SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. ધર્મસ્વરૂપ-અધિકાર ૪૨૧ ધર્મ દેહધારી પ્રાણીઓનું મહા કલ્યાણ છે. ધર્મ સમગ્ર પીડાને નાશ કરનારી માતા છે. ધર્મ ઈચ્છલ અર્થને પૂર્ણ કરનાર પિતા છે. ધર્મ નિત્ય આનન્દને વધારનાર સહુદ્ર મિત્ર છે. ૮ ધર્મ કરનારને શું શું ફલ મળે છે? - ૩પજ્ઞાતિ (૯ થી ૧૧) दिने दिने मञ्जुलमंगलाली सुसम्पदः सौख्यपरंपरा च । इष्टार्थसिद्धिर्बहुला च बुद्धिः सर्वत्र सिद्धिः सृजतां सुधर्मम् ॥९॥ સદુ ધર્મનું આચરણ કરનાર મનુષ્યને સર્વ ઠેકાણે દિવસે દિવસે સુન્દર મંત્ર ગલની પંક્તિઓ, સારી સંપત્તિઓ, સુખની પરંપરા, ઈષ્ટ-ઇચ્છિત અર્થની સિદ્ધિ, ઘણું બુદ્ધિ, અને સર્વત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૯ ઘર્મશીલ પુરૂષને સર્વત્ર નિર્ભયપણું. यो धर्मशीलो जितमानरोपी विद्याविनीतो न परप्रतापी । स्वदारतुष्टः परदारवर्जी न तस्य लोके भयमस्ति किंचित् ॥१०॥ ધર્મશીલ, માન, ક્રોધને જય કરનાર તથા વિદ્યાથી વિનીત-વિનયવાળે, બીજાને દુઃખ ન આપનાર, પિતાની સ્ત્રીમાં સંતોષ રાખનાર અને બીજાની સ્ત્રીઓને ત્યાગકરનાર જે પુરૂષ છે. તેને જગતમાં કાંઈ ભય-બીક નથી ૧૦ ઘર્મ હીન પુરૂષનું જીવન પશુ તુલ્ય છે. त्रिवर्गसंसाधनमन्तरेण पशोरिवायुर्विफलं नरस्य । तत्रापि धर्म प्रवरं वदन्ति न तं विना यजवतोऽर्थकामौ ॥११॥ હે ભવ્ય જન ધર્મ અને કામાદિના સાધન વિના મનુષ્યનું આયુષ્ય છાગાદિકની પેઠે નિષ્ફળ જાણવું. અર્ધાતુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર જે પુ. રૂષાર્થ છે. તેમાં મેક્ષનું સાધપણું દુર્લભ છે. જ્યારે બાકીના ધર્મ, અર્થ અને કામ, એ ત્રણના ઉપાર્જન વિના મનુષ્યનું જીવિતવ્ય પશુની પેઠે વિફલ જાણવું. એ ત્રણ વર્ગમાં પણ ધર્મને શ્રેષ્ઠ કહે છે કેમકે ધર્મ વિના અર્થ અને કામ બેઉ હોય શકે નહીં, કારણકે જેણે પૂર્વ જન્મ ધર્મ કર્યો છે તેને જ અર્થ કામ આ જન્મમાં પ્રાપ્ત થાય છે. તે માટે ત્રણ વર્ગમાં પણ જે ધર્મ છે તેજ શ્રેષ્ઠ છે. તેથી હે ભવ્ય પ્રાણીઓ મનને વિષે વિવેક લાવીને શ્રી સર્વ પ્રણીત ધર્મજ આદર. ૧૧
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy