________________
પરિદ
આત્મકાનઅધિકાર,
અને ત્યાંનું વર્ણન કરે તે ઉપરથી આપણા મનમાં ન્યુયોર્ક વિષે ઘણેજ સારે ખ્યાલ આવી શકે છે, તેવી જ રીતે જે મારા પુસ્તકો દ્વારા આત્માના સામર્ચો વિગેરેનું માત્ર પોપટીયું જ્ઞાન પ્રાપ્ત કરી આપણને આત્માને ઉપદેશ આપે તેથી શું આપણને આત્મજ્ઞાન થવાનું? કદીજ નહિ. ત્યારે જેમને આત્મ સાક્ષાત્કાર થયેલ છે તેવા સદગુરૂદ્વારા ઉપદેશને ગ્રહણ કરવાથી અવશ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે.
કેઈપણ ગામને રસ્તે જેણે દીઠે હોય તેને આપણે માર્ગ પૂછીએ કે ફલાણું ગામનો માર્ગ કયાં થઈને છે અને તે આપણને ત્યાં જવાને જે સરળ રસ્તો બતાવે છે તે રસ્તે કેઈ અજાણ્યો મનુષ્ય બતાવી શકે? નહિ જ. તે જ પ્રમાણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં પણ જેમને આત્મ સાક્ષાત્કાર થયેલ છે તેવા સદ્દગુરૂને પૂછવાથી અને તેમણે બતાવેલા માર્ગે પ્રયાણ કરવાથી આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે આત્મજ્ઞાન મેળવવા માટે વિવેકી મનુષ્યએ સદ્દગુરૂ કરવામાં પણું બહુ સાવચેતી રાખવાની જરૂર છે.
ગુરૂ મુખથી કરેલા શ્રવણ, મનન, અને નિદિધ્યાસનથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે કારણ કે આત્મા સૂક્ષ્મતર પદાર્થોથી પશુ અતિ સૂરમ છે, માટે તે દુર્વિય કહેવાય છે અને કાંઈ તર્ક કરવાથી પ્રાપ્ત થતું નથી. પરંતુ ગુરૂ ઉપદિષ્ટ માર્ગે પ્રયાણ કરવાથી જ પ્રાપ્ત થાય છે, આત્મજ્ઞાન માટે સદ્દગુરૂએ કરેલા ઉપદેશ ઉપરાંત આપણે પણ અશુદ્ધ વિચાર–તર્કોને છેદન માટે પણ નાના પ્રકારની યુક્તિઓથી આત્મજ્ઞાન થવાને માટે. હંમેશાં પ્રયત્ન કરવાની જરૂર છે. સદ્દગુરૂ બધિત ઉપદે. શનું નિરંતર રટણ કરવાથી આત્મ સાક્ષાત્કાર થાય છે. જેમાં શાસ્ત્ર અને ગુરૂના ઉપદેશ ઉપર શ્રદ્ધા રાખી પ્રયત્ન કરતા નથી તેમને આત્મજ્ઞાન થતું નથી પણ જેઓ શાસ્ત્ર અને ગુરૂના વચનમાં અવિશ્વાસવાળા હેઈ મિથ્થા તર્ક વિતર્ક કરવાનું મુકી દઈ ઉપદિષ્ટ સાધને દ્વારા હંમેશાં પ્રયત્ન કરે છે તેજ આત્મજ્ઞાનને મેળવે છે.
શ્રદ્ધા અને વિશ્વાસ સિવાય આત્મજ્ઞાન ઉત્પન્ન થતું નથી કારણ કે આત્મા એ અનુભવને વિષય છે, તર્ક વિતને નહીં. અને તેથી તેનું જ્ઞાન મેળવવાને માટે તર્ક વિતર્ક કરી શાસ્ત્રમાં કે ગુરૂના વચનમાં વિશ્વાસ ધરવાની જરૂર નથી પણ માત્ર તેમના વચનેમાં શ્રદ્ધા રાખી ઉપદિષ્ટ માર્ગે પ્રયાણ કરી અનુભવમાં ઉતારી ખાત્રી કરવાની જરૂર છે.
આ પ્રમાણે કહી આત્મજ્ઞાન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.