________________
૪૫ર
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
છે. ૧૪
www.
ખરા જૈનોમાં બાહ્યાડંબર છે હાય, કેમકે તેઓ આત્મઠિત તરફ પોતાનું લય વિશેષ રાખે છે, અને અભિમાનાદિકને અંતઃકરણથી ધિક્કારે છે; જ્યારે નામના જેનેમાં બાહ્યાડંબરને વિશેષ માન અપાય છે માનાકાંક્ષિપણું પણ તેવાઓમાં ઉગ્ર હાય છે, અને તેઓને પિતાના માનની ક્ષતિમાં બહુ લાગી આવે છે, જેથી કૃત્ય અકૃત્ય ધમધર્મ, પાપ પુણ્યથી નિરપેક્ષ બની પોતાના માનને ખાતર ગમે તે કરવા તૈયાર થાય છે. આવા જૈને જેને નથી પણ સંસાર પરિભ્રમણને લાયક પામર પ્રાણી છે. પછી તે શ્રાવક નામધારી કે સાધુ નામધારી કે ગમે તે હે, પણ સમ્યકત્વને અભાવ અથવા સમ્યત્વની ખામી મારામાં છે, એવા વિચારથી પિતાનું હદય પારખ્યું નથી પિતાની સ્થિતિ ઓળખી નથી. તેવાઓ બાહ્ય પ્રવૃત્તિથી પિતામાં સાધુ શ્રાવકપણુની પૂર્ણતા માની આગળ વધતા અટકે છે. અધુરાથી મનાઈ ગયેલી પૂર્ણતા અધુરાપણું મટે છે. હાલમાં સભાઓથી, મંડળેથી, મંડળીઓથી, અને સંસ્થાઓથી થતા સુધારા જૈન ધર્મની ઉન્નતિનાં કારણે છે, એમ માનવામાં આવે છે, ભલે બાહ્ય વ્યવહારની અમર્યાદામાંથી મર્યાદામાં લાવવા સમર્થ થાય, પણ જૈનત્વ તે કર્મમળને (મિથ્યાત્વને) દૂર કર્યા વિના, નવતત્વનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના, અને તેમાં યથાર્થ શ્રદ્ધા થયા વિના આવવાનું નથી. નવતત્વને અંતેજ લખ્યું છે કે, નંવાર નવ ચળે તો ગાડુ તરસ હો સન્મત્ત એટલે જીવાદિક નવ પદાર્થને જે જાણે, તેને સમ્યકવવાન કહેવા એટલે નવતત્વની ગાથાઓ સુખ પાઠ કરવી, તેના અર્થ ભણી જઈ, અમે નવતત્વ શીખ્યા છીએ, એમ માનવું અગર બાલવું, તે જ્યાં સુધી તે નવતત્વથી થયેલું જ્ઞાન પિતામાં વાપણું નથી, એટલે હું જીવ છું, આ અજીવ છે, આ પાપ છે, આ પુચ છે, આ બંધ છે, આ આશ્રવ છે વગેરે પિતામાં નવ તત્વમાંથી ક્યાં કયાં ઉપલબ્ધ છે, પિતે કઈ પરિસીમામાં વર્તે છે, એ ખ્યાલ નથી, એવું મનન નથી ત્યાં સુધી નવતત્વનું છે. જ્ઞાન છે. તે ચંદન ભાર વાહી ગર્દભવત્ છે શાસ્ત્રમાં સ્થળે સ્થળે શ્રાવકેના વર્ણનમાં “ જીવજીવાદિક નવ પદાર્થના જાણુ” એવાં વિશેષ પર્વ શ્રાવકોને માટે વાંચવામાં આવે છે. હાલમાં જુગારી પણ જૈન, અત્યાચાર સેવનાર પણ જૈન, વેપારમાં
અનેક જાતના મૃષાવાદના ટેપલા ઉપાડનારા પણ જૈન, જે 1 કરનાર પણ જૈન, વિશ્વાસઘાત કરનાર પણ જૈન, કેમમાં–સંઘમાં જ્ઞાતિમાં–કુટુંબમાં-મિ માં કલહ જગાડનાર પણ જૈન, એમ જૈનેના ઘેઘ ઉભરાઈ નીકળ્યા છે. એ કંઈ બે અક્ષરનું જ્ઞાન સંપાદન કરી, જ્ઞાનીઓમાં ખપનાર છે, તેઓ પૈકી કેટલાક ગચ્છાગ્રહી, મતાગ્રહી, અને કેટલાક વમત સ્થાપન શૂરા લેવામાં આવે છે. બી. જાઓના વિશ્વાસ પિતાઉપર બેસાડી, ઘણી વખતે તે વિશ્વાસને ગેર ઉપયોગ કરતા દેખાય છે. જાણુવું, બોલવું અને વર્તવું એ ત્રણે એક જાતના હોય એવું સહસ્ત્રમાંથી એક બેમાંજ ભાગ્યે દેખાવા સંભવ છે.