________________
પરિચ્છેદ
આત્મવિચાર અધિકાર
૫૩
અને વિકટ જાણતા વિવિધ વ્યવહારના કામ કરવાની તમને નવરાશ મળે છે, નાટકે જેવા જવાની અને રમત ગમત કરવાની તમને નવરાશ મળે છે, અને હૃદયમંદિરમાં પિસવાની તમને નવરાશ નથી મળતી. બહુ સારૂં બહાર ફર્યા કરે, બહાર સુખને શોધ્યા કરે. રતનની ઉપેક્ષા કર્યા કરે, અને ધુમાડાના બાચકા ભરીને ખુબ કમાણી કરી છે. એમ માનીને માનદમાં મગ્ન રહે. આખરે પિટી ખાલી ખમ્ રહ્યું, દરિદ્રતાનું દુઃખ જાયે, હૃદયમંદિરમાં પધારજો!
હૃદયમંદિરમાં પરમેશ્વરે વસે છે, એવું તમે શ્રદ્ધાપૂર્વક માને છે, એની ખાતરી શી? જો તમે માનતા જ છે કે હૃદયમાં તે છે, તે ત્યાં તમે તેમને શેાધોજ. પણ તમે ત્યાં નથી શોધતા, એ શું દર્શાવે છે? એજ કે તમને હદયમાં ઈશ્વર છે એની પૂણે ખાતરી નથી, અથવા ખાતરી છે તે તમને ઈશ્વર મેળવવાની હજી અગત્ય જણાતી નથી. કૂવામાં જળ છે એવું જાણવા છતાં તૃષાતુર મનુષ્ય કૂવામાંથી જળ કાઢવાનો પ્રયત્ન ન કરે તે શું સમજવું? એજ કે તેને હજી તૃષા લાગી નથી. તમે પણ હૃદયમંદિરમાં છે, એવું જાણતાં છતાં, જે હજી હદયમંદિર શોધતા નથી તે તમને પણ હજી ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઇચ્છા થઈ નથી.
પ્રત્યેક મનુષ્યના હદયમાં સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા અખંડ કુર્યા કરે છે, તેથી પ્રત્યેક મનુષ્યને ઈશ્વરને પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા છે, એ સિદ્ધ થાય છે. કારણકે ઈશ્વર અને સુખ એ બે કંઈ ભિન્ન પદાર્થ નથી. ઉભય એકજ છે, તેથી પ્ર. ત્યેક મનુષ્ય સુખને ઇચ્છતે હેવાથી તે ઈશ્વરનેજ ઇચ્છે છે. પરંતુ નિચારવાન મનુષ્ય જ્યારે આ સુખ અથવા ઈશ્વર હદયમાં છે, એમ માને છે, અને તેથી તેને ત્યાં શેળે છે ત્યારે અજ્ઞાની મનુષ્ય આ સુખ અથવા ઈશ્વર હૃદયથી બહાર છે, એમ માને છે, અને તેથી તેને બહાર શેધે છે. અને આથી સુખની યથેચ્છ પ્રાપ્તિ કરવા મા સર્વદા નિષ્ફળ રહે છે. સમુદ્ર પયતની પૃથ્વી પ્રાપ્ત કરવા છતાં શું નૃપતિને હૃદયમાં યથેચ્છ સુખ મળ્યું હોય છે ? ના, કારણકે સુષ બહારના પૃથ્વી આદિ પદાર્થોમાં નથી, પણ અંતર છે. અનર્ગળ દ્રવ્યને સંગ્રહ કરી શું શ્રીમાન પરમશાતિને અનુબવ કરે છે ? ચિંતા વગેરે સંતાપને ઉપજાવનારા વિકારથી તે રહિત હાય છે? ના, કારણકે પરમશાંતિ દ્રવ્ય વગેરે બાહ્ય પદાર્થો માં નથી, પણ અંતર છે. દેવાદિને વશ વર્તાવવા જેવું સામર્થ્ય તથા અલૈકિક ઐશ્વર્ય પ્રાપ્ત કરવાથી શું રાવણે અચલ તૃપ્તિને અનુભવ કર્યો હતો? ના, કારણ અચલ તૃપ્તિ બાહ્ય પદાર્થોમાં નથી પણ અંતર છે. જ્ઞાનવાન તથા અજ્ઞાનીને ભેદ આ જગાએજ છે. જ્ઞાનવાન સુખને અંતરમાં-હૃદયમાં–પિતાનામાં–શોધે છે. ત્યારે અજ્ઞાની સુખ બહાર-જગત્ - માં-શ્ય પદાર્થોમાં શેઠે છે.
હેજમાં અથવા ટાંકીમાં બારથી આને ભરેલું જળ થડા દિવસમાં ખાલી