________________
પરિચ્છેદ ધર્મસ્વરૂપ-અધિકાર
૪૧૯ धर्म स्वरूप अधिकार,
citron આ અધિકારમાં ધર્મનું સ્વરૂપ, ફળ અને તેનું સર્વોપરિપણું વિવિધ પદ્યથી બતાવવામાં આવ્યું છે. તે અક્ષરશઃ મનન કરવા એગ્ય છે જગતના અનેક પ્રાણીઓમાં જે મનુષ્યનું શ્રેષ્ઠ પણું સ્વીકારવામાં આવે છે તે તે એક ધર્મથીજ. કહ્યું છે કે “સાદાનિદ્રામમૈિથુન ૨ સામાન્ય તામિરાળા ધ દિ તેપાધિ વિશે ઘન ફ્રીના પશુમિ સમાનાર” અર્થાત આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ ચાર આચરણે માટે મનુષ્ય પશુઓ સાથે સરખા છે. જ્યારે માત્ર મનુષ્યમાં ધર્મ એજ વિશેષ છે એટલે જે મનુષ્ય ધર્મથી હીન છે. તેઓ
પશુ તુલ્ય છે.
ધર્મએ મનુષ્યને ઉચ્ચ સ્થાને પહોંચવાને મુખ્ય આલંબન છે. અને તેના સેવનથી જ મનની નિર્મળતા થતાં આત્માને આગળ વધવાને તક મળે છે. માટે પ્રથમ ધર્મનું સ્વરૂપ સમજાવવા અધિકારનો આરંભ કરવામાં આવે છે.
ધર્મનું સ્વરૂપ.
અનુષ્ય, (૧ થી ૭) श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वा चैवावधार्यताम् । cle आत्मनः प्रतिकूलानि, परेषां न सपाचरेत ॥ १ ॥ હે વાંચક મહાશ! ધર્મનું સર્વસ્વ સાંભળે અને સાંભળીને નક્કી કરે કે જે કાર્યો પિતાને તથા બીજા પ્રાણીઓને પ્રતિકૂલ છે અથત દુઃખ આપવાવાળાં છે તે કોઈએ પણ ન કરવાં. ૧ -
ઘર્મના સ્થાન માટે પ્રશ્ન, कथमुत्पद्यते धर्मः, कथं धर्मो विवर्धते ।
कथं च स्थाप्यते धर्मः कथं धर्मो विनश्यते ॥॥ ધર્મ શીરીતે ઉત્પન્ન થાય છે? શી રીતે વધે છે ? શી રીતે સ્થાપન કરાય છે અને શીરીતે વિનાશ પામે છે? ૨. ઘર્મની ઉત્પત્તિ, વૃદ્ધિ, સ્થિરતા અને વિનાશનાં લક્ષણ.
सत्येनोत्पद्यते धर्मो, दयादानेन वर्धते ।
क्षमया स्थाप्यते धर्मः, क्रोधलोभाद्विनश्यति ॥ ३ ॥ જ ૧-૫ મહાભારત શાંતિપર્વ પ્રથમપાદ.