________________
પરિચ્છેદ
તીર્થ માઓ-અધિકાર.
૪૬૫
માટે રાજાને, હેમાચાર્યને તથા સકલ સંઘને બોલાવીને શ્રી સુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરી. પૂર્વે શ્રી મલિલકાર્જુનને જીતીને અખંડ મંત્રો તેને દ્રવ્યકેશ લાવ્યું હતું, તે કુમારપાળ રાજાએ તેને જ આપ્યું હતું, તેમાંથી બત્રીશી ઘડી સુવર્ણ વડે કળશ, સુવર્ણદંડ તથા પદ્ધકુળમય દવા કરાવી તેની યથાવિધિ પ્રતિષ્ઠા કરીને તેને પ્રાસાદ ઉપર સ્થાપન કર્યા. પછી અતિ હર્ષના આવેશથી ચૈત્યના શિખર પર ચડીને તેણે સુવર્ણ અને રતનની વૃષ્ટિ કરી
પછી શિખર ઉપરથી ઉતરીને ચાલુક્ય રાજાની પ્રેરણાથી આમૃભટ મંત્રીએ આરતી વિગેરેનું કાર્ય શરૂ કર્યું. તે વખતે શ્રી સુવ્રતસ્વામીની પાસે કુમારપાળ રાજા વિધિ કરાવનાર તરીકે રહ્યા. તેર સામંત સુવર્ણના દંડવાળા ચામરને ધારણ કરીને ઉભા રહ્યા. અને વાગભટ વિગેરે મંત્રીએ સર્વ સાહિત્ય તૈયાર કરી આપનારા થયા પછી આરતી ઉતારીને મંગળદીપ પ્રગટ કર્યા. તે સમયે પ્રભુના ગુણ ગાનારાઓને બત્રીસલક્ષ દ્રવ્યનું દાન આપ્યું તેનું આવું લોકેત્તર ચરિત્રને જોઈને ચિત્તમાં આ શ્ચર્ય ઉત્પન્ન થવાથી જન્મ પર્ચત મનુષ્યની સ્તુતિ ન કરવાનો નિયમ ભૂલી જઈને શ્રી હેમચંદ્રસૂરિ બોલ્યા કે–
किं कृतेन हि यत्र त्वं, यत्र त्वं किमसौ कलिः।
कलौ चेद्भवतो जन्म कालरस्तु कृतेन किम् ॥ १ ॥ • ભાવાર્થ–“હે મંત્રી ! તું જ્યાં છે ત્યાં સત્યયુગે કરીને શું ? અર્થાત જ્યાં તું છે ત્યાં સત્યયુગ જ છે અને જ્યાં તું છે ત્યાં આ કળિયુગ શું છે? અર્થાત્ કળિ યુગનું કાંઈ ચાલતું જ નથી. તેથી જો તારે જન્મ કળિયુગમાં હોય તે એ કળિયુગજ સર્વ કાળ હા, સત્યયુગનું કાંઈ કામ નથી.” ૧
कृते वर्ष सहस्रेण, त्रेतायां हायनेन च ।
द्वापरे यच्च मासेन, अहोरात्रेण तत्कलौ ॥२॥ ભાવાર્થ-જે કાર્ય સત્યુગમાં હજાર વર્ષે સિદ્ધ થાય છે, ત્રેતાયુગમાં એક વર્ષે સિદ્ધ થાય છે અને દ્વાપરમાં એક માસે સિદ્ધ થાય છે, તે કળિયુગમાં માત્ર એક અહોરાત્રમાં જ સિદ્ધ થાય છે. ” ૨
આ પ્રમાણે આદ્મભટની પ્રશંસા કરીને ગુરૂ તથા રાજા પિતાને સ્થાનકે ગયા. ( પાટણ ગયા.)
અહીં ગુરૂ તથા રાજાના ગયા પછી આમભટ મંત્રીને અકસ્માત્ કઈ દેવીના ષથી મરણ તુલ્ય મૂછી આવી. તે વત કેઈએ ગુરૂ પાસે જઈને વિનંતિ પૂર્વક નિ. વેદન કરી, ત્યારે ગુરૂએ તરતજ જાણ્યું કે “તે માહાત્માએ પ્રસાદના શિખર ઉપર # ચડીને હર્ષથી નાચ કર્યો તે વખતે કે ઇમિથ્યાણિ દેવીઓને દછિદોષ લાગવાથી
આ થયું છે. ” એમ જાણીને સ ધ્યાકાળે યશશ્ચંદ્ર નામના ઉપાધ્યાયને સાથે