________________
પરિચ્છેદ દુર્જનનિદા-અધિકાર.
૩૫૩ : ફખાને દઢ વિચાર મેમાનને કાઢી મુકવાનો હતો તેથી લાઈલાજે તેનું કહેવું કબુલ રાખ્યું, ને પિતાને ઘેર જતી વખત જાલમખાંને પાછળથી આવવાનું કહેતે ગયે.
ફતેખાંએ ઘેર આવી કમાડ બંધ કરીને મેમાનને વાસ્તે હોકા ભરાવ્યા ને અગાઉના વખતની વાત કરવા માંડી.
જાલમખાંએ બીજા પાંચ સાત આદમીને બોલાવ્યા, ઢાલ, તરવાર, અને બંદુક હાથમાં લઈ લીધી, જામગરી સળગતી રાખી ફખાના ઘર આગળ તે માણસ સહિત આવી હાકોટે કર્યો કે, “ અરે હરામી લેક! આઈ જાઓ અબી મેદાનમેં! હમારા બડા નુકસાન કરકે ઘરમેં ઘુસ ગયા છે, તે તુમ સબ કયા સમજતે હે !! ચલે સતાબી કરે અરે એ ફખાં ફસકું સુનતા કર્યું નહિ? નીકાલ સબ લેકકું બહાર નીકાલ સબ લોકકું બહાર !!” પેલા બિચારા ગામડીયા લેકો તે ચોંક્યા કે આતે , કોને બહાર નીકળવાનું કહે છે ફતેખાંએ તેમને શાંત પાડી અંદરથી તાકો કર્યો કે “એ જાલમાં જુલમી, તુમ કિકું નિકાલનેકું બોલતે હે ?
જાલમખાં–તુમેરા મીજબાનકું! ઉન્હાને હમારા બડા ગુહા કયા હૈ! તેમાં–કયા ગુન્હા કિયા હૈ?
જાલમપાં-મેરા બાવા ઈનકા ગાંઉમે નેકરથા ઉસી બપ્ત ઈસુને ઉકુ મારાથા.
ફતેખાંના પૂછવાથી પિલા ગામડીએએ જાલમખાં સાંભળે તેમ જવાબ દીધે કે, “ના ભાઈસાહેબ, અમે તે કાંઈ જાણતા નથી તેમજ એમના બાપને પણ દીઠા નથી ! તે અમોએ તેમને માર્યા તે કયાંથી હાય !!!”
જાલમખાં–જબ તુમને નહિ તે તુમેરા ભાઈએ માર હેગા ! ઓ સબ એકાએકજ છે કે દુસા? યાદ રખે, મેં અબી છોડનેવાલા નહિ! યહ હથીયારસે માર મારકે ટુકડે ટુકડા કર ડાલુંગા.
ગામડીઆઓ ગભરાવા લાગ્યા, તે જઈ ફતેખાએ પિલા ગામડીઆઓને હિંમત આપી કે જાલમખાને શે ભાર છે? તમને હું બેઠો છું ત્યાં સુધી ઉની આંચ આવવા દેનાર નથી. એમ કહી તે પણ ઢાલ, તરવાર, બંદુક લઈ લડવાને તૈયાર થયા.
આથી પટેલીઆઓને હિમ્મત આવી તથા તેઓ નિષિ હતા, તેથી મનમાં એમજ હતુ કે આતે કઈકને બદલે કોઈકને વઢવા આવેલ જણાય છે. તેથી થેડીવારમાં ફતેખાં સમજાવી કાઢી મુકશે. આમ વિચારીને તેઓ નિર્ભયપણે બેસી રહ્યા,
૪૫