________________
પરિચ્છેદ
સુસાધુ-અધિકાર..
પ૭,
wwww
મહાત્માનું આશ્રમસ્થાન. किमरण्यैरदान्तस्य, दान्तस्य च किमाश्रमः ।
यत्र यत्र वसेदान्तस्तदरण्यं तदाश्रमम् ॥१०॥ જે ઇંદ્રિયનું દમન કરનાર ન હોય તેને અરણ્યવાસ શા કામને છે? અને ઇંદ્રિયનું દમન કરનાર છે, તેમને આશ્રમોની શી જરૂર છે? ઇદ્રિને દમન કરનાર મહાત્મા જ્યાં જ્યાં વસે છે, તે તે અરણ્ય અને તે તે આશ્રમ છે. ૧૦
અવિકા કોને આપવી? अयाचनकशीलानां, दीक्षितानां तपस्विनाम् ।
अहिंसकानां मुक्तानां, कुरु वृत्तिं युधिष्ठिर ॥ ११ ॥ હે યુધિષ્ઠિર રાજા! જેઓ કોઈની પાસે યાચના કરતા ન હોય, જેઓએ દીક્ષા લીધી હોય, જેઓ તપસ્યા કરતા હોય, જેઓ હિંસા કરતા ન હોય અને જેઓ સંસારથી મુક્ત થયેલા હોય તેઓને આજીવિકા આપ. ૧૧
કર્મનું શોધન . नो मृत्तिका नैवजलं, नाप्यमिः कर्मशोधन ।
शोधयन्ति बुधाः कर्म, ज्ञानध्यानतपोजलैः ॥ १२ ॥ કર્મને શોધનારા મૃત્તિકા, જલ કે અગ્નિ નથી, પરંતુ વિદ્વાન પુરૂ જ્ઞાન, ધ્યાન અને તારૂપી જળવડે કર્મને શોધે છે. ૧૨ કેમકે
अशुचिः पापकर्मा यः, शुद्धकर्मा शुचिर्भवेत् ।
तस्मात्कर्मात्मकं शौचमन्यं शौचं निरर्थकम् ॥ १३ ॥ જે પાપ કર્મ કરનાર છે, તે હંમેશા અશુચિ છે અને શુદ્ધ કર્મ કરનાર છે, તે હંમેશા શુચિ છે, તેથી કર્માત્મક-કર્મરૂપ શિચ (શુદ્ધિ) સત્ય છે અને બાકીનું (મત્તિકા જળ વગેરે) શાચ નિરર્થક છે. ૧૩.
ક્રિયામાં તીર્થો, सत्यं तीर्थ तपस्तीर्थ; तीर्यपिन्द्रियनिग्रहः । सर्वभूतदया वीर्थमेततीर्थमुदाहृतम् ॥ १४ ॥