________________
પરિચ્છેદ.
કુ બ્રાહ્મણ-અધિકાર.
કર)
એ પ્રમાણે બૂમ પાડે.
આવી રીતે બેસીને બીજાઓને તેમ આપવા લલચાવે છે. જશના ભૂખ્યા માણસો પુણ્ય તે શું, એ વાત સમજ્યા વગર ને પોતાને જશ ગવરાવવા ખાતર આપે, ભટજીને જે મળે તેથી વધારે પડતું બેલી આખા ગામમાં આપનારની નામના ગાય આ રીતે થોડા મહિનામાં કેટલાક રૂપિઆની ઉપજ કરી નાખે.
કોઈ વખત ભટજી બે ચાર સાત્રિત કરી ચુંદડી કરી કંકુ, નાળીએ ૨, નાડાછડી, ત્રિશૂળાદિ લઈ પરગામ નીકળી પડે. ગામ વચ્ચે જઈ થાળી પીટી લેકો એકઠા કરે. પરાં માણસો ભેગાં થયાં કે એક જણ ચાદર ઓઢી ધૂણવા માંડી, સાક્ષાત્ બહુચરાજી માતાજી આવ્યાને ડાળ બતાવે. તેના સાત્રિતે “ધન્ય મા, ધન્યમા ના અવાજ વચ્ચે માતાજી આવ્યાની નિશાનીઓ માગે. એટલે મહેમાંથી નાળીએ૨, કંકુ, નાડાછડી વગેરે કાઢી આપે. આવી રીતના દેખાવથી ભેળા લેકે દાણા, દુણી, પાઈ, પૈસે, દીવાનું ઘી વગેરે માતાજીની આગળ હાજર કરે તે લઈને ચાલતા થાય
આવી રીતની અનેક યુકિત ભટજીએ કરવા માંડેલી, તેથી પાસે થેડી મુડી થઈ તેનાં બે ખેતરે લીધાં, વ્યાજે રૂપીઆ આપવા માંડ્યા તેની ઉપજ પણ આવવા લાગી, પણ ભીખારી ભટજીને જીવ તે કવચિતજ ભીખારી મટે, એમાં નવાઈ નહિ, તેની સાબીતી નીચેની હકીક્ત વાંચનારને બતાવી આપશે.
બીજા બ્રાહ્મણે ભણી કથા કરતા હતા, તે જોઈ ભટજીને પસ્તાવો થવા લાગ્યા તેથી ધીરે ધીરે અભ્યાસ કરવા માંડયે. થેલી મુદતે કથાઓ વાંચવાનું ખોખરૂં જ્ઞાન થયું કે પિતાની આ૫ બુદ્ધિ અને વાચાળ શક્તિથી કથાઓ વાંચવી શરૂ કરી. કોઈ વખત કોઈના ઘેર, તે કઈ વખત શેરી કે મંદિરમાં વાંચે, તેમાં પણ કથાની ખરી ખુબી સાંભળનારાઓ સમજી શકે છે કે નહી, ને તેને હેતુ પાર પડી શકે છે કે નહિ, એની તે દરકારજ શું કામ હાય ! ફકત લેકે રંજન થઈ ખડખડ હસે છે કે નહિ, એ ઉપર મુખ્ય ભટજીનું ધ્યાન જતું હતુ; તેથી “કથા ત્યાં વાત” હોવીજ જેઈએ, એમ કહી આડી તેડી સંસારની માયા ને વિષયની રમુજી વાતે, કિર વિગેરે વખતે વખત કહેવા માંડે, તે સાંભળવાને ઘણું લેકે ખુશીની સાથે એકઠા થાય. કથામાં ભટજીને જમવાનું કહે તેના જમણુની હકીકત કહેતાં મીઠું મરચું ભભરાવી પદ્યના આકારમાં મેટું જડીગળ કરી, ગાઈ બતાવે, એટલે બીજાઓ તુરત પિતાનો જશ ગવરાવવા માટે જમવાનાં નેતરાં ઉપરાઉપર આપે જાય. છેવટ કથાની પૂર્ણ હુતિ થતાં સુધીમાં ભટજી કેટલાક દાણા, લુગડાંલત્તાં, વાસસકુસણુને રૂપીઆદિ પેદા કરી લે.
જ અતિશકિતવાળું-ગ૫ ભરેલું પદ્ય