________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ. સુભાગી અને નિર્ભાગીના વર્તનને ભેદ, अतः सिञ्चन्ति तं पुण्यक्रियानीरेण पण्डिताः ।
अनाचारकुठारेण पुनश्छिन्दन्ति बालिशाः ॥ १५ ।। - વિદ્વાન પુરૂ પુણ્યની ક્રિયા રૂપી જળથી તે ધર્મવૃક્ષનું સૂચન કરે છે. પરં. તું મૂર્ખ લે કે તે અનાચાર રૂપી કુવાડાથી તેને કાપી રહ્યા છે. ૧૫
પ્રાણુતે પણ ધર્મનું સેવન. अकर्तव्यं न कर्तव्यं प्राणैः कण्ठगतैरपि ।
: सुकर्तव्यं तु कर्तव्यं प्राणैः कण्ठगतैरपि ॥१६॥ પ્રાણે કંઠગત થયા હોય અથત મરણની છેલ્લી ઘડી હોય તે પણ જે કાર્ય કરવાનું નથી તે ન કરવું. અને જે ધર્મ કાર્ય શુભ કર્તવ્ય રૂપ છે તેને કંઠ ગત પ્રાણે હોય ત્યાંસુધીમાં પણ કરવું. ૧૬
અમૃતની આશાએ ઝેરનું સેવન કરતા મૂર્ખા. धर्मस्य फलमिच्छन्ति धर्मं नेच्छन्ति मानवाः ।
फलं पापस्य नेच्छन्ति पापं कुर्वन्ति सादराः ॥१७॥ મનુષ્ય ધર્મના ફળને ઈચ્છે છે એટલે ધન સુખ પુત્રાદિક જે ધર્મનું ફળ છે તેને ઈરછે છે પણ ધર્મને ઈચ્છતા નથી. અને દુઃખ રાગાદિક એવા પાપના ફળને ઈચ્છતા નથી છતાં પાપ કર્મ તે આદર સહિત કરી રહ્યા છે. ૧૭ જીવને ત્રણ શત્રુથી સાવધાન રહેવા માટે ઉપદેશ.
आर्या. मा सूअह जग्गोअब्बं पलाइअव्वं न कीस वीसमह ।
तिनि जणा अणुलग्गा रोगो अ जरा य मच्चू अ॥ १८ ॥ * પછવાડે લાગેલા રોગ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ એ ત્રણ શત્રુ જ્યાંસુધી નજીક આવ્યા નથી ત્યાં સુધી તમે સુઓ નહી, સુતા હો તે જલદી જાગે, જાગતા હે તે ધર્મ ધ્યાન માટે જલદી દડો ( અર્થાત્ સર્વ સમયમાં ધર્મ ધ્યાન કરે.) ૧૮
* मा स्वपीहि जागरितव्यं पलायितव्यं मा क्वापि विश्रामय । त्रयो जना अनुलग्ना र गश्च जरा च मृत्युश्च ॥