ્ત્રી. જન્મ ખેડા જિલ્લાના મહુધામાં. પ્રાથમિક શિક્ષણ મહધામાં લઈ ૧૮૫૨ માં અંગ્રેજીન અભ્યાસાર્થે નડિયાદ ગયા. ૧૮૫૭માં અમદાવાદમાં‘લાં કલાસ’માં દાખલ થયા. પહેલાં સરકારી ખાતામાં ત્યાંના કલેકટરની ઑફિસમાં, પછી ૧૮૬૩માં અમદાવાદના અગ્રણી વેપારી બહુચરદાસ અંબાઈદાસની વતી મેસર્સ લોરેન્સની કંપનીમાં જોડાવા મુંબઈ ગયા. મુંબઈમાં જ ગોંડલ, પાલનપુર અને ઈડર રાજયના મુંબઈ ખાતેના પ્રતિનિધિ તરીકેની કામગીરી. મુંબઈનિવાસ દરમિયાન મનસુખરામ ત્રિપાઠી સાથે અનન્ય મૈત્રી.
૨૨૮ : ગુજરાતી આહિત્યકોશ -૨
Jain Education International
૧૮૮૪ માં કચ્છનરેશ મહારાજાધિરાજ મહારાવ શ્રી ૭ ખેંગારજી સવાઈ બહાદુર પહેલાં યુઝર આસિસ્ટન્ટ'નું માનપદ આપ્યું, ત્યારપછી પ્રધાનપદ આપ્યું. ૧૯૦૪માં નિવૃત્તિ. ૧૯૧૨માં વડોદરામાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ, વળ -માં બ્રિટિશ સરકારે દીવાન બહાદુરનો ઇલ્કાબ આપ્યો. ત્રિદોષના હુમલાથી ટૂંકી માંદગી બાદ મુંબઈમાં અવસાન.
ગુજરાતીના આદ્ય નાટયકાર કે ગુજરાતી નાટકના પિતા તરીકે આ લેખકે તત્કાલીન ભવાઈની ગ્રામ્યતા અને અશ્લીલતાથી તેમ જ પારસી રંગભૂમિની ગુજરાતીની અતિથી સુગાઈન અંગ્રેજી, સંસ્કૃત અને તળપદી નાટયપરંપરાના સંસ્કારોથી ઘટકને ચેકિંગના સાધનમાં પધરાવ્યું અને એક મૌલિક નાટકો તેમ જ ચારેક સંસ્કૃત નાટકોના અનુવાદો દ્વારા નાટ્યક્ષેત્રે નાટકની ગંભીર પ્રતિષ્ઠા કરવાનો પ્રયત્ન કર્યો. નાટયકલાની દÁિ એમનાં નાટકો ઊંધીÆાનાં નથી, પરંતુ ગુજરાતી નાટકની સ્થાપનામાં જેમનું ઐતિહાસિક મૂલ્ય છે. એમનાં નાટકો સામાયિક અને પૌરાણિક વિષયને લઈને ચાલે છે. જ્યકુમારવિય નાટક (૬૪), ‘લલિતાદર્શક નાટક'(૧૯૬૬), 'તારામતીસ્વયંવર' (૧૮૭૧), ‘હરિશ્ચંદ્ર’(૧૯૭૧),‘પ્રેમરાય અને ચારુમની’(૧૮૭૬), ‘બાણાસુર મમદન’(૧૮૭૮), 'માળમાં અને મુખ્ય (૧૮૭૮),‘નળદમયંતી નાટક’(૧૮૯૩),‘નિંદ્ય શૃગારનિષેધક રૂપક’ (૧૯૨૦), ‘વેરના વાંસે વશ્યો વારસા’(૧૯૨૨), ‘વંઠેલ વિરહાનાં કુડાં કા’(૧૯૨૩) વગેરે એમનાં સ્વતંબ નાટકો છે.
નર્મદ-દલપતના પાયાના પિંગળકાર્ય પછી આ લેખકે પિગળ અંગેનું આકર ને સર્વગ્રાહી કાર્ય કર્યું છે. છંદનું શાસ્ત્રીય બંધારણ ને તુલનાત્મક અભ્યાસ આપતો ગ્રંથ ‘રણપિંગળ’ - ભા. ૧,૨,૩ (૧૯૦૪, ૧૯૦૫, ૧૯૦૭) પાંડિત્યપૂર્ણ છે. કુલ દસ કરો વધુ પૃષ્ઠોમાં વિસ્તરેલા આ ગ્રંથના પ્રથમ ભાગમાં માત્રામેળ અને અક્ષરમેળ છંદો તેમ જ તેના પેટાવિભાગોની ચર્ચા છે; બીજા ભાગમાં છંદોનું ગણિત આપ્યું છે; જ્યારે ત્રીજે ભાગે વૈદિક છંદપ્રકરણ, ડિંગળ, ગીતરચના અને ફારસી કવિતારચનાને તાત છે.
એમણે ‘આરોગ્યતાસૂચક’(૧૮૫૯), ‘કુલ વિશે નિબંધ' (૧૮૬૭) અને ‘નાટયપ્રકાશ’(૧૮૯૦) જેવા નિબંધગ્રંથા આપ્યા છે; તેા ‘સંતોષસુરતરુ’(૧૮૬૬), ‘પ્રાસ્તાવિક કથાસંગ્રહ' (૧૮૬૬), ‘પાદશાહી રાજનીતિ’(૧૮૯૦) જેવા પ્રકીર્ણ ગ્રંથા પણ આપ્યા છે. ‘યુરોપિયનોનો પૂર્વપ્રદેશ આદિ સાથે વ્યાપાર' ભા. ૧, ૩, ૪ (૧૯૧૬) બા. ૨૯૧), ભા. ૫૧૯૧૮) એમના વેપારવિષયક ગ્રંથો છે.
એમના અનુવાદગ્રંથોમાં ઇતિહાસ સંબંધી ‘રાસમાળા’ભા. ૧, ૨ (૧૮૭૯, ૧૮૯૨), સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ઉતારંગાં ‘માલવિકાગ્નિમિત્ર’(૧૮૭૦), ‘વિક્રમોર્વશીયન્ત્રાટક’(૧૮૬૮), ‘રત્નાવલી’ (૧૮૮૯) જેવાં નાટકો તેમ જ ‘ગુજરાતી હિતાપદેશ’ (૧૮૮૯), ‘લઘુસિદ્ધાન્તકૌમુદી’(૧૮૭૪) મુખ્ય છે. ‘શૅકસપિયર કથાસમાજ’ (૧૮૭૮) તથા ‘બર્થોલ્ડ’(૧૮૬૫) એ અંગ્રેજીમાંથી કરેલા અનુવાદ છે.
ચૂંટો.
For Personal & Private Use Only
www.jainelibrary.org