________________
૫૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ
ઉચ્ચ રિતિએ ચડી શકતા નથી મહાન મુનિએ અનેક કટે સેવી,અનેક ગુણે પિતામાં પ્રાપ્ત કર્યા છે, પણ તેવા પુરૂષામાં જ્યારે મમતા પ્રાપ્ત થાય છે ત્યારે તે મમતાના લોભથી પ્રાપ્ત કરેલા ગુણે ક્ષણમાં તેઓ માંથી નાશ પામી જાય છે મમતા ક્યાંથી અને શાથી પેદા થાય છે, તેને માટે અમુક સ્થળ કે અમુક કારણ નિમિત નથી; ગમે તે સ્થળમાં ગમે તે વિષયમાં મમતા પિતે પિતાને દેખાવ દે છે અને જગતના જીવોને છેતરે છે પુત્ર ત્યજ્યા, અને શિષ્ય ઉપર મમતા થઈ; ઘર મૂકી અનગાર બન્યા, ત્યાં ઉપાશ્રયના વેશમાં મમતા જાગ્રત થઈ. ધન અકર્યા, ત્યાં પુસ્તકના સ્વરૂપે મમતાએ દેખાવ આપો, આ બધું એ સચવાયું તે છેવટ સ્વમતાગ્રહરૂપે મમતાએ પિતાને વેશ ભજવ્યો, આમ અનેકધાં અમુક વિષયમાં મમતા સબળોને નિર્બળ બનાવે છે, એક સાદી અને નાનામાં નાની ચીજ, જેને આપણે નકામી માનતા હોઈએ તેમાંથી પણ મમતા જન્મ પામે છે તેને માટે એક દાખલે છે કે –
કોઈ તપસ્વી હતું, અને તે માત્ર એકજ લગેટી મર્યાદા માટે રાખતે હતે. એક વખત તેના મનમાં સામાન્યતઃ એવી સ્કૂરણ થઈ કે, એકથી બીજી લંગોટી હોય તે અનુકુળતા ઠીક થઈ પડે. આ ઉપરથી એકની બે લંગોટી થઈ ત્યાર પછી લગેટી મૂકવા માટે સ્થળ નિર્માણ કર્યું સ્થળમાં ઉંદર લંગોટી કાપવા લાગ્યા, એ. ટલે બીલાડી રાખવાનું મન થયું. બિલાડી અને પછી તેનાં બચ્ચાં તેને દુગ્ધ પાન કરાવવા તે મહા તપસ્વીએ ગાય રાખી, તેમાંથી વાછડા થયા. એટલે ખેતીવાડી કરવા લાગ્યા. રાજાની જમીન વિના અજ્ઞાએ ખેડવાથી ગુનેગાર ઠર્યા. કેદ પકડાયા, રાય તરફથી શિક્ષા મળી કે આખો દિવસ વાંસા ઉપર પથ્થર મૂકી તડકામાં ઉભે રાખો. મહાત્માની તરતજ તે પ્રમાણે સ્થિતિ કરવામાં આવી. તે વખતે મહાત્માને વિચાર થયે કે, મારી આ દશા કરનાર આ લંગોટી છે, જે એકની બે લંગોટી ન કરી હોત તે હું આ સ્થિતિએ પહોંચતા નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે એક સાધારણ ચીજમાં મમતા પિતાનું સામ્રાજ્ય કેવી રીતે વધારે છે તે આવાં દષ્ટાંતથી સમજી, તેથી વિમુખ કેમ રહેવું એ તરફ વિશેષ લક્ષ આપવા જરૂર છે. ત્યાગીઓ માટે જ્યારે આવી ફીકર રહે છે. તે પછી જે ગૃહસ્થાશ્રમમાં રહેનારા બહારથી એટલે વ્યવહારથી ભલે, અમુક જાતના નિયમો કે વ્રતો સ્વીકારે, પણ તેઓએ એટલું ખાસ યાદ રાખવું જોઈએ કે, જ્યાં સુધી હદયમાંથી મમતા તૃષ્ણા મંદ થઈ નથી, તથા તે મંદ કરવા પ્રયત્ન સેવા નથી, ત્યાં સુધી તે ઉચ્ચ કેટિએ કદી પણ ચડી શકવાને અધિકારી બનવાના નથી. આ દરેક હકીકત ઉપરથી એમ સમજવને સબળ કારણું મળે છે, કે ક્રિયાજોને કરતાં વિચારજેને તેજ ખરા અને શ્રેષ્ઠતા કહી શકાય. વિચાર અને ક્રિયા બને પક્ષે જેમાં નવ ઉદભવેલ છે. તેઓ શ્રેષ્ઠતમ જેને તરીકે માની શકાય. પણ વિચાર જૈન વિના યિા જેને