________________
૪૬૦
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. - તે સર્વ જઈને પેલા વંઠે વિચાર્યું કે અહ? આ મુનિના વેષને મહિમા કે છે? હું ભિક્ષુક છતાં આ સર્વ લેકને પરાભવ કરનાર અને જગત જેની વદના કરે છે એવા મંત્રીએ મને વંદના કરી; તેથી આ જગવંદ્ય વેષને હું ભાવથી પશુ શરણરૂપ કરૂં છું.” એમ નિશ્ચય કરીને તે ગિરનાર પર્વત પર જઈ બે માસના અનશનથી કાળ કરીને દેવલોક ગયે. “ઉઘન મંત્રીએ તથા સામંતદિકે તે મુનિની શુદ્ધ પ્રશંસા કરી, જે સાંભળીને ભિક્ષુકની શ્રદ્ધા દઢ થઈ, તેથી તે ગિરનાર પર જઈને સ્વર્ગે ગયે. ”
પછી સામંતરિક સૈય સહિત પાટણ આવ્યા, અને શ્રી ચૌલુક્ય [ કુમારપાળ] રાજાને શત્રુની લક્ષમી વિગેરેનું પ્રાભૂત [ ભેટશું] આપીને શ્રો ઉઘન પ્રધાનના શાર્યની પ્રશંસા પૂર્વક તેને સર્વ વૃત્તાંત કર્યો. પછી રાજા, સામંત વિગેરે બાહઅને અંબઇને ઘેર ગયા, અને તેમને શેક ઉતરાવી બોલ્યા કે–
युवां यदि पितुर्भक्ती, धर्ममर्मविदावपि ।
उदध्रियेथां तदा तीर्थे, गृहीत्वा तदभिग्रहान् ॥१॥ ભાવાર્થ જે તમે બન્ને ભાઈઓ ખરેખરા પિતાના ભક્ત છે અને ધર્મના રહસ્યને જાણતા હો, તે તમારા પિતાએ ગ્રહણ કરેલા અભિગ્રહને ગ્રહણ કરીને તે બને તીર્થને ઉદ્ધાર કરે.”
ऋणमन्यदपि प्रायो, नृणां दुःखाय जायते । ___ यद्देवस्य ऋणं तत्तु, महादुःखनिबंधनम् ।। । ભાવાર્થ–બીજું [કિક ] કણ પણ ઘણું કરીને માણસને દુઃખદાયક થાય છે, તે દેવનું ત્રણ મહા દુઃખનું કારણભૂત છે.
स्तुत्याः सुतास्त एव स्युः पितरं मोचयंति ये।।
ऋणाद्देवऋणात्तातं मोचयेथां युवां ततः ॥ ३ ॥ ભાવાર્થ––“જેઓ પિતાના પિતાને ત્રણથી મુક્ત કરે છે, તે પુત્ર જ પ્ર. શંસા કરવા લાયક છે, તેથી તમે તમારા પિતાને દેવઋણથી મુક્ત કરે.”
सवितर्यस्तमापन्ने, मनागपि हि तत्पदम् । ।
अनुद्धरंतस्तनया नियते शनिवज्जनैः ॥ ४॥ ભાવાર્થ “સવિતા અસ્ત પામ્ય સતે તેના પુત્ર જે તેને સ્થાનને જરા પણ ઉદ્ધાર ન કરે, તો તેવા પુત્રો શનિની જેમ લેકે વડે નિંદાય છે. ”
૧ સવિતા એટલે સૂર્ય તથા પિતા એ બે અર્થ થવાથી સુર્ય અસ્ત પામે ત્યારે જે તેના સ્થાનને શનિ નામનો ગ્રહ જુએ નહીં તે તે ઘણે રિષ્ટ ગણાય છે, એ વાત જ્યોતિષ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે.