________________
પરિચ્છેદ.
ધર્મસ્વરૂપ-અધિકાર
૪૨૧
ધર્મ દેહધારી પ્રાણીઓનું મહા કલ્યાણ છે. ધર્મ સમગ્ર પીડાને નાશ કરનારી માતા છે. ધર્મ ઈચ્છલ અર્થને પૂર્ણ કરનાર પિતા છે. ધર્મ નિત્ય આનન્દને વધારનાર સહુદ્ર મિત્ર છે. ૮
ધર્મ કરનારને શું શું ફલ મળે છે?
- ૩પજ્ઞાતિ (૯ થી ૧૧) दिने दिने मञ्जुलमंगलाली सुसम्पदः सौख्यपरंपरा च ।
इष्टार्थसिद्धिर्बहुला च बुद्धिः सर्वत्र सिद्धिः सृजतां सुधर्मम् ॥९॥ સદુ ધર્મનું આચરણ કરનાર મનુષ્યને સર્વ ઠેકાણે દિવસે દિવસે સુન્દર મંત્ર ગલની પંક્તિઓ, સારી સંપત્તિઓ, સુખની પરંપરા, ઈષ્ટ-ઇચ્છિત અર્થની સિદ્ધિ, ઘણું બુદ્ધિ, અને સર્વત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૯
ઘર્મશીલ પુરૂષને સર્વત્ર નિર્ભયપણું. यो धर्मशीलो जितमानरोपी विद्याविनीतो न परप्रतापी ।
स्वदारतुष्टः परदारवर्जी न तस्य लोके भयमस्ति किंचित् ॥१०॥ ધર્મશીલ, માન, ક્રોધને જય કરનાર તથા વિદ્યાથી વિનીત-વિનયવાળે, બીજાને દુઃખ ન આપનાર, પિતાની સ્ત્રીમાં સંતોષ રાખનાર અને બીજાની સ્ત્રીઓને ત્યાગકરનાર જે પુરૂષ છે. તેને જગતમાં કાંઈ ભય-બીક નથી ૧૦
ઘર્મ હીન પુરૂષનું જીવન પશુ તુલ્ય છે. त्रिवर्गसंसाधनमन्तरेण पशोरिवायुर्विफलं नरस्य ।
तत्रापि धर्म प्रवरं वदन्ति न तं विना यजवतोऽर्थकामौ ॥११॥ હે ભવ્ય જન ધર્મ અને કામાદિના સાધન વિના મનુષ્યનું આયુષ્ય છાગાદિકની પેઠે નિષ્ફળ જાણવું. અર્ધાતુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર જે પુ. રૂષાર્થ છે. તેમાં મેક્ષનું સાધપણું દુર્લભ છે. જ્યારે બાકીના ધર્મ, અર્થ અને કામ, એ ત્રણના ઉપાર્જન વિના મનુષ્યનું જીવિતવ્ય પશુની પેઠે વિફલ જાણવું. એ ત્રણ વર્ગમાં પણ ધર્મને શ્રેષ્ઠ કહે છે કેમકે ધર્મ વિના અર્થ અને કામ બેઉ હોય શકે નહીં, કારણકે જેણે પૂર્વ જન્મ ધર્મ કર્યો છે તેને જ અર્થ કામ આ જન્મમાં પ્રાપ્ત થાય છે. તે માટે ત્રણ વર્ગમાં પણ જે ધર્મ છે તેજ શ્રેષ્ઠ છે. તેથી હે ભવ્ય પ્રાણીઓ મનને વિષે વિવેક લાવીને શ્રી સર્વ પ્રણીત ધર્મજ આદર. ૧૧