________________
+
+
1
૩૬ ળ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ..
ચતુર્થ વક પ્રકૃતિનું સ્વરૂપ.
वसन्तल्मिका. धत्तुरकन्टक फलपतिरोधबुध्या, वैरं वृथैव कुरुषे पनसेन सार्द्धम् । सन्तो हसन्ति न भजन्ति च चेतसा त्वां, भ्रान्ता भवन्ति पुरुषास्तसेवनेन ॥२॥
હે ધતૂરાના કાંટા ? તને જે ફળ ઉત્પન્ન થતાં નથી તેમાં કણસને દોષ નથી કે તું ફણસની સાથે મિથ્યા વેર કરે છે. કારણ કે ડાહ્યા પુરૂષ પ્રીતિથી તારી સેવા કરતા નથી, એટલું જ નહીં પણ તારી ઉલટી મશ્કરી કરે છે, કારણ કે તારૂં સેવન કરવાથી મનુષ્ય ગાંડા થાય છે. ૨
વકભાષિનું દ્રષ્ટાંત. મુંદ્રામાં એક આડેખાં કરીને મિખાં હતું, તેને એવી તે વિચિત્ર ટેવ હતી કે કઈ પૂછે તો તેને જવાબ સીધી રીતે સામા માણસને આપે નહી. મિઆના લાભની વાત પૂછવામાં આવે તેને પણ એજ જવાબ આપે, તે બીજી વાતને આડે જવાબ આપે એમાં નવાઈ શેની? તેથી બનતાં સુધી તેને કઈ બોલાવતું નહીં.
એક દિવસ ધીરજરામ તથા સૂર્યરામ કરીને બે પંડિત મિત્રોને પરસ્પર વાદ થયે, તેમાં ધીરજરામ કહે કે જે આપણે ભલાઈને નરમાશથી વર્તીએ તો સે માસુસો આપણી જોડે તેમજ તે તે બાબતમાં જે માણસ બીજા માણસને વાંક કાઢે છે તે તેમની ભૂલ છે. સામો માણસ આડો ચાલે તેનું કારણ આપણેજ આપણું તરફથી આપેલું હોવું જોઈએ એ ન્યાયશાસ્ત્રને ખાસ નિયમ છે.”
બીજા પંડિત સૂર્યરામે કહ્યું કે “આપ કહે છે તે નિયમ છે ખરો, પણ એ સર્વેને લાગુ પડે તેમ નથી. કેટલાક માણસે ના સ્વભાવજ એવા હોય છે કે ભલાઈ ને નરમાશથી તેના સાથે વર્તીએ તે પણ તે તે સામેને સામો થયા કરે છે. કહેવાય છે કે
બાર ગાઉએ બોલી બદલે, તરૂવર બદલે શાખા બુઢાપણામાં કેશ બદલે (પણ) લખણુ ન બદલે લાખા.
આ રીત ધીરજરામને ગમી નહીં. તેથી એનું સમાધાન કરવા બંને એક જગેએ બેઠા, ત્યાં આગળ આખાં મીયાં નીકળે. તેની સાથે પિતાને છોકરો આંગળીએ વળગેલું હતું. મિઆને જોઈએ સૂર્યરામે વાતચીત કરવા માંડી.
સૂર્યરામ-જમાદાર સાહેબ સલામ છે સલામ?
મિયાં-(સામું જોઈને મનમાં ) સલામવાલા કેનહય? (મોટેથી) બેલ કયા, કામ હે કુછ !
* કેતુકમાળા.