________________
પરિચ્છેદ
દુનિંદા–અધિકાર.
૩૫૧
બુદ્ધિશાળી પુરૂષે દુષ્ટ મનુષ્યની સાથે મિત્રતા તથા શત્રુતાને ત્યાગ કરે, કારણ કે મિત્રતાથી ચાહતે અને શત્રુતાથી કરડતે કૂતરે દ્રહને માટે છે. ૩
દુર્જનને સ્નેહ પણ દુઃખદાય છે. એક ફખાં કરીને મીયાં હો, તે પેતાના ગામથી થેડે દૂરના ગામમાં હવાલદારો કરતે હરે, પોતાની વીશ વર્ષની ઉમરથી નોકરી કરતાં ચાલીશ વર્ષની ઉમર થવા આવી, તેથી વતનમાં જઈ રહેવાની મરજી હાઈને નેકરીનું રાજીનામું આપ્યું પરંતુ વશ વર્ષ સુધી નોકરી કરી તે મુદતમાં ગામના લોક સાથે હળીમળીને મેઢ મીઠાશ રાખી રહેવાથી તેના પર સર્વ ખુશી હતા. મિઓને ખાધાપીધાનું કાંઈ ખરચ બેસતું નહતું, હમેશાં એક પછી એક ઘરવાળે તેને ખવરાવતે હતે. વળી કેઈ વિવાહ કે કારજના પ્રસંગ ઉપર મિયાંને જમવાનું પહેલું મળતું કેટલાક પટેલીઆ જેકે તે એ સંબંધ બંધાઈ ગયો હતો કે વાર તહેવાર અને કઈ કઈ સાધારણ પ્રસંગ ઉપર મિયાંને નોતરવામાં આવતું હતું, એટલે સુધી સેકો તેના ઉપર પ્રીતિ રાખતા કે જાણે પોતાના કુટુંબને માણસ હેય નહીં ! જતી વખત મિયાં ઉપર ભાવ દેખાડવા લેક ડે સુધી વળાવવા આવ્યા. છેવટ સલામ કરી “આવજે, આવના” શબ્દોથી પરસ્પર રજા લીધી. ગામના લોક તે જ્યારે જ્યારે મિયાંની વાત નીકળે ત્યારે તેની તારીફ કરતા હતા, અને મિયાંને મળવાની કઈવાર આતુરતા રાખતા હતા.
એક વખત પટેલીઆના છોકરા તથા ગામનાં માણસો મળી પંદર જણ એક દૂરને ગામ મેળે થતું હતું તે ઉપ૨ જવાને તૈયાર થયા. રસ્તામાં મિયાંનું ગામ આવવાનું હતું, જેથી રાજી થતા થતા તેને મળવાના ઉલ્લાસમાં રસ્તો કાપવા લાગ્યા. ગામને પાદર ગયા ત્યારે એક પહોર દહાડે પાછલે બાકી હતા. પૂછતાં પૂછતાં મિયાને ઘેર ટેળુંને ટેળું ઉભું રહ્યું. મિયાં આવકાર આપી સૌને ઉભા થઈ મળ્યા - ને સલામ કરી બેઠા. મિયાંએ કહ્યું “ધનઘી ! ધનદહાડે ! આજ તુમ સબ પટેલ લેક હમારે ઘરકું મીજબાન આયે, હમ બાત બત ખુશ હવા ”
મેથી ઉપર પ્રમાણે બેલ્યો પરંતુ મિયાંના મનમાં તે કાંઈનું કાંઈ થવા લાગ્યું ! અરે પંદર વીશ ધરા (મરદ) આવીને બેઠા છે ! તેમને ત્યાં હજાર વ. ખત આપણે ખાધેલું છે, તે એક વખત ખવરાવવાની ના કેમ કહેવાય. પ્રથમજ પણું આવ્યા છે તેને રોટલા ખીચડી પણ આગળ ધરાયજ નહિ આતે કંસારના મેમાન છે! તેથી પાંચ સાત રૂપીએને ઘેર ગળી આવે એવું છે ! અરે ખુદા ! આતે પુરેપુરી કમબદ્ધિ આવી! ખર્ચ કરવાની મરજી તે નથી પણ મોડેથી તે ભલું મનવવું જે ઈએ? યુક્તિથી ખરચમાંથી બચીએ અને ભલાઈ લે એવું બવાય.
* કેતુકમાળા.