________________
પરિચ્છેદ
૫૨૧
ઉપસંહાર उपसंहार.
છેઆ સર્વ કહીને સિદ્ધ કરવાનું એજ છે કે વિચારનાં દેલને અત્યંત સૂમ તથા અત્યંત વેગવાળાં હોવાથી સમગ્ર દશ્ય પ્રપંચ ઉપર તે સામ્રાજ્ય ભેગવે છે. પહાડ જેવું જણાતું શરીર, હૃદયને ભારે ધક્કો લાગે એ વિચાર એક ક્ષણવાર ઉઠતાં શબ થઈ પૃથ્વી પર પડે છે, એ બનાવ વિચારનાં આંદોલનનું સામર્થ્ય સૂચવે છે. મહાશકથી એક રાત્રિમાં યુવાન મનુષ્યના શરીરમાં ફેરફાર થઈ પ્રાતઃકાળે તેના કેશ વેત થઈ તે યુવાનને વૃદ્ધ થઈ જાય છે, એ પ્રસંગ વિચારનાં આંદલોનું વિલક્ષણ બળ સૂચવે છે. મૃત્યુની પથારીએ પડેલા મનુષ્યનો વ્યાધી એક ક્ષણમાં નિવૃત્ત થઈ, તેનામાં વિલક્ષણ બળ જણાવાનાં ઉદાહરણે વિચારનાં આંદોલનનું જડ ઉપર કેટલું સામ્રાજ્ય છે તે સ્પષ્ટ કરે છે. શ્રાપ તથા વર વગેરે સફળ થવા માં આ વિચારનાં આંદોલને જ હેતુ છે. સ્વલ્પમાં વિચારનાં અદેલનો સર્વ કરવાને સમર્થ થાય છે.
વિચારમાં સર્વ કાર્યોને સિદ્ધ કરનાર અદેલને પ્રકટાવવાનું બળ ચિતિશ. તિના સામર્થ્ય વડેજ ઉત્પન્ન થઈ તે વિચાર કેઈ પણ કાર્ય કરવા સમર્થ થાય છે. ચિતિશક્તિરૂપ અખૂટ ભંડારમાંથી વિચાર, ઈચ્છાનુકૂળ સામર્થ્યને પ્રાપ્ત કરી આ જગત માં ઈછાનુકૂળ કાર્યોને સાધે છે. મનુષ્ય જે પ્રકારને વિચાર સેવે છે તે પ્રકારનું બળ ચિતિશક્તિમાંથી તેને પ્રાપ્ત થઈ તે વિચારાનુસાર ફળને તે પ્રત્યક્ષ કરે છે. તમે ચિંતાના વિચાર સેવ-અપ સમયમાં તમને જ્યાં ત્યાંથી ચિંતાનાં જ કારણે ઉભાં થયેલાં જશે; કારણુ વિચારનાં આંદેલને પ્રકૃતિ પ્રદેશમાં વહીને તમારા વિચાર પ્રમાણે જ તમને ફળ દેખાડે છે. તમે ભયના વિચારને સેવા કરે-૯૫ સમયમાં તમને તમારું માગેલું મળશે જ. હું એક મહિનામાં મરી જઈશ, એવું તમે દઢપણે માન્યા કરો-મડિને પૂરે થતાં તમે અવશ્ય મૃત્યુને પામવાના જ. વિચારનાં આંદલોનું સામર્થ્ય, મનુષ્ય જાણે છે તેના કરતાં અત્યન્ત મેટું છે.
દીપક ઉપર કાળી હાંડી ઢાંકતાં કાળે પ્રકાશ અને તેમાં દીપકને દોષ છે? અથવા તેના ઉપર ઘડો ઢાંકતાં બીલકુલ પ્રકાશ ન આવે તેમાં દીપકને અપરાધ છે ? કાળી હાંડીમાં દીપક મૂકે, તમને કાળે પ્રકાશ મળશે; લીલીમાં મૂકો, લીલો મળશે, અને ઘડામાં મૂ, તમે અંધારામાં રહેશે. દીપકને શુદ્ધ પ્રકાશ જોઈતું હોય તે તેના ઉપર સ્વચ્છ પારદર્શક આચ્છાદન મૂકે. તેને પ્રકાશ આવી શકે તેવું આચ્છાદન મૂકે, અથવા કેવળ દીપકનો જ લાભ જેતે હોય તે આચ્છાદન માત્ર દૂર કરે.
# અધ્યાત્મબલ પોષક ગ્રંથમાલા પ્રથમ અક્ષ–