________________
પર
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, ન પ્રશ્ન-જીવને જાણવાની શકિત કેટલી છે ? તે કયાં સુધી જાણવા મળે છે?
ઉત્તર–હે ભવ્ય! તે પિતાનાજ ધન સુખ દુઃખથી પ્રારંભીને સચેતન, રૂપ, અરૂપી, સૂમ, બાદરે એવા સર્વ દ્રવ્યને-વિશ્વ વ્યાપી ય રાશિ તમામને “દ્રવ્યથી” જાણવા સમર્થ છે. ક્ષેત્રથી સર્વ લેક અલેકમાં રહેલા પદાર્થોનાં ભાવોને
કાળથી” અતીત કાળે થઈ ગયેલા સર્વ ભાવોને, વર્તમાનમાં વર્તતા ત્રિભુવન વતી સર્વ ભાવને, તેમજ “ભાવથી” રૂપી, અરૂપી, જડ, ચેતન સર્વ વસ્તુના ગુણ પર્યાય-ઉત્પાદ, વ્યય, સ્થિતિ, વર્તનાદિક સર્વને જાણુવાને સર્વ જીવોની ચેતના શકિતવાળી છે. - - પ્રશ્નો એટલી મહા જ્ઞાનશક્તિ સદા ચેતનમાં વિદ્યમાન છે તે તે ચેતના આપે કહ્યા પ્રમાણે સર્વદા કેમ જાણતી નથી?
ઉત્તર–હે ભવ્ય ! ચેતનાની એ પ્રકારની જ્ઞાન શકિતને જ્ઞાનાવરીય કમેં સર્વ આવરી લીધી છે માત્ર કેવળ જ્ઞાની શિવાય સર્વ સંસારી છદ્મસ્થ જીવોને સં. પૂર્ણ ચેતનાને અનંત અંશ જ પ્રગટ છે, તેથી છદ્મસ્થાને સર સેય ભાવને અનંતમો ભાગજ જાણવામાં આવે છે. આમ હવાથી ચેતના સદા સ ય રાશિને જાણતી નથી.
પ્રશ્ન એ રૂપી ગુણ છે કે અરૂપી ગુણ છે? - ઉત્તર–અરૂપી ગુણ છે.
પ્રશ્ન–હે મહારાજ! આપ આત્માની વાતે જીવને લાગુ કરે છે અને જીવની આત્માને લાગુ કરે છે એમ કેમ કરે છે?
ઉત્તર–હે ભવ્ય! આત્મા, ચેતન, જીવ, પ્રાણી ઈત્યાદિક સર્વ એક વસ્તુના જ પર્યાયી નામ છે. વસ્તુ જુદી જુદી નથી; નામ જુદાં છે. જેમ સુવર્ણ, હેમ, હાટક, ચામીકર, કનક, કાંચનાદિક નામ જુદાં છે પણ વસ્તુ તે એક સુવર્ણ જ છે. તે માટે આત્મા ને જીવ બન્ને એક જ વસ્તુ છે. નામ જુદાં કહેવાથી ભુલાવે ખાવાને નથી.
આ પ્રમાણે જીવનું વરૂપ સમજાવતાં આ આત્મસિદ્ધિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.