________________
પરિચ્છેદ.
ગુણુ પ્રશંસા-અધિકાર
૧૮. .
કોઈ ગામડીઆ ખેડૂતને રસ્તામાં પડેલું એક સાચું મોતી જડ્યું, તેણે તે મેતીને હાથમાં લઈ જોયું ત્યારે વિચાર્યું કે, “મારા જવના ક્ષેત્રમાં આવા ઘણું જવ છે, તે આ એકજ શા કામનું ?” આ પ્રમાણે મનમાં વિચારી તે ખેડૂતે તે સાચું મોતી નાંખી દીધું અને પિતે ત્યાંથી ચાલતે થયે. આ ઉપરથી સમજવાનું કે, જેમ તે ખેડૂત સાચા મોતીના મૂલ્યને પોતે પણ જાણી શક્યો નહિ તેમ અજ્ઞાન માણસે વિદ્વાન પુરૂષને જાણી શક્તા નથી. ૩
કઈ કઈ વાર એવું બને છે કે મહાન પુરૂષની પ્રભામાં અભવિ આત્માને ગ્લાનિ જણાય છે. અને તેથી તેવાઓ ભવિ જીથી વિમુખ રહેવા માગે છે અને પિતાનું જ સારૂં” તેવા વિચારમાં પારકા ઉત્તમ વિચારેને તપાસવામાં પણ હાનિ સમજે છે, ખરૂં કહીએ તે આ તેમની એકપક્ષીય અંધભાવના છે. તત્ત્વ જાણનારે તે સર્વ દિશામાંથી સંશોધન કરી સારૂં શેધી કાઢીને “સારૂ હોય તે મારૂં” કરી લેવું જોઈએ છે. દરેકને દરેક બાબતમાં વિચાર કરવાને હક્ક છે અને તે હક્ક લુંટી લે છે અન્યાય છે. તેથી સાધુ પુરૂષે તેવી લુંટ કદી પણ ચલાવતા નથી. પરંતુ સર્વમાંથી તત્ત્વ તપાસી શ્રેષ્ઠ વસ્તુ સ્વીકારે છે. અને બીજાની નીંદા કરતા નથી, પણ ઉપેક્ષા કરે છે તથા તેના પ્રત્યે અને તેમના એકટષ્ટિ ભાવ પ્રત્યે દયાની દૃષ્ટિથી જુએ છે. આટલું છતાં પિતાના ઝાંખા પ્રકાશને જાહેરમાં લાવવાને દૂર રહેવા ઇરછે છે.
महति गते हानिर्न महताम् (મહાન પુરૂ ચાલ્યા જવાથી તેવા પુરૂષને કાંઈ હાનિ થતી નથી, પણ બીજાને જ નુકશાન થાય છે. કેમકે –
इन्द्रवज्रा यत्रापि कुत्रापि भवन्ति हंसा हंसा महीमण्डलमण्डनानि । - હાનિતુ તેષાં ફિ વરાળાં, શેષ મહારૈઃ સદ વિકાર છે?
હંસ ગમે ત્યાં હોય ત્યાં તેઓ પૃથ્વી મંડળમાં આભૂષણ રૂપ થાય છે. પરંતુ જે સરેવરાને તે હંસને વિયેગ થાય છે તે સરોવરને જ હાનિ થવાની. અર્થાત હસે ગમે ત્યાં જશે ત્યાં તે શેભા રૂપ થશે; પણ જે સરોવરમાંથી ચાલ્યા જશે, તે સરોવરની શોભા ઘટશે. તેથી સરેવને હાનિ છે, હસેને નથી. તેવી રીતે જેમની પાસેથી સજજન પુરૂ ચાલ્યા જશે, તેઓને હાનિ થશે, સજજન પુરૂષોને તે કાંઈ પણ હાનિ થશે નહીં. ૧ -
*૧ થી સુભાષિત રત્ન ભાંડાગાર