Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
સંગૃહીત છે. ‘અન્યવિવેક’(શિક્ષાછા, ૧૮૭૯)માં સમુદ્રયાણ નિષિદ્ધ ની એ વિશેનું લખાણ છે. ‘મંગળનોત્ર'(૧૯૭૩) ગ્રંથ પણ એમના નામે છે. મિનારાનો ણાદાન” (શિલાપ, ૧૮૫૭) અને ગાયત્રીમંત્ર'(૧૯૮૦) સંસ્કૃતમાંથી ભાષાંતરો છે; તો ધર્મ વિવેચન'(૧૯૭૭) મરાઠીમાંની ભાષાંતર છે. એમણે સારાભાઈ. બાપ ભાઈનું નામ શ છે, જે વ અગર કે. ચો. દિવેટિયા માધવરાવ બાબારાવ ૨૦-૧૨-૧૮૭૯, ૨૪-૫-૧૯૨૬): નવલકથાકાર. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ગુજરાત કોલેજમાં પ્રથમ વર્ષ સુધી અભ્યાસ કરી સરકારી રજિસ્ટ્રેશન ખાતામાં આજીવન સબ-રજિસ્ટ્રાર તરીકેની કામગીરી. ધોળકામાં અવસાન.
ગોવર્ધનરામ અને વિકટર હ્યુગાની અસર હેઠળ લખેલી ‘યાતિપું’(૧૯૦૯) અને ‘શ્વેતભાનુ’(૧૯૧૨) નામક નવલકથાઓ ઉપરાંત એમણે 'હાનંદ સુધિની (૧૯૭૬) નામે સહજાનંદનું જીવનચરિત્ર આપ્યું છે. ‘સ્વામી રામતીર્થ’ - ભા.૫(૧૯૧૨) એમનો અનુવાદળ છે.
ગ
દિવેટિયા રણજિતભાઈ વાઈ સામાજિક નવશેકધા 'પ્રિયકાન્ત' (11)ના કર્યો. નિ.વા.
દિવેટિયા સત્યેન્દ્ર ભીમરાવ (૨૦-૪-૧૮૭૫, ૨૩-૩-૧૯૨૫) : કવિ, સંપાદક, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદ-વડોદરામાં. વડોદરા કોલેજમાંથી ગ્રેજ્યુએટ. ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલા. શરૂઆતમાં બ્રિટિશ સરકારની અને પછી વડોદરા રાજ્યની નોકરી. મહેસાણામાં નાયબ સુબા.
એમની પાસેથી છંદ તથા ભાષા પરનું પ્રભુત્વ બતાવતાં કાવ્યોનો સંગ્રહ "મિમાળા'(૧૯૧૨) મળ્યો છે. એમણે ગડી
ધ એકના એક સર્ગનું ભાષાન્તર “સરોવરની દરી’(૧૯૧૨) નામે, ખંડકાવ્યની વિવિધ યુવાળી શૈલીમાં કર્યું છે. આત્મસંયમનું ચ” એમનું મૌલિક પુસ્તક છે. એમણે પોતાના પિતા સ્વ. ભીમરાવ દિવેટિયાનાં પુસ્તકો મુજ દેસાઇ નાટક ‘દેવળદેવી' અને કાવ્યસંગ્રહ 'કુસુમાંજલિ'નું સંપાદન કર્યું છે.
નવર દિવેટિયા હરિસિંહભાઈ ભાઈ (૧૭-૨-૧૮૮૬, ૩-૮-૧૯૬૮): અનુવાદક, સંપાદક. જન્મ વડોદરામાં. વતન અમદાવાદ. ૧૯૦૨માં મૅટ્રિક. ૧૯૦૬માં મુંબઈ યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૦૮ માં એમ.એ. ૧૯૦૯માં એલએલ.બી, થોડો સમય ઉત્તરપ્રદેશમાં બરેલીની કોલેજમાં તત્ત્વજ્ઞાનના અધ્યાપક. ૧૯૬૨ થી મુંબઈ હાઈકોર્ટમાં વીશ. પછી મુંબઈ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ. ૧૯૪૯માં સૌચ રાજ્યની મુખ્ય અદાગમાં પહેલા મુખ્ય ન્યાયમૂત. ગુજત બુનિવર્સિટીના કુલપતિ. ફાર્બસ ગુજરાતી સભાના મંત્રી અને પછી પ્રમુખ.
Jain Education International
દિવેટિયા માધવરાવ બાબાશવાન કૃષ્ણવીર ત્ર લાળનારાયણ
૧૯૫૨માં નવસારીમાં મળેલી અઢારમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
‘ગીતામાં જીવનની કળા’(૧૯૫૭) એમના અનુવાદગ્રંથ છે. ‘નરસિંહ અને મીરાંનાં ભજનો’(૧૯૫૭) એમનો સંપાદનગ્રંથ છે. ‘માનસ સ’(૧૯૧૪), ‘બીનાદર્શન' વગેરે એમના અન્ય ગયા છે.
૪.ગા.
દિવ્યચક્ષુ (૧૯૩૨) : ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહ દ્વારા આખા દેશમાં વ્યાપી ગયેલ ગાંધીજીના વ્યક્તિત્વ, વિચારણા ને કાર્યક્રમનું દસ્તાવે નિરૂપણ કરતી, રમણલાલ વ. દેસાઈની લોકિય નીવડેલી નવલકથા. અહિંસાત્મક પ્રતિકાર, અસૂયાનિવારણ, સમાજસેવ, સ્વદેશી આંદોલન, સ્ત્રીસ્વાતંત્ર્ય, સભા સરઘસ, પોલીસના અન્યાચાર, અંગ્રેજ અમલદારોની જાહકમી વગેરે એ જમાનાની અનેક વૃત્તિઓ-પ્રવૃત્તિઓને અહીં સ્થાન મળ્યું છે. સાથેોસાથ અરુણ અને રંજનના પરસ્પરના પ્રેમની, અરુણ પ્રત્યે પુષ્પાની અને રંજન પ્રત્યે વિમોચનની આસકિતની કથા પણ કહેવાઈ છે. કૃતિને તે એક અંગ્રેજ કુટુંબને નાગમાંથી બચાવવા જતાં અરુણ અંધ બને છે, પણ રંજન જેવી સુશીલ પત્નીની નિષ્ઠા તથા અહિંસાના આદર્શમાંની સ્થાયી શ્રાહા રૂપે દિવ્યચક્ષુની પ્રાપ્તિ કર્યું છે.
દી.મ.
દિવ્યાનંદ : જુઓ, મુનશી રામરાવ માહનલાલ, દીક્ષિત ઈશ્વરદાસ અ. : નવલકથા ‘ઇન્દ્રય’(૧૯૧૯)ના કર્તા. નિ.વા.
દીક્ષિત કૃષ્ણવીર ઐલાકયનારાયણ, ‘પરંતપ’, ‘કૃ.દી.’ (૧૨-૭-૧૯૧૫) : વિવેચક, સંપાદક. જન્મ સુરતમાં. ૧૯૩૫માં મૅટ્રિક. ૧૯૪૫માં એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજ, સુરતથી બી.એ. ૧૯૩૫-૩૬ દરમિયાન સુરત સુધરાઈનાં જુદાં જુદાં ખાતાંઓમાં કામગીરી. ૧૯૩૬-૪૦ દરમિયાન શ્રી વિઠ્ઠલદાસ ઠાકોરદાસ હિંદુ ગુરુકુળ, સુરતમાં શિક્ષક. ૧૯૪૦-૪૧માં સાર્વજનિક મિડલ સ્કૂલ, ગેલવાડમાં શિક્ષક. ૧૯૪૫થી ૧૯૭૬ સુધી ‘જન્મભૂમિ’ દૈનિકમાં વૃત્તાસંપાદક. ૧૯૭૬-૭૮ દરમિયાન મણિબેન એમ. પી. શાહ વિમેન્સ કૉલેજ, માટુંગામાં અને ૧૯૭૪-૮૧ દરમિયાન એસ. એન. ડી. ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર ફોર જર્નાલિઝમ, ૧૯૪૮ થી આજ સુધી દૈનિક ‘જન્મભૂમિ’ના સાહિત્યવિભાગ ‘કલમ અને કિતાબ’નું તેમ જ ૧૯૫૪થી આજ સુધી સુરતના દૈનિક ‘ગુજરાત મિત્ર’ના સાહિત્યવિભાગ ‘અક્ષરની
ધનનું સંપાદન, પુસ્તકોનાં અવાકને અને પરિસંવાદ કે જ્ઞાનસત્રોનાં વૃત્તાન્તનવંનેની અપૂર્વ કામગીરી,
એમણે ગુજરાતી ગુજારે કોણીમાં સ્વામી આનંદ’(૧૯૮૬) પર અભ્યાસનિબંધ તૈયાર કર્યા છે. ‘જયાં ત્યાં પડે નજર મારી (૧૯૬૫)માં યોતીન્દ્ર કર્ષના નિષ્કંધાનું તેમ જ ‘દીયનો પત્રા (૧૯૭૪) અને હીરાને વધુ પબા'(૧૯૭૯)માં એચ. ટી. પારંખના સ્મૃતિપત્રોનું સંપાદન કરેલું છે. સ્વ. શ્રી રામજીભાઈ
ગુજરાતી સાહિત્યકોશ – ૨ : ૨૩૯
For Personal & Private Use Only
www.jainelibrary.org