________________
પરિચછેદ. દુનિનિન્દા અધિકાર
૩૭૭ બેઘાશા–મીંઆઉ!!!
એક લેણદારને દીકરા-દેવાળીયાના દીકરા તું સમજે નહિ કે “ આ વાંઝીયાને માલ છે તે તને પચશે” પણ આતે પછવાડે આવડા આવડા દાંતવાળા બેઠા છીએ તે તારો જીવ લેશું. માટે ઝટ દઈને રૂપીઆ કાઢી આપ.
બેઘાશા-મીઆઊં!!!
પિંજારે—બેઘ ભાઈ આ શે ગજબ, રૂપીઆ લેતી વખત અમને “સે મણની તળાઇમાં સુઈ રહેવાનું કહેતા હતા, ને હવે આ શું સમજવું? અમારે રાંકરેષને પ્રાણુરેશ જવા દે ને રૂપિયા આપે.
બોઘાશા–મીંઊં !!!
રાંડરાંડ-અરે ભાઈ! રડી રૂએ માંડી રૂએ, પણ સાત ભરથારી તે મોંએ ન ઉઘાડે એમ હતું હશે ? તમે ઘણી તરફથી આવકવાળા, લાખાને વેપાર કરનારા, સારી શાખવાળા થઈને આ શું બેલે છે? મેં મારી રાંડીરેળાની થાપણ મૂકી છે તે ઉપર મારે રંડાપ છે, માટે આપો.
બાઘાશા–મીંઆઊં!!!
સોની–શેઠ તમારે પારકા ઘર ઉપર આ બધી ધામધૂમ ને વેપાર શામાટે કરે પડે હતે પોતાનું ઘર તપાસીને વાત કરવી એવું શું “સનું પહેરીએ કે કાન તૂટે.” આ લીધા છે રૂપીઆ તે તે આપવા પડશે.
બેઘાશા–મીંઊં !!!
ખે–સૂળાના પતીકા જેવા રૂપીઆ ગણી આપ્યા છે કે હવે આડે જવાબ શામાટે આપે છે? લેતી વખત આપવા પડશે એમ જાણતા નહતા ?
બાઘાશા–મીઆ !!?
આવી રીતે જુદા જુદા લેણદારોએ અનેક પ્રશ્ન કર્યા પણ તેને ઉત્તર મીઆ ઊં મીંઊં સિવાય બીજું કાંઈ બેઘાશા પાસેથી મળે નહિ. તેથી તે ગાંડ થઈ ગયે છે, એમ ધારી તે બધાએ નિરાશ થઈ ઉઘરાણું કરવી બંધ કરી.
આ ઈલાજ બેઘાશાને રામબાણ જે થઈ પડે. ઉઘરાણીરૂપી દુઃખ દૂર નાશી ગયું જાણું તે ખુશી થયો પણ પછીથી તે લાભકારી વાત જોઈ હરામના આપેલ રૂપીયા જોડે મડાગાંઠ વાળી બેઠે. ગમે તેમ થાય પણ ચમડી તુટે પણ દમડી ન છુટે એવા ઠરાવ પર આવી ગયે.
કેટલાક દીવસ વીત્યા પછી ધીરજલાલ શેઠે વિચાર્યું કે હવે તે બેઘાશાના સઘળા લેણદારે ઉઘરાણી કરતા બંધ પડયા હશે, માટે હવે જઈને મારાં નાણું